સંજય રાઉતના મતે આ રાજ્યમાંથી હશે PM મોદીનો રાજકીય ઉત્તરાધિકારી, RSS નક્કી કરશે

નાગપુરમાં RSS મુખ્યાલયની PM નરેન્દ્ર મોદીની મુલાકાતના એક દિવસ પછી, ઉદ્ધવ ઠાકરેના શિવસેના નેતા સંજય રાઉતના નિવેદનથી બધા ચોંકી ગયા છે. સંજય રાઉતે કહ્યું કે, PM મોદી આ વર્ષે 75 વર્ષના થવાના છે, તેથી તેઓ તેમની નિવૃત્તિ યોજના અંગે ચર્ચા કરવા માટે RSS મુખ્યાલય ગયા હતા. રાઉતે દાવો કર્યો હતો કે, PM નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી કોણ હશે તે સંઘ નક્કી કરશે. તેમણે એમ પણ કહ્યું કે PM મોદીનો ઉત્તરાધિકારી મહારાષ્ટ્રનો હશે. રાઉતે દાવો કર્યો હતો કે, 'તેઓ (PM મોદી) સપ્ટેમ્બરમાં નિવૃત્તિ માટે અરજી લખવા માટે RSS મુખ્યાલય ગયા હશે.' તેમણે એમ પણ કહ્યું કે, RSS દેશમાં રાજકીય નેતૃત્વમાં પરિવર્તન ઇચ્છે છે.

PM Modi
nishpakshpratidin.com

સંજય રાઉતે કહ્યું કે PM બન્યા પછી, PM મોદી 11 વર્ષ સુધી RSS મુખ્યાલય ગયા ન હતા, પરંતુ હવે તેઓ ત્યાં ગયા હતા અને કહ્યું કે તેઓ સત્તા છોડવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, એ સ્પષ્ટ છે કે PM મોદી 75 વર્ષના થયા પછી આ પદ છોડી દેશે. રાઉત RSS અને BJPની અઘોષિત નીતિનો ઉલ્લેખ કરી રહ્યા છે, જ્યાં વય મર્યાદા 75 વર્ષ નક્કી કરવામાં આવી છે. રાઉતે કહ્યું કે એવું લાગે છે કે સંઘે નિર્ણય લીધો છે અને તેથી જ PM મોદીને બોલાવવામાં આવ્યા હતા. બંધ દરવાજા પાછળ જે ચર્ચા થઈ તે કદાચ બહાર નહીં આવે, પરંતુ ઘણા સંકેતો આ તરફ ઈશારો કરે છે. તેમણે કહ્યું કે નવા નેતાની પસંદગી સંઘ દ્વારા કરવામાં આવશે અને કદાચ તે મહારાષ્ટ્રમાંથી હશે.

આ અંગે RSSએ પ્રતિક્રિયા આપી છે. નાગપુરમાં પત્રકારો સાથે વાત કરતા, RSSના વરિષ્ઠ નેતા સુરેશ ભૈયાજી જોશીએ પણ કહ્યું કે, તેમને PMની નિવૃત્તિ અંગે કોઈ ચર્ચાની જાણ નથી.

Sanjay Raut
etvbharat.com

BJP તરફથી પણ સંજય રાઉતના નિવેદનનો તાત્કાલિક ઇનકાર કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસે આવી અટકળોનો અંત લાવ્યો અને કહ્યું કે, PM મોદી આગામી ઘણા વર્ષો સુધી દેશનું નેતૃત્વ કરતા રહેશે. CM ફડણવીસે નાગપુરમાં કહ્યું કે, આપણે 2029માં PM મોદીને ફરીથી PM બનતા જોઈશું. કોઈ ઉત્તરાધિકારીની શોધ કરવાની જરૂર નથી. PM મોદી અમારા નેતા છે અને રહેશે.

આ સાથે CM ફડણવીસે કહ્યું કે, અમારી સંસ્કૃતિમાં જ્યાં સુધી પિતા જીવિત છે ત્યાં સુધી ઉત્તરાધિકારીની વાત થતી નથી. આ બધું મુઘલ સંસ્કૃતિમાં થાય છે.

PM Modi
jansatta.com

અત્રે ઉલ્લેખનીય છે કે, 11 વર્ષ સુધી PM પદ સંભાળ્યા પછી રવિવારે પહેલી વાર નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુખ્યાલય પહોંચેલા PM નરેન્દ્ર મોદીએ RSSને ભારતની અમર સંસ્કૃતિનું 'વૃક્ષ' ગણાવ્યું હતું. નાગપુરમાં RSS મુખ્યાલયની મુલાકાત લેનારા મોદી બીજા PM છે. RSSના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અટલ બિહારી વાજપેયી વર્ષ 2000માં તેમના ત્રીજા કાર્યકાળ દરમિયાન અહીં આવ્યા હતા. આ PM મોદીનો પણ ટોચના પદ પરનો ત્રીજો કાર્યકાળ છે.

Related Posts

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.