મંત્રીએ રસ્તા પર પગ મૂકતા નવો બનાવાયેલો રસ્તો તૂટી ગયો, ગુસ્સે થઈ સ્થળ પર જ...

સરકારી બાંધકામમાં ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સતના જિલ્લાના રાયગાંવ વિધાનસભા મતવિસ્તારમાં, શહેરી વિકાસ અને ગૃહનિર્માણ રાજ્યમંત્રી પ્રતિમા બાગરીના પગના ભારથી એક નવો બનેલો ડામરનો રસ્તો તૂટી ગયો. રસ્તાની દુર્દશા જોઈને મંત્રી ગુસ્સેથી લાલચોળ થઇ ગયા. તેમણે PWD એક્ઝિક્યુટિવ એન્જિનિયરને ઠપકો આપ્યો અને કોન્ટ્રાક્ટર રાજેશ કૈલાનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક રદ કરવાનો આદેશ આપ્યો. આ સાથે જ તેમણે એન્જિનિયરને અલ્ટીમેટમ પણ આપ્યું કે, જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ સીધા PWD મંત્રીને ફરિયાદ કરશે.

આખો મામલો જિલ્લાના કોઠી તાલુકામાં પોડી-માનકહારી રસ્તાને લગતો હતો. આ લગભગ 3 કિલોમીટર લાંબો રસ્તો PWD દ્વારા બનાવવામાં આવી રહ્યો હતો. મંત્રી પ્રતિમા બાગરી કોઠી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે નવો રસ્તો બનાવાયેલો દેખાતા તેમણે પોતાની કાર રોકી. મંત્રીએ પોતાની કારમાંથી ઉતરીને જેવો રસ્તા પર પગ મુક્યો કે તરત જ ડામરનું ઉપરનું પડ 'પાપડ'ની જેમ તૂટી ગયું.

Pratima Bagri
saahassamachar.in

મંત્રીએ કહ્યું, 'મારા પગ મુકવાથી જ જો સડક તૂટી ગઈ તો, આ રસ્તો ભારે વાહનોના ભારણને કેવી રીતે સહન કરી શકે? આ બાંધકામ નથી કરાયું, તે ઉપરથી ફક્ત લપેડા જ કરવામાં આવ્યા છે.' નિરીક્ષણ દરમિયાન, મંત્રીએ કહ્યું કે, રસ્તો જ માન્ય ધારા ધોરણ વિરુદ્ધ બનાવવામાં આવ્યો હતો. તેમણે ઇજનેરને ઠપકો આપતા પૂછ્યું, 'તમારી દેખરેખ હેઠળ આટલું ખરાબ કામ કેવી રીતે થઈ શકે? જે સબ-ઇજનેરોએ તેનું નિરીક્ષણ કરવાનું હતું, તેઓ ક્યાં ગયા હતા?'

રાજ્યમંત્રી પ્રતિમા બાગરીએ જણાવ્યું કે, રાજેશ કૈલા આ રસ્તાના કોન્ટ્રાક્ટર હોવાનું કહેવાય છે. કાર્યકારી ઇજનેરને તાત્કાલિક કોન્ટ્રાક્ટરનું ટેન્ડર રદ કરવાની સૂચના આપવામાં આવી છે. તેમણે કાર્યકારી ઇજનેરને તે ઇજનેર સામે કાર્યવાહી કરવાનો પણ નિર્દેશ આપ્યો છે જેણે રસ્તો બનાવવાની મંજૂરી આપી હતી, પરંતુ તેનું નિરીક્ષણ કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

તેમણે કહ્યું, 'મેં અધિકારીઓને સૂચના આપી છે. જો તેઓ પગલાં નહીં લે, તો અમે મંત્રીને સંબંધિત અધિકારી સામે કાર્યવાહી કરવા વિનંતી કરીશું.' મંત્રીના ઓચિંતા નિરીક્ષણ અને કડક કાર્યવાહી પછી, જિલ્લાના બાંધકામ વિભાગો અને કોન્ટ્રાક્ટરોમાં ગભરાટ ફેલાયો છે.

