BJP સાંસદના ઘરેથી મળી આવ્યું દીકરાના મિત્રનું શવ

લખનૌમાં ભાજપા સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી કૌશલ કિશોરના ઘરેથી એક યુવકની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી. મૃતકનું નામ વિનય શ્રીવાસ્તવ હતું. તે મંત્રીના દીકરા વિકાસ કિશોરનો મિત્ર હતો. આ મર્ડર લાયસન્સ પિસ્તોલ વડે કરવામાં આવ્યું છે. જે મંત્રીના દીકરાના નામે રજિસ્ટર્ડ છે.

રિપોર્ટ અનુસાર, ઘટના બેગરિયા ગામની છે. અહીં મંત્રી કૌશલ કિશોરનું ઘર છે. પહેલી સપ્ટેમ્બરના રોજ સવારે સાડા ચાર વાગ્યે ઘરમાં વિનય શ્રીવાસ્તવની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. શવને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું છે. પોલીસે ત્રણ લોકોને કસ્ટડીમાં લઇ લીધા છે.

DCP વેસ્ટ લખનૌ રાહુલ રાજે કહ્યું, વિનય શ્રીવાસ્તવનું ગોળી લાગવાથી મોત થયું છે. તેના માથા પર ઈંજરીનો નિશાન છે. ઘરે સાથે 6 લોકો આવ્યા હતા. રાતે ખાવા-પીવાનું થયું હતું. ત્યાર પછી ગોળી ચલાવાઇ છે. પિસ્તોલ મળી ગઇ છે. જે વિકાસ કિશોરની છે. તપાસ કરવામાં આવી રહી છે. સીસીટીવી ફૂટેજ જોવામાં આવશે.

આ મામલાને લઇ મંત્રી કૌશલ કિશોરે કહ્યું કે, ઘટના સમયે તેમનો દીકરો ઘરે નહોતો. પોલીસે તપાસ શરૂ કરી છે. જે પણ દોષી છે તેમની સામે કાર્યવાહી થશે. મને જ્યારે ખબર પડી તો મેં પોલીસ કમિશ્નરને સૂચના આપી. ઘરે કોણ કોણ હતું તે મને ખબર નથી. પણ મારો દીકરો નહોતો. વિકાસ દિલ્હી ગયો હતો. પોલીસે તેના મિત્રો અને ત્યાં મોજૂદ લોકોને કસ્ટડીમાં લઇ લીધા છે. મૃતક વિનય, મારા દીકરાનો ખૂબ જ સારો મિત્ર હતો. અમે પરિવારની સાથે છીએ.

મૃતક વિનયના ભાઈએ કહ્યું કે, ઘટના સમયે 3 લોકો હાજર હતા. અજય રાવત, શમીમ બાબા અને અંકિત વર્મા. મને લાગી રહ્યું છે કે ઝઘડો થયો ત્યાર પછી હત્યા કરી દેવામાં આવી. મંત્રીજી ના દીકરા વિકાસ કિશોરનું ઘર હતું. મારો ભાઈ તેમની સાથે રહેતો હતો. ગોળી જ્યારે ચલાવવામાં આવી ત્યારે વિકાસ કિશોર મોજૂદ નહોતા અને પિસ્તોલ તેમની છે.

આ ઘટના સામે આવ્યા પછી વિપક્ષે ભાજપા પર હુમલો કર્યો છે. કોંગ્રેસે કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીએ પોતાના મંત્રિમંડળમાં એક એક નગીના સામેલ કર્યા છે. આ પહેલા તમે જોયું હશે કે પ્રધાનમંત્રી મોદીના એક મંત્રીના દીકરાએ ખેડૂતો પર થાર ચલાવી હતી. હવે બીજા મંત્રીના ઘરે હત્યા થઇ રહી છે.

About The Author

Related Posts

Top News

ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

હરિયાણાના નૂહ જિલ્લાનું સિરોલી ગામ. વસ્તીની દ્રષ્ટિએ, આ ગામ મુસ્લિમ બહુમતી ધરાવતું છે. 3,296 મતદારોમાંથી 250 હિન્દુ મતદારો છે....
National 
ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીસાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગેને ગદ્દાર કહ્યા હતા અને કહ્યું હતું કે, ભારતમાં  બાબરને લાવનાર...
National 
રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

ગયા સોમવારે, ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક ગુરુ પોપ ફ્રાન્સિસના મૃત્યુના સમાચારથી વિશ્વભરના ખ્રિસ્તી સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ. એક તરફ...
Entertainment 
પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રૉયલ્સ (RR)નું ખરાબ પ્રદર્શન યથાવત છે. 24 એપ્રિલ (ગુરુવાર)ના...
Sports 
‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.