BJP સાંસદના ઘરેથી મળી આવ્યું દીકરાના મિત્રનું શવ

લખનૌમાં ભાજપા સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી કૌશલ કિશોરના ઘરેથી એક યુવકની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી. મૃતકનું નામ વિનય શ્રીવાસ્તવ હતું. તે મંત્રીના દીકરા વિકાસ કિશોરનો મિત્ર હતો. આ મર્ડર લાયસન્સ પિસ્તોલ વડે કરવામાં આવ્યું છે. જે મંત્રીના દીકરાના નામે રજિસ્ટર્ડ છે.

રિપોર્ટ અનુસાર, ઘટના બેગરિયા ગામની છે. અહીં મંત્રી કૌશલ કિશોરનું ઘર છે. પહેલી સપ્ટેમ્બરના રોજ સવારે સાડા ચાર વાગ્યે ઘરમાં વિનય શ્રીવાસ્તવની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. શવને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું છે. પોલીસે ત્રણ લોકોને કસ્ટડીમાં લઇ લીધા છે.

DCP વેસ્ટ લખનૌ રાહુલ રાજે કહ્યું, વિનય શ્રીવાસ્તવનું ગોળી લાગવાથી મોત થયું છે. તેના માથા પર ઈંજરીનો નિશાન છે. ઘરે સાથે 6 લોકો આવ્યા હતા. રાતે ખાવા-પીવાનું થયું હતું. ત્યાર પછી ગોળી ચલાવાઇ છે. પિસ્તોલ મળી ગઇ છે. જે વિકાસ કિશોરની છે. તપાસ કરવામાં આવી રહી છે. સીસીટીવી ફૂટેજ જોવામાં આવશે.

આ મામલાને લઇ મંત્રી કૌશલ કિશોરે કહ્યું કે, ઘટના સમયે તેમનો દીકરો ઘરે નહોતો. પોલીસે તપાસ શરૂ કરી છે. જે પણ દોષી છે તેમની સામે કાર્યવાહી થશે. મને જ્યારે ખબર પડી તો મેં પોલીસ કમિશ્નરને સૂચના આપી. ઘરે કોણ કોણ હતું તે મને ખબર નથી. પણ મારો દીકરો નહોતો. વિકાસ દિલ્હી ગયો હતો. પોલીસે તેના મિત્રો અને ત્યાં મોજૂદ લોકોને કસ્ટડીમાં લઇ લીધા છે. મૃતક વિનય, મારા દીકરાનો ખૂબ જ સારો મિત્ર હતો. અમે પરિવારની સાથે છીએ.

મૃતક વિનયના ભાઈએ કહ્યું કે, ઘટના સમયે 3 લોકો હાજર હતા. અજય રાવત, શમીમ બાબા અને અંકિત વર્મા. મને લાગી રહ્યું છે કે ઝઘડો થયો ત્યાર પછી હત્યા કરી દેવામાં આવી. મંત્રીજી ના દીકરા વિકાસ કિશોરનું ઘર હતું. મારો ભાઈ તેમની સાથે રહેતો હતો. ગોળી જ્યારે ચલાવવામાં આવી ત્યારે વિકાસ કિશોર મોજૂદ નહોતા અને પિસ્તોલ તેમની છે.

આ ઘટના સામે આવ્યા પછી વિપક્ષે ભાજપા પર હુમલો કર્યો છે. કોંગ્રેસે કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીએ પોતાના મંત્રિમંડળમાં એક એક નગીના સામેલ કર્યા છે. આ પહેલા તમે જોયું હશે કે પ્રધાનમંત્રી મોદીના એક મંત્રીના દીકરાએ ખેડૂતો પર થાર ચલાવી હતી. હવે બીજા મંત્રીના ઘરે હત્યા થઇ રહી છે.

About The Author

Top News

લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના...
Gujarat 
લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

જમીન એનએ કરવાના કેસમાં કરોડો રૂપિયાની લાંચ લેવાના આરોપસર જેલવાસ ભોગવી રહેલા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલને સ્પેશિયલ પીએમએલએ કોર્ટે જામીન...
Gujarat 
એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

AAP સાંસદ રાઘવ ચઢ્ઢાનો રાજ્યસભામાં સવાલ- મોબાઈલમાં 12 મહિનામાં 13 વાર રિચાર્જ કેમ કરવું પડે છે, ઇનકમિંગ કોલ્સ કેમ બંધ થાય છે?

મોબાઇલ રિચાર્જ અંગે દેશમાં એક નવો વિવાદ ઉભો થયો છે. રાજ્યસભામાં આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ રાઘવ ચઢ્ઢાએ...
Politics 
AAP સાંસદ રાઘવ ચઢ્ઢાનો રાજ્યસભામાં સવાલ- મોબાઈલમાં 12 મહિનામાં 13 વાર રિચાર્જ કેમ કરવું પડે છે, ઇનકમિંગ કોલ્સ કેમ બંધ થાય છે?

શ્રી શુક્લેશ્વર મહાદેવ મંદિર ધામ ખાતે એડવોકેટ શ્રેયસ દેસાઇ પરિવાર તરફથી ફરીથી દર્શન પથના નિર્માણ માટે 2.5 લાખનું દાન

સુરત. સુરત શહેરથી 80 કિ. મી. ના અંતરે અનાવલ ગામ સ્થિત પ્રસિદ્ધ શ્રી શુક્લેશ્વર મહાદેવ મંદિર ધામ ખાતે “શ્રીમતી ગજરાબેન...
Gujarat 
શ્રી શુક્લેશ્વર મહાદેવ મંદિર ધામ ખાતે એડવોકેટ શ્રેયસ દેસાઇ પરિવાર તરફથી ફરીથી દર્શન પથના નિર્માણ માટે 2.5 લાખનું દાન

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.