મંત્રીએ રસ્તા પર પગ મૂકતા નવો બનાવાયેલો રસ્તો તૂટી ગયો, ગુસ્સે થઈ સ્થળ પર જ...

સરકારી બાંધકામમાં ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સતના જિલ્લાના રાયગાંવ વિધાનસભા મતવિસ્તારમાં, શહેરી વિકાસ અને ગૃહનિર્માણ રાજ્યમંત્રી પ્રતિમા બાગરીના પગના ભારથી એક નવો બનેલો ડામરનો રસ્તો તૂટી ગયો. રસ્તાની દુર્દશા જોઈને મંત્રી ગુસ્સેથી લાલચોળ થઇ ગયા. તેમણે PWD એક્ઝિક્યુટિવ એન્જિનિયરને ઠપકો આપ્યો અને કોન્ટ્રાક્ટર રાજેશ કૈલાનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક રદ કરવાનો આદેશ આપ્યો. આ સાથે જ તેમણે એન્જિનિયરને અલ્ટીમેટમ પણ આપ્યું કે, જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ સીધા PWD મંત્રીને ફરિયાદ કરશે.

આખો મામલો જિલ્લાના કોઠી તાલુકામાં પોડી-માનકહારી રસ્તાને લગતો હતો. આ લગભગ 3 કિલોમીટર લાંબો રસ્તો PWD દ્વારા બનાવવામાં આવી રહ્યો હતો. મંત્રી પ્રતિમા બાગરી કોઠી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે નવો રસ્તો બનાવાયેલો દેખાતા તેમણે પોતાની કાર રોકી. મંત્રીએ પોતાની કારમાંથી ઉતરીને જેવો રસ્તા પર પગ મુક્યો કે તરત જ ડામરનું ઉપરનું પડ 'પાપડ'ની જેમ તૂટી ગયું.

Pratima Bagri
saahassamachar.in

મંત્રીએ કહ્યું, 'મારા પગ મુકવાથી જ જો સડક તૂટી ગઈ તો, આ રસ્તો ભારે વાહનોના ભારણને કેવી રીતે સહન કરી શકે? આ બાંધકામ નથી કરાયું, તે ઉપરથી ફક્ત લપેડા જ કરવામાં આવ્યા છે.' નિરીક્ષણ દરમિયાન, મંત્રીએ કહ્યું કે, રસ્તો જ માન્ય ધારા ધોરણ વિરુદ્ધ બનાવવામાં આવ્યો હતો. તેમણે ઇજનેરને ઠપકો આપતા પૂછ્યું, 'તમારી દેખરેખ હેઠળ આટલું ખરાબ કામ કેવી રીતે થઈ શકે? જે સબ-ઇજનેરોએ તેનું નિરીક્ષણ કરવાનું હતું, તેઓ ક્યાં ગયા હતા?'

રાજ્યમંત્રી પ્રતિમા બાગરીએ જણાવ્યું કે, રાજેશ કૈલા આ રસ્તાના કોન્ટ્રાક્ટર હોવાનું કહેવાય છે. કાર્યકારી ઇજનેરને તાત્કાલિક કોન્ટ્રાક્ટરનું ટેન્ડર રદ કરવાની સૂચના આપવામાં આવી છે. તેમણે કાર્યકારી ઇજનેરને તે ઇજનેર સામે કાર્યવાહી કરવાનો પણ નિર્દેશ આપ્યો છે જેણે રસ્તો બનાવવાની મંજૂરી આપી હતી, પરંતુ તેનું નિરીક્ષણ કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

તેમણે કહ્યું, 'મેં અધિકારીઓને સૂચના આપી છે. જો તેઓ પગલાં નહીં લે, તો અમે મંત્રીને સંબંધિત અધિકારી સામે કાર્યવાહી કરવા વિનંતી કરીશું.' મંત્રીના ઓચિંતા નિરીક્ષણ અને કડક કાર્યવાહી પછી, જિલ્લાના બાંધકામ વિભાગો અને કોન્ટ્રાક્ટરોમાં ગભરાટ ફેલાયો છે.

Pratima Bagri
etvbharat.com

મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા અભિનવ બારોલીયાએ આ મુદ્દે BJP સરકારની ટીકા કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, 'મધ્યપ્રદેશના મંત્રી ખરાબ રસ્તાઓ પર પોતાની જ BJP સરકાર પર સવાલ ઉઠાવી રહ્યા છે.'

આ ઘટના કોઠી તાલુકામાં બની હતી, જ્યાં પોડીથી માનકહરી સુધીનો લગભગ 3 કિલોમીટરનો રસ્તો બનાવવામાં આવ્યો હતો. રસ્તાના નવીનીકરણના કામને કારણે રસ્તો કાદવ જેવો ઉખડી ગયો છે. પગની ઠોકર લાગવાથી પણ રસ્તાના ઉપરના પડ ઉખડી ગયા હોવાથી રાજ્યમંત્રી ગુસ્સે ભરાયા હતા. જ્યારે બાગરીએ સ્થળ પર હાજર કાર્યકારી ઇજનેરને રસ્તા અંગે પૂછપરછ કરી, ત્યારે ઇજનેરે આ મુદ્દાને ટાળવાનો પ્રયાસ કર્યો, જેનાથી મંત્રી ગુસ્સે થયા. બાગરીએ કાર્યકારી ઇજનેરને ઠપકો આપ્યો અને કોન્ટ્રાક્ટને રદ કરવાનો આદેશ આપ્યો.

About The Author

Related Posts

Top News

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી સામે આવેલો આ કિસ્સો થ્રીલર ફિલ્મ જેવો લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એક એવું નાટક...
National 
નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

કચ્છના તળાવોને મળ્યો મજબૂત આધાર: કલેક્ટર અને મહેસૂલ ટીમનું એક અભિનંદનીય પગલું

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના કચ્છ જિલ્લામાં પાણી એ જીવનરેખા રૂપ છે. સૂકી ધરતી પર વરસાદી પાણીનું એકએક ટીપું અમૂલ્ય...
Gujarat 
કચ્છના તળાવોને મળ્યો મજબૂત આધાર: કલેક્ટર અને મહેસૂલ ટીમનું એક અભિનંદનીય પગલું

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.