સંજય રાઉતના મતે આ રાજ્યમાંથી હશે PM મોદીનો રાજકીય ઉત્તરાધિકારી, RSS નક્કી કરશે

નાગપુરમાં RSS મુખ્યાલયની PM નરેન્દ્ર મોદીની મુલાકાતના એક દિવસ પછી, ઉદ્ધવ ઠાકરેના શિવસેના નેતા સંજય રાઉતના નિવેદનથી બધા ચોંકી ગયા છે. સંજય રાઉતે કહ્યું કે, PM મોદી આ વર્ષે 75 વર્ષના થવાના છે, તેથી તેઓ તેમની નિવૃત્તિ યોજના અંગે ચર્ચા કરવા માટે RSS મુખ્યાલય ગયા હતા. રાઉતે દાવો કર્યો હતો કે, PM નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી કોણ હશે તે સંઘ નક્કી કરશે. તેમણે એમ પણ કહ્યું કે PM મોદીનો ઉત્તરાધિકારી મહારાષ્ટ્રનો હશે. રાઉતે દાવો કર્યો હતો કે, 'તેઓ (PM મોદી) સપ્ટેમ્બરમાં નિવૃત્તિ માટે અરજી લખવા માટે RSS મુખ્યાલય ગયા હશે.' તેમણે એમ પણ કહ્યું કે, RSS દેશમાં રાજકીય નેતૃત્વમાં પરિવર્તન ઇચ્છે છે.

PM Modi
nishpakshpratidin.com

સંજય રાઉતે કહ્યું કે PM બન્યા પછી, PM મોદી 11 વર્ષ સુધી RSS મુખ્યાલય ગયા ન હતા, પરંતુ હવે તેઓ ત્યાં ગયા હતા અને કહ્યું કે તેઓ સત્તા છોડવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, એ સ્પષ્ટ છે કે PM મોદી 75 વર્ષના થયા પછી આ પદ છોડી દેશે. રાઉત RSS અને BJPની અઘોષિત નીતિનો ઉલ્લેખ કરી રહ્યા છે, જ્યાં વય મર્યાદા 75 વર્ષ નક્કી કરવામાં આવી છે. રાઉતે કહ્યું કે એવું લાગે છે કે સંઘે નિર્ણય લીધો છે અને તેથી જ PM મોદીને બોલાવવામાં આવ્યા હતા. બંધ દરવાજા પાછળ જે ચર્ચા થઈ તે કદાચ બહાર નહીં આવે, પરંતુ ઘણા સંકેતો આ તરફ ઈશારો કરે છે. તેમણે કહ્યું કે નવા નેતાની પસંદગી સંઘ દ્વારા કરવામાં આવશે અને કદાચ તે મહારાષ્ટ્રમાંથી હશે.

આ અંગે RSSએ પ્રતિક્રિયા આપી છે. નાગપુરમાં પત્રકારો સાથે વાત કરતા, RSSના વરિષ્ઠ નેતા સુરેશ ભૈયાજી જોશીએ પણ કહ્યું કે, તેમને PMની નિવૃત્તિ અંગે કોઈ ચર્ચાની જાણ નથી.

Sanjay Raut
etvbharat.com

BJP તરફથી પણ સંજય રાઉતના નિવેદનનો તાત્કાલિક ઇનકાર કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસે આવી અટકળોનો અંત લાવ્યો અને કહ્યું કે, PM મોદી આગામી ઘણા વર્ષો સુધી દેશનું નેતૃત્વ કરતા રહેશે. CM ફડણવીસે નાગપુરમાં કહ્યું કે, આપણે 2029માં PM મોદીને ફરીથી PM બનતા જોઈશું. કોઈ ઉત્તરાધિકારીની શોધ કરવાની જરૂર નથી. PM મોદી અમારા નેતા છે અને રહેશે.

આ સાથે CM ફડણવીસે કહ્યું કે, અમારી સંસ્કૃતિમાં જ્યાં સુધી પિતા જીવિત છે ત્યાં સુધી ઉત્તરાધિકારીની વાત થતી નથી. આ બધું મુઘલ સંસ્કૃતિમાં થાય છે.

PM Modi
jansatta.com

અત્રે ઉલ્લેખનીય છે કે, 11 વર્ષ સુધી PM પદ સંભાળ્યા પછી રવિવારે પહેલી વાર નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુખ્યાલય પહોંચેલા PM નરેન્દ્ર મોદીએ RSSને ભારતની અમર સંસ્કૃતિનું 'વૃક્ષ' ગણાવ્યું હતું. નાગપુરમાં RSS મુખ્યાલયની મુલાકાત લેનારા મોદી બીજા PM છે. RSSના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અટલ બિહારી વાજપેયી વર્ષ 2000માં તેમના ત્રીજા કાર્યકાળ દરમિયાન અહીં આવ્યા હતા. આ PM મોદીનો પણ ટોચના પદ પરનો ત્રીજો કાર્યકાળ છે.

About The Author

Related Posts

Top News

GPSCના ઇન્ટરવ્યૂનો વિવાદ શું છે? કેમ રદ્દ કરવામાં આવ્યા? સરદારધામનું શું કનેક્શન

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ને આમ તો વિવાદો સાથે ઘનિષ્ઠ નાતો છે. પરંતુ આ વખતે વિવાદ લેખિત પરીક્ષાના...
Education 
GPSCના ઇન્ટરવ્યૂનો વિવાદ શું છે? કેમ રદ્દ કરવામાં આવ્યા? સરદારધામનું શું કનેક્શન

25 લગ્નો કરનારી લૂંટેરી દુલ્હન પકડાઇ, આ રીતે લોકોને છેતરતી હતી

રાજસ્થાનના સવાઇ માધોપુરમાં આવેલા માનટાઉન પોલીસે 25 લગ્નો કરી ચુકેલી એક લૂંટેરી દુલ્હનને પકડી પાડી છે. એક ફરિયાદને આધારે પોલીસે...
National 
25 લગ્નો કરનારી લૂંટેરી દુલ્હન પકડાઇ, આ રીતે લોકોને છેતરતી હતી

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નવું જ નામ ચર્ચામા, સૌરાષ્ટ્રના નેતા છે

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના નામમાં એક નવું નામ ઉમેરાયું છે અને આ નામ રેસમાં અત્યારે સૌથી આગળ હોવાનું માનવામાં આવી...
Politics 
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નવું જ નામ ચર્ચામા, સૌરાષ્ટ્રના નેતા છે

વર્ષમાં એક વખત ખૂલે છે આ ટ્રેનના દરવાજા, ભારતની એકમાત્ર ટ્રેન જે 15 દિવસમાં ફેરવે છે આખો દેશ

ટ્રેનમાં મુસાફરી કરવાની પોતાની એક અલગ મજા હોય છે. બારી પાસેની સીટ હોય અને ગરમાગરમ ચા, તો પછી ટ્રેનની...
Business 
વર્ષમાં એક વખત ખૂલે છે આ ટ્રેનના દરવાજા, ભારતની એકમાત્ર ટ્રેન જે 15 દિવસમાં ફેરવે છે આખો દેશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.