પાણીપુરી ખાધા બાદ 20થી વધુ બાળકો હોસ્પિટલમાં દાખલ

તેલંગાણાના એક જિલ્લામાં પાણીપુરી ખાધા બાદ 20થી વધુ બાળકોને ફૂડ પોઇઝનિંગ થવાની આશંકાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક લારીવાળા પાસેથી પાણીપુરી ખાધા બાદ બાળકોની તબિયત લથડી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

મળતી માહિતી મુજબ, રાજન્ના સિરસિલા જિલ્લામાં સોમવારે સાંજે આ બાળકોએ એક સ્થાનિક ફેરિયા પાસેથી પાણીપુરી ખાધી હતી. સ્થાનિક રહેવાસીઓ અને વાલીઓના જણાવ્યા અનુસાર, મંગળવારની વહેલી સવારથી જ કેટલાક બાળકોને પેટમાં દુખાવો, ઝાડા-ઊલટી જેવા લક્ષણો દેખાવાના શરૂ થયા હતા.

01

જેમ જેમ અસગ્રસ્ત બાળકોની સંખ્યા વધવા લાગી, તેમ તેમ ગભરાયેલા વાલીઓ પોતાના બાળકોને સારવાર માટે તાત્કાલિક જિલ્લા સરકારી હોસ્પિટલ અને વિવિધ ખાનગી હોસ્પિટલોમાં લઈ દોડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, મંગળવારે સવારથી જ બાળકોની તબિયત એક પછી એક બગડવા લાગી હતી અને સાંજ સુધીમાં હોસ્પિટલમાં દાખલ થનારા બાળકોનો આંકડો 20ને પાર પહોંચી ગયો હતો.

બાળકોના વાલીઓનો દાવો છે કે આ બીમારી સોમવારે સાંજે ખાધેલી પાણીપુરીના કારણે જ થઈ છે. જો કે, તબીબી અને વહીવટી અધિકારીઓએ હજુ સુધી આ બાબતે સત્તાવાર રીતે ચોક્કસ કારણની પુષ્ટિ કરી નથી.

તબીબી સત્તાવાળાઓ હાલમાં તમામ બાળકોની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. આ બીમારી દૂષિત ખોરાકને કારણે થઈ છે કે અન્ય કોઈ કારણોસર, તે જાણવા માટે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. રાહતની વાત એ છે કે, હાલમાં મોટાભાગના બાળકો સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

02

આ શંકાસ્પદ ફૂડ પોઇઝનિંગની ઘટનાનું ચોક્કસ કારણ શોધવા માટે વહીવટીતંત્ર દ્વારા ટૂંક સમયમાં જ ખાદ્ય પદાર્થોના સેમ્પલ એકત્રિત કરવામાં આવે અને તેને લેબોરેટરી ટેસ્ટ માટે મોકલવામાં આવે તેવી શક્યતા છે.

About The Author

Related Posts

Top News

જબરા નંગ ભર્યા છે... સુરતના યુવકે પોતાના જ પરિવાર પાસેથી 50 લાખ પડાવવા માટે એવું કારસ્તાન રચ્યું કે તમે પણ માથું પકડી લેશો

સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા એક યુવકે પોતાના જ પરિવાર પાસેથી 50 લાખ પડાવવા માટે ફિલ્મી સ્ટાઈલમાં કારસ્તાન રચ્યું હતું....
Gujarat 
જબરા નંગ ભર્યા છે... સુરતના યુવકે પોતાના જ પરિવાર પાસેથી 50 લાખ પડાવવા માટે એવું કારસ્તાન રચ્યું કે તમે પણ માથું પકડી લેશો

પાણીપુરી ખાધા બાદ 20થી વધુ બાળકો હોસ્પિટલમાં દાખલ

તેલંગાણાના એક જિલ્લામાં પાણીપુરી ખાધા બાદ 20થી વધુ બાળકોને ફૂડ પોઇઝનિંગ થવાની આશંકાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક...
National 
પાણીપુરી ખાધા બાદ 20થી વધુ બાળકો હોસ્પિટલમાં દાખલ

ધોરણ 1-8ના નવા પાઠ્યપુસ્તકોમાં 1678 ભૂલો, ન્યૂટનને ગણાવ્યા 'મહાન પાયલોટ'; ભાજપ સરકારે આપ્યા તપાસના આદેશ

ઓડિશા સરકાર દ્વારા સરકારી શાળાઓ માટે તૈયાર કરાયેલા ધોરણ 1-8ના નવા પાઠ્યપુસ્તકોમાં 1678 ભૂલો મળી આવ્યા બાદ રાજ્યની શિક્ષણ પ્રણાલી...
Education 
ધોરણ 1-8ના નવા પાઠ્યપુસ્તકોમાં 1678 ભૂલો, ન્યૂટનને ગણાવ્યા 'મહાન પાયલોટ'; ભાજપ સરકારે આપ્યા તપાસના આદેશ

300 અબજ ડૉલરનું ભંડોળ, 60 દિવસ ટોલ-ફ્રી હોર્મુઝ... અમેરિકા-ઈરાન શાંતિ કરારના 14 મુદ્દાઓમાં શું-શું છે

અમેરિકાએ તાજેતરમાં ઈરાન સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા હતા. બંને દેશો વચ્ચે લગભગ ચાર મહિનાથી ચાલી રહેલા...
World 
300 અબજ ડૉલરનું ભંડોળ, 60 દિવસ ટોલ-ફ્રી હોર્મુઝ... અમેરિકા-ઈરાન શાંતિ કરારના 14 મુદ્દાઓમાં શું-શું છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.