અમુક રાજ્યોમાં બુલડોઝર ચલાવવું એક ફેશન બની ગયું છે, SCમાં ચાલી લાંબી ચર્ચા

On

દેશના મોટા ભાગના રાજ્યોમાં બુલડોઝર કાર્યવાહીને લઇ વરિષ્ઠ એડવોકેટ દુષ્યંત દવેએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે, આ એક્શન એક ફેશન બની ગયું છે. આને લઇ સરકારે ગાઈડલાઇન તૈયાર કરવી જોઇએ. ઘણાં રાજ્યોમાં બુલડોઝર એક્શન એક રીતની ફેશન બની ગઇ છે અને તેને લઇ સરકારે અમુક ગાઇડલાઇન તૈયાર કરવાની રહેશે. આ રીતે ઘરો પર એક્શન ચલાવવું તો આર્ટિકલ 21 હેઠળ જીવનના અધિકારોનું ઉલ્લંઘન છે. સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ એડવોકેટ દુષ્યંત દવે આ મુદ્દો ઉઠાવ્યો અને બેંચને કહ્યું કે, આને લઇ નિયમો નક્કી કરવાની જરૂર છે. દવેએ એપ્રિલ 2022માં જહાંગીરપુરીમાં થયેલ બુલડોઝર એક્શન પર સુનાવણી કરી રહેલા જસ્ટિસ બીઆર ગવઈ અને પ્રશાંત કુમાર મિશ્રાની બેંચ સામે આ માગ કરી છે. જહાંગીરપુરીમાં એક્શન પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી હતી.

એક વર્ગને જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે

કોર્ટમાં આ ઉપરાંત પણ અન્ય ઘણી અરજીઓ પર સુનાવણી થઇ રહી છે. જેમાં અમુક મામલાઓમાં આરોપીઓના ઘરોને બુલડોઝર દ્વારા પાડી નાખવા પર સવાલ ઉભા કરવામાં આવ્યા છે. આ પહેલા પણ સુનાવણી દરમિયાન વરિષ્ઠ એડવોકેટ દુષ્યંત દવેએ આવા એક્શન પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, કોઇ આરોપીની ભૂલ પર તેનું ઘર તોડી પાડવું એ લોકોને પ્રભાવિત કરે છે, જેઓ આ મામલામાં સામેલ પણ નથી. માટે કોર્ટે અમુક નિયમ નક્કી કરી દેવા જોઇએ. આવી કાર્યવાહીઓ હેઠળ અમુક વર્ગને જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.

જોકે, વરિષ્ઠ એડવોકેટ દુષ્યંત દવેની આ વાત કાપતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, તમે ખોટા તથ્યો રજૂ કરી રહ્યા છો અને અધૂરી વાત કરી રહ્યા છો. તુષાર મહેતાએ કહ્યું કે, જહાંગીરપુરીમાં જ્યાં એક્શન લેવાયું, તેમાં મોટી સંખ્યાની વસતી હિંદુઓની છે. એમાંથી ઘણાં હિંદુ એવા હતા જેઓ બુલડોઝર એક્શનથી પ્રભાવિત થયા. આ મામલ હવે કોર્ટે આગળની સુનાવણી માટે આવતા બુધવારની તારીખ આપી છે. જણાવીએ કે, ગયા વર્ષે દિલ્હીના જહાંગીરપુરીમાં નવરાત્રી દરમિયાન હિંસક ઝડપ અને પથ્થરબાજીની ઘટના બની હતી. ત્યાર પછી નગર પાલિકાએ બુલડોઝર એક્શન લેવાનો નિર્ણય કર્યો હતો. આ કેસ જ્યારે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો તો ત્યાં એક્શન પર રોક લગાવી દેવામાં આવી હતી.

Related Posts

Top News

ગરીબ વ્યક્તિના હંમેશા 'ગરીબ' જ રહેવા પર રોબર્ટ કિયોસાકીએ FOMMને જવાબદાર બતાવ્યું

છેવટે, કોણ ધનવાન બનવા નથી માંગતું? પણ એ જરૂરી નથી કે દરેક વ્યક્તિ તે સ્તર સુધી પહોંચે. બચત...
Business 
ગરીબ વ્યક્તિના હંમેશા 'ગરીબ' જ રહેવા પર રોબર્ટ કિયોસાકીએ FOMMને જવાબદાર બતાવ્યું

દીપક હુડ્ડાને છોકરાઓમાં રસ છે, પત્ની સ્વીટી બોરાના આરોપો; વાયરલ વીડિયો પર આપી સ્પષ્ટતા

હરિયાણાના હિસારની રહેવાસી ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન બોક્સર સ્વીટી બોરા અને તેના પતિ દીપક હુડ્ડા વચ્ચેનો વિવાદ વધી રહ્યો છે. પોલીસમાં...
National 
દીપક હુડ્ડાને છોકરાઓમાં રસ છે, પત્ની સ્વીટી બોરાના આરોપો; વાયરલ વીડિયો પર આપી સ્પષ્ટતા

હિરોઈન જેવી સુંદર, તેજ દિમાગ-અંગત વકીલ, એલિના ન્યૂ જર્સીના વચગાળાના US એટર્ની નિયુક્ત

US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના અંગત વકીલ એલિના હુબ્બાને ન્યૂ જર્સીના વચગાળાના US એટર્ની તરીકે નિયુક્ત કર્યા છે. આ અંગે...
World 
હિરોઈન જેવી સુંદર, તેજ દિમાગ-અંગત વકીલ, એલિના ન્યૂ જર્સીના વચગાળાના US એટર્ની નિયુક્ત

આ 2 કામોથી કુણાલ કામરાની થાય છે જોરદાર કમાણી, હવે વિવાદોમાં ફસાયો, જાણો કેટલી છે તેની નેટવર્થ

કોમેડિયન કુણાલ કામરાનો વિવાદો સાથે જૂનો સંબંધ છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં, તે ઘણા દિવસ સુધી ચર્ચામાં રહ્યો હતો, સોશિયલ મીડિયા...
Entertainment 
આ 2 કામોથી કુણાલ કામરાની થાય છે જોરદાર કમાણી, હવે વિવાદોમાં ફસાયો, જાણો કેટલી છે તેની નેટવર્થ

Opinion

કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
(ઉત્કર્ષ પટેલ) કિશોરભાઈ વાંકાવાલા એ ગુજરાતના રાજકારણ અને સમાજસેવાના ક્ષેત્રમાં એક એવું નામ છે જે સુરત શહેરના નાગરિકોના હૃદયમાં આજે...
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
સુરતના રક્ષક: અનુપમસિંહ ગેહલોત-પરિવારના સદસ્યની જેમ સુરતીઓની કાળજી લેતા સાચા સંરક્ષક
હાર્દિક પટેલઃ આંદોલન સાથે અનેક ભૂલો કરી છતા સમાજ અને ભાજપે બધું ભૂલી આવકાર આપ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.