સંજય રાઉતના મતે આ રાજ્યમાંથી હશે PM મોદીનો રાજકીય ઉત્તરાધિકારી, RSS નક્કી કરશે

નાગપુરમાં RSS મુખ્યાલયની PM નરેન્દ્ર મોદીની મુલાકાતના એક દિવસ પછી, ઉદ્ધવ ઠાકરેના શિવસેના નેતા સંજય રાઉતના નિવેદનથી બધા ચોંકી ગયા છે. સંજય રાઉતે કહ્યું કે, PM મોદી આ વર્ષે 75 વર્ષના થવાના છે, તેથી તેઓ તેમની નિવૃત્તિ યોજના અંગે ચર્ચા કરવા માટે RSS મુખ્યાલય ગયા હતા. રાઉતે દાવો કર્યો હતો કે, PM નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી કોણ હશે તે સંઘ નક્કી કરશે. તેમણે એમ પણ કહ્યું કે PM મોદીનો ઉત્તરાધિકારી મહારાષ્ટ્રનો હશે. રાઉતે દાવો કર્યો હતો કે, 'તેઓ (PM મોદી) સપ્ટેમ્બરમાં નિવૃત્તિ માટે અરજી લખવા માટે RSS મુખ્યાલય ગયા હશે.' તેમણે એમ પણ કહ્યું કે, RSS દેશમાં રાજકીય નેતૃત્વમાં પરિવર્તન ઇચ્છે છે.

PM Modi
nishpakshpratidin.com

સંજય રાઉતે કહ્યું કે PM બન્યા પછી, PM મોદી 11 વર્ષ સુધી RSS મુખ્યાલય ગયા ન હતા, પરંતુ હવે તેઓ ત્યાં ગયા હતા અને કહ્યું કે તેઓ સત્તા છોડવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, એ સ્પષ્ટ છે કે PM મોદી 75 વર્ષના થયા પછી આ પદ છોડી દેશે. રાઉત RSS અને BJPની અઘોષિત નીતિનો ઉલ્લેખ કરી રહ્યા છે, જ્યાં વય મર્યાદા 75 વર્ષ નક્કી કરવામાં આવી છે. રાઉતે કહ્યું કે એવું લાગે છે કે સંઘે નિર્ણય લીધો છે અને તેથી જ PM મોદીને બોલાવવામાં આવ્યા હતા. બંધ દરવાજા પાછળ જે ચર્ચા થઈ તે કદાચ બહાર નહીં આવે, પરંતુ ઘણા સંકેતો આ તરફ ઈશારો કરે છે. તેમણે કહ્યું કે નવા નેતાની પસંદગી સંઘ દ્વારા કરવામાં આવશે અને કદાચ તે મહારાષ્ટ્રમાંથી હશે.

આ અંગે RSSએ પ્રતિક્રિયા આપી છે. નાગપુરમાં પત્રકારો સાથે વાત કરતા, RSSના વરિષ્ઠ નેતા સુરેશ ભૈયાજી જોશીએ પણ કહ્યું કે, તેમને PMની નિવૃત્તિ અંગે કોઈ ચર્ચાની જાણ નથી.

Sanjay Raut
etvbharat.com

BJP તરફથી પણ સંજય રાઉતના નિવેદનનો તાત્કાલિક ઇનકાર કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસે આવી અટકળોનો અંત લાવ્યો અને કહ્યું કે, PM મોદી આગામી ઘણા વર્ષો સુધી દેશનું નેતૃત્વ કરતા રહેશે. CM ફડણવીસે નાગપુરમાં કહ્યું કે, આપણે 2029માં PM મોદીને ફરીથી PM બનતા જોઈશું. કોઈ ઉત્તરાધિકારીની શોધ કરવાની જરૂર નથી. PM મોદી અમારા નેતા છે અને રહેશે.

આ સાથે CM ફડણવીસે કહ્યું કે, અમારી સંસ્કૃતિમાં જ્યાં સુધી પિતા જીવિત છે ત્યાં સુધી ઉત્તરાધિકારીની વાત થતી નથી. આ બધું મુઘલ સંસ્કૃતિમાં થાય છે.

PM Modi
jansatta.com

અત્રે ઉલ્લેખનીય છે કે, 11 વર્ષ સુધી PM પદ સંભાળ્યા પછી રવિવારે પહેલી વાર નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુખ્યાલય પહોંચેલા PM નરેન્દ્ર મોદીએ RSSને ભારતની અમર સંસ્કૃતિનું 'વૃક્ષ' ગણાવ્યું હતું. નાગપુરમાં RSS મુખ્યાલયની મુલાકાત લેનારા મોદી બીજા PM છે. RSSના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અટલ બિહારી વાજપેયી વર્ષ 2000માં તેમના ત્રીજા કાર્યકાળ દરમિયાન અહીં આવ્યા હતા. આ PM મોદીનો પણ ટોચના પદ પરનો ત્રીજો કાર્યકાળ છે.

About The Author

Related Posts

Top News

HDFC બેંક વિવાદ: ‘હું ઠાકુર છું’ બાદ, ‘હું બ્રાહ્મણ છું’ પણ સામે આવી; જાણો કોણે શું કહ્યું?

કાનપુરમાં HDFC બેંકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બેંક કર્મચારી આસ્થા સિંહ ગુસ્સામાં કહેતી જોવા...
National 
HDFC બેંક વિવાદ: ‘હું ઠાકુર છું’ બાદ, ‘હું બ્રાહ્મણ છું’ પણ સામે આવી; જાણો કોણે શું કહ્યું?

ક્યારે વંદે માતરમ વગાડવું ફરજિયાત છે? ક્યારે ક્યારે ઊભા રહેવું જરૂરી છે? જાણી લો સરકારે બહાર પાડેલા નવા નિયમો વિશે

ગૃહ મંત્રાલયે રાષ્ટ્રગીત વંદે માતરમને લઈને નવા નિયમો બહાર પાડ્યા છે. સરકાર તરફથી બહાર પાડવામાં આવેલા નિર્દેશોમાં રાષ્ટ્ર ગીત ગાવા...
Education 
ક્યારે વંદે માતરમ વગાડવું ફરજિયાત છે? ક્યારે ક્યારે ઊભા રહેવું જરૂરી છે? જાણી લો સરકારે બહાર પાડેલા નવા નિયમો વિશે

અદાણી ગ્રુપ વિરુદ્ધ ટ્વીટ કરવા બદલ પત્રકારને એક વર્ષની જેલ, કોર્ટે કહ્યું- ‘લખ્યું તે સાબિત...

અદાણી ગ્રુપ સાથે જોડાયેલા માનહાનિના કેસમાં પત્રકાર રવિ નાયરને દોષિત ઠેરવવામાં આવ્યા છે. 10 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના માણસાની...
Gujarat 
અદાણી ગ્રુપ વિરુદ્ધ ટ્વીટ કરવા બદલ પત્રકારને એક વર્ષની જેલ, કોર્ટે કહ્યું- ‘લખ્યું તે સાબિત...

‘સાહેબ, હું જીવું છું...!’ પતિએ જ પત્નીની પોલ ખોલી નાખી, લઈ રહી હતી વિધવા પેન્શન

મધ્ય પ્રદેશના સિંગરૌલીથી સિસ્ટમનો પર્દાફાશ કરતી એક ચોંકાવનારી કહાની સામે આવી છે. કાગળ પર એક પુરુષને મૃત જાહેર કરવામાં આવ્યો...
National 
‘સાહેબ, હું જીવું છું...!’ પતિએ જ પત્નીની પોલ ખોલી નાખી, લઈ રહી હતી વિધવા પેન્શન

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.