મારુતિના ચેરમેને કહ્યું- સરકારે બિઝનેસ ન કરવો જોઈએ,પબ્લિક સેક્ટરની કંપનીઓ અસક્ષમ

સરકારે વ્યવસાય ન કરવો જોઈએ. કેમ કે, સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓ અસક્ષમ છે. પોતાની વૃદ્ધિ માટે પર્યાપ્ત સંસાધન એકત્રિત કરી શકતા નથી. મારુતિ સુઝુકી ઈન્ડિયાના ચેરમેન આર સી ભાર્ગવે આ વાત કહી છે.  તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓને વૃદ્ધિ માટે દરેક સમયે સમર્થનની જરૂર છે. નાણા રોકાણ માટે સરકાર પાસેથી પૈસાની જરૂર હોય છે.

તેમણે કહ્યું કે, ‘મને આમાં કોઈ શંકા નથી કે, સરકારે બિઝનેસમાં ન હોવું જોઈએ. કોઈ પણ સ્થિતિમાં નહીં.’ તેમણે પૂછવામાં આવ્યું હતું કે, તાત્કાલીક સરકારી માલિકીની મારુતિ ઉદ્યોગ લિમિટેડનું મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડમાં બદલવાના તેમના અનુભવ અનુસાર, શું સરકારે વ્યવસાય કરવો જોઈએ? મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ હવે જાપાનના સુઝુકી મોટર કોર્પોરેશનની માલિકી છે.

સરકારી કંપનીઓ કુશળ નથી

તેમણે આગળ કહ્યું કે, ‘વાસ્તવિકતા આ છે કે, સરકાર દ્વારા ચલાવવામાં આવતી કંપનીઓ કુશળ નથી, તેમની પાસે ઉત્પાદકતા નથી, તેઓ નફો નિર્માણ કરી શકતી નથી, તે સંસાધાન ભેગું કરી શકતી નથી, તે આગળ વધતી નથી. તેમને વૃદ્ધિ માટે હંમેશાં સરકારના સમર્થનની જરૂર હોય છે.’ ભાર્ગવે ભાર આપ્યો કે, ‘તમે ટેક્સેશનથી ઔદ્યોગિક વૃદ્ધિ નથી કરી શકતા. ઔદ્યોગિક વૃદ્ધિ આંતરિક સંસાધનોથી થાય છે અને કોઈ પણ કંપનીએ સંપત્તિ બનાવવી જોઈએ અને પૈસાનો વ્યય ન થવો જોઈએ.’

સાર્વજનિક ક્ષેત્રની નિષ્ફળતા દરેક દેશમાં

તેમણે કહ્યું કે, ‘સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓનું સમર્થન કરવા માટે કરદાતાઓના પૈસાનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ.’ તેમણે તાત્કાલીન મારુતિ ઉદ્યોગ લિમિટેડનું ઉદાહરણ આપતા કહ્યું કે, તે સમયે અમને અનેક ગેર-મૂલ્ય વર્ધિત પ્રવૃત્તિઓ કરવાની રહેતી હતી, જેમણે કંપનીને આગળ વધતા અટકાવી. ભાર્ગવે કહ્યું કે, સાર્વજનિક ક્ષેત્રની નિષ્ફળતા માત્ર ભારતમાં જ નથી થઇ, પણ રશિયા બ્રિટન, ફ્રાન્સ અને જાપાનમાં પણ આવું જોવા મળ્યું.

ભાર્ગવે કહ્યું કે, મારુતિ અનેક બદલાવ પણ કરવા જઈ રહી છે. સંગઠનાત્મક બદલાવ પણ થશે. તેમણે કહ્યું કે, મારુતિના વૈશ્વિક ઉત્પાદનમાં મારુતિ ઈન્ડિયાનું યોગદાન 60 ટકાથી વધુ થઇ ગયું છે.

તેમણે આ પણ કહ્યું કે, કંપની બાયો મીથેનાઇલ ગેસ ઇંધણ ક્ષેત્રમાં પ્રવેશ કરવા માટે પોતાની રણનીતિ તૈયાર કરશે. ગાંધીનગરમાં 28 ઓગસ્ટે કંપનીના ચાર દશક પૂર્ણ થવાના અવસરે થયેલા સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સલાહ આપી હતી.  

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.