મહારાષ્ટ્રમાં 25,000 શાળાઓ બંધ, ધોરણ 10ની બોર્ડ પરીક્ષા અગાઉ મોટું આંદોલન; જાણો શું છે કારણ

મહારાષ્ટ્રમાં આજે લગભગ 25,000 શાળાઓ બંધ રાખવામા આવી છે. 10મા ધોરણની બોર્ડની પરીક્ષા અગાઉ ખાનગી, આંશિક રીતે અનુદાનિત અને અનુદાન વિનાની શાળાઓના આચાર્યો, શિક્ષકો અને બિન-શિક્ષણ કર્મચારીઓએ તેમની માંગણીઓના સમર્થનમાં આ બંધનું એલાન આપ્યું છે. જો કે, મુંબઈમાં હડતાળની ખાસ અસર દેખાઈ નહોતી, પરંતુ મરાઠવાડામાં ઘણી શાળાઓ બંધ રહી હતી.

શિક્ષકોની મુખ્ય માંગણીઓની વાત કરીએ તો તેમાં શિક્ષક ગોઠવણો પર પુનર્વિચાર, TETની આવશ્યકતા દૂર કરવી, ઓનલાઈન અને બિન-શૈક્ષણિક કાર્યના ભારણમાં ઘટાડો, જૂની શિક્ષણ-સંબંધિત યોજનાઓનો અમલ, કરાર આધારિત પ્રથા બંધ કરવાનો સમાવેશ થાય છે. આ માંગણીઓ અંગે, શિક્ષક સંઘે ચીમકી આપી છે કે તેઓ કોઈપણ સંજોગોમાં પાછળ નહીં હટે. ધોરણ 9 અને 10ની લગભગ 18,000 શાળાઓમાં અભ્યાસ પૂરી રીતે બંધ રહ્યો.

school-Closed2
indiatvnews.com

સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે, 5 ડિસેમ્બરે શિક્ષણ કાર્ય બાધિત ન થવું જોઈએ. શાળાઓ બંધ રાખનારા આચાર્યો, શિક્ષકો અને અન્ય કર્મચારીઓને કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે. વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારાઓનો એક દિવસનો પગાર કાપવામાં આવશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ નિયામક ડૉ. મહેશ પાલકરે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓ અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને શાળાઓ ફરી શરૂ કરવા માટે કડક સૂચનાઓ જાહેર કરી છે.

school-Closed1
cambridge.org

સરકારે પગાર કાપનો આદેશ જાહેર કર્યા બાદ શિક્ષક સંગઠનોમાં અસંતોષ વધુ વધ્યો છે. મહાનગરીય શિક્ષક સંગઠને જણાવ્યું છે કે, ‘એક દિવસનો પગાર કાપ એ શિક્ષકોના અધિકારો પર હુમલો છે. અમારું સંગઠન આંદોલનને સમર્થન આપશે. શિક્ષક સંગઠનનું કહેવું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. એવામાં સરકાર અને શિક્ષક સંગઠનો વચ્ચે સંઘર્ષ વધવાની શક્યતા છે.

About The Author

Top News

સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સડસડાટ હિન્દીમાં વાત કરી શકે છે

જ્યારે વિશ્વના સૌથી મોટા વેપાર મંચ દાવોસ ૨૦૨૬માં સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સલાહ અહમદ જમા ઇન્ટરવ્યૂ દરમિયાન અચાનક શુદ્ધ અને...
National 
સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સડસડાટ હિન્દીમાં વાત કરી શકે છે

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.