મહારાષ્ટ્રમાં 25,000 શાળાઓ બંધ, ધોરણ 10ની બોર્ડ પરીક્ષા અગાઉ મોટું આંદોલન; જાણો શું છે કારણ

મહારાષ્ટ્રમાં આજે લગભગ 25,000 શાળાઓ બંધ રાખવામા આવી છે. 10મા ધોરણની બોર્ડની પરીક્ષા અગાઉ ખાનગી, આંશિક રીતે અનુદાનિત અને અનુદાન વિનાની શાળાઓના આચાર્યો, શિક્ષકો અને બિન-શિક્ષણ કર્મચારીઓએ તેમની માંગણીઓના સમર્થનમાં આ બંધનું એલાન આપ્યું છે. જો કે, મુંબઈમાં હડતાળની ખાસ અસર દેખાઈ નહોતી, પરંતુ મરાઠવાડામાં ઘણી શાળાઓ બંધ રહી હતી.

શિક્ષકોની મુખ્ય માંગણીઓની વાત કરીએ તો તેમાં શિક્ષક ગોઠવણો પર પુનર્વિચાર, TETની આવશ્યકતા દૂર કરવી, ઓનલાઈન અને બિન-શૈક્ષણિક કાર્યના ભારણમાં ઘટાડો, જૂની શિક્ષણ-સંબંધિત યોજનાઓનો અમલ, કરાર આધારિત પ્રથા બંધ કરવાનો સમાવેશ થાય છે. આ માંગણીઓ અંગે, શિક્ષક સંઘે ચીમકી આપી છે કે તેઓ કોઈપણ સંજોગોમાં પાછળ નહીં હટે. ધોરણ 9 અને 10ની લગભગ 18,000 શાળાઓમાં અભ્યાસ પૂરી રીતે બંધ રહ્યો.

school-Closed2
indiatvnews.com

સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે, 5 ડિસેમ્બરે શિક્ષણ કાર્ય બાધિત ન થવું જોઈએ. શાળાઓ બંધ રાખનારા આચાર્યો, શિક્ષકો અને અન્ય કર્મચારીઓને કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે. વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારાઓનો એક દિવસનો પગાર કાપવામાં આવશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ નિયામક ડૉ. મહેશ પાલકરે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓ અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને શાળાઓ ફરી શરૂ કરવા માટે કડક સૂચનાઓ જાહેર કરી છે.

school-Closed1
cambridge.org

સરકારે પગાર કાપનો આદેશ જાહેર કર્યા બાદ શિક્ષક સંગઠનોમાં અસંતોષ વધુ વધ્યો છે. મહાનગરીય શિક્ષક સંગઠને જણાવ્યું છે કે, ‘એક દિવસનો પગાર કાપ એ શિક્ષકોના અધિકારો પર હુમલો છે. અમારું સંગઠન આંદોલનને સમર્થન આપશે. શિક્ષક સંગઠનનું કહેવું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. એવામાં સરકાર અને શિક્ષક સંગઠનો વચ્ચે સંઘર્ષ વધવાની શક્યતા છે.

About The Author

Top News

વાઘા-અટારી બોર્ડર બંધ હતી તો પણ 'સિંદૂર'નો થયો વિજય; 150 પાકિસ્તાની દુલ્હનો ભારત પહોંચી

એપ્રિલ 2025માં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતે અનેક કાર્યવાહી કરી હતી. પહેલગામ આતંકવાદી હુમલા પછી...
World 
વાઘા-અટારી બોર્ડર બંધ હતી તો પણ 'સિંદૂર'નો થયો વિજય; 150 પાકિસ્તાની દુલ્હનો ભારત પહોંચી

કાર પોલીસ વાહન સાથે અથડાઈ, પોલીસકર્મી હાલત જોવા દોડી ગયા; કારમાં હતું 10 કિલો સોનું

કનૌજમાં લખનૌ-આગ્રા એક્સપ્રેસવે પર શુક્રવારે મોડી રાત્રે થયેલા એક માર્ગ અકસ્માતમાં એક રહસ્ય ખુલ્યું જેણે પોલીસને પણ આશ્ચર્યચકિત કરી દીધી....
National 
કાર પોલીસ વાહન સાથે અથડાઈ, પોલીસકર્મી હાલત જોવા દોડી ગયા; કારમાં હતું 10 કિલો સોનું

ઈથેનોલ પેટ્રોલનો વિરોધ કરવા નીકળે એ પહેલા જ પોલીસે પૂનાવાલાને ઘરે 'નજરકેદ' કર્યા, પોલીસને શેરડીનો રસ આપ્યો

કાર્યકર તહસીન પૂનાવાલાએ આરોપ લગાવ્યો છે કે, દિલ્હી પોલીસે તેમને શનિવારે જંતર-મંતર વિરોધ પ્રદર્શન કરવા જતા અટકાવ્યા હતા. પૂનાવાલાએ...
National 
ઈથેનોલ પેટ્રોલનો વિરોધ કરવા નીકળે એ પહેલા જ પોલીસે પૂનાવાલાને ઘરે 'નજરકેદ' કર્યા, પોલીસને શેરડીનો રસ આપ્યો

રાજસ્થાનની 611 સરકારી શાળા બીલ્ડિંગ વગર જ ચાલી રહી છે, સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું

રાજસ્થાનમાં સરકારી શાળાઓમાં માળખાકીય સુવિધાઓની મોટી અછત સામે આવી છે. રાજ્ય સરકારે શુક્રવારે વિધાનસભામાં માહિતી આપતાં જણાવ્યું હતું કે, ...
Education 
રાજસ્થાનની 611 સરકારી શાળા બીલ્ડિંગ વગર જ ચાલી રહી છે, સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.