‘બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો સંભવ નથી’, માંઝીના નિવેદને વધાર્યો રાજકીય પારો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકે કામ કરનારા બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીના એક નિવેદને રાજકીય ગરમાવો લાવી દીધો છે. જીતન રામ માંઝીએ કહ્યું કે, બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો સંભવ નથી. નીતિ આયોગે શરૂઆતમાં જ સ્પષ્ટ કર્યું છે કે હવે કોઈ પણ રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનું સંભવ નથી, પરંતુ કેન્દ્ર બિહારને વિશેષ મદદ કરવા માટે હંમેશાં તત્પર છે.

જીતન રામ માંઝીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર પૂર્વોત્તરના રાજ્યોમાં રોડની જાળ બિછાવી રહી છે. આ વિસ્તારોના સમગ્ર વિકાસ માટે મોટા પ્રમાણમાં પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે જે પહેલા ક્યારેય થયા નથી. NDAની સરકાર બિહારના પણ તીવ્ર વિકાસની પક્ષધર છે અને એ દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. તો NDAના સહયોગી સાંસદ સહ પાર્ટીના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ સંજય ઝાથી લઈને બિહારમાં JDU કોટાના મંત્રી શ્રવણ કુમાર સુધી એક સૂરમાં એમ કહી રહ્યા છે કે આ અમારી પાર્ટીની સૌથી મજબૂત અને મહત્ત્વની માગ છે.

અમે પોતાની આ માગ સમય સમય પર ઉઠાવતા રહ્યા છીએ. અમને આશા છે કે કેન્દ્ર સરકાર આ વખત તેના પર વિચાર જરૂર કરશે કેમ કે જો બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળે છે તો ન માત્ર બિહારનો ચારેય તરફી વિકાસ થશે, પરંતુ બિહારમાં કાલે કારખાનાથી લઈને નવી ઉદ્યોગ નીતિ લાગૂ થશે, જેનો ફાયદો આખા બિહાર અને બિહારવાસીઓને મળશે. બિહારાથી પલાયન પણ રોકાશે.

બીજી તરફ JDUની માગનું સમર્થન બિહાર ભાજપના નેતા પણ કરે છે. ભાજપ કોટાથી નીતિશ સરકારમાં નાયબ મુખ્યમંત્રીના રૂપમાં કામ કરી રહેલા સમ્રાટ ચૌધરી અને વિજય સિંહ પણ આ માગને લઈને હાલમાં કેન્દ્ર સરકારનો દરવાજો ખખડવીને પટના ફર્યા છે. સમ્રાટ ચૌધરીએ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી. મુલાકાત બાદ પટના ફરેલા નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી કહે છે કે વિશેષ રાજ્ય કે વિશેષ પેકેજ મળ્યા બાદ જ બિહારની સ્થિતિમાં સુધાર આવશે. બિહાર જે વિચાર સાથે આગળ વધવા માગે છે વધી શકશે.

તો વિજય સિંહાનુ પણ કહેવું છે કે બિહારને ગતિ આપવા માટે વિશેષ સહાયતાની ખૂબ જરૂરિયાત છે. બીજી તરફ બિહારના વિશેષ રાજ્યની માગને લઈને NDA ઘટકદળ વચ્ચે અલગ અલગ થઈ રહેલી નિવેદનબાજી વચ્ચે RJDના વરિષ્ઠ નેતા અને મનેર વિધાનસભા સીટના ધારાસભ્ય ભાઈ વીરેન્દ્રએ મોટી વાત કહી દીધી છે. તેમણે કહ્યું કે, આ લોકો બિહારને વિશેષ રાજ્યના દરજ્જાના મામલે વર્ષોથી નાટક કરી રહ્યા છે.

અમે આ વાત એટલે કહી રહ્યા છીએ કેમ કે જેમણે આપવાનું છે અને જે માગી રહ્યા છે એ બંને જ કેન્દ્રની સરકારમાં સામેલ છે. આમ આ અમારી પાર