Pratima Bagri
etvbharat.com

મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા અભિનવ બારોલીયાએ આ મુદ્દે BJP સરકારની ટીકા કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, 'મધ્યપ્રદેશના મંત્રી ખરાબ રસ્તાઓ પર પોતાની જ BJP સરકાર પર સવાલ ઉઠાવી રહ્યા છે.'

આ ઘટના કોઠી તાલુકામાં બની હતી, જ્યાં પોડીથી માનકહરી સુધીનો લગભગ 3 કિલોમીટરનો રસ્તો બનાવવામાં આવ્યો હતો. રસ્તાના નવીનીકરણના કામને કારણે રસ્તો કાદવ જેવો ઉખડી ગયો છે. પગની ઠોકર લાગવાથી પણ રસ્તાના ઉપરના પડ ઉખડી ગયા હોવાથી રાજ્યમંત્રી ગુસ્સે ભરાયા હતા. જ્યારે બાગરીએ સ્થળ પર હાજર કાર્યકારી ઇજનેરને રસ્તા અંગે પૂછપરછ કરી, ત્યારે ઇજનેરે આ મુદ્દાને ટાળવાનો પ્રયાસ કર્યો, જેનાથી મંત્રી ગુસ્સે થયા. બાગરીએ કાર્યકારી ઇજનેરને ઠપકો આપ્યો અને કોન્ટ્રાક્ટને રદ કરવાનો આદેશ આપ્યો.

About The Author

Related Posts

Top News

શું પરિવાર તરફથી ગિફ્ટમાં મળેલી મિલકત પર ટેક્સ આપવો પડે? ટ્રીબ્યુનલનો ચુકાદો જાણો

દિલ્હીની ઇન્કમટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હિંદુ ફેમીલી સેટલમેન્ટ હેઠળ ગિફ્ટ આપવામાં આવેલી મિલ્કત ટ્રાન્સફરની વ્યાખ્યામાં આવતી...
National 
શું પરિવાર તરફથી ગિફ્ટમાં મળેલી મિલકત પર ટેક્સ આપવો પડે? ટ્રીબ્યુનલનો ચુકાદો જાણો

દુનિયાના સૌથી ખુશાલ દેશમાં ભારતીય ઉદ્યોગપતિ કેમ દુઃખી? કંપની વેચીને ભારત ફરવું પડ્યું; કારણ પણ જણાવ્યું

સ્વીડનમાં એક સફળ સ્ટાર્ટઅપ ઊભું કરનાર ભારતીય ઉદ્યોગસાહસિક અભિજીત નાગ બાલાસુબ્રમણ્યમને આખરે પોતાના સપનાનો દેશ છોડવો પડી રહ્યો છે. હાઇડ્રો...
World 
દુનિયાના સૌથી ખુશાલ દેશમાં ભારતીય ઉદ્યોગપતિ કેમ દુઃખી? કંપની વેચીને ભારત ફરવું પડ્યું; કારણ પણ જણાવ્યું

‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ

બોલિવુડ અભિનેતા રાજપાલ યાદવે છેલ્લા 2 દિવસમાં તેના 9 કરોડ રૂપિયાના ચેક બાઉન્સ કેસ વિશે ઘણી વાતો કહી નાખી. તેણે...
Entertainment 
‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ

અમેરિકા માટે ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો રસ્તો સરળ નથી; ઈરાની લોકો...

US-ઇઝરાયલી હુમલાઓને કારણે ઈરાનમાં થયેલા વિસ્ફોટોએ ફરી એકવાર પશ્ચિમ એશિયાને યુદ્ધમાં ધકેલી દીધું છે. આ સંયુક્ત હુમલાઓએ પ્રશ્ન ઉઠાવ્યો...
World 
અમેરિકા માટે ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો રસ્તો સરળ નથી; ઈરાની લોકો...

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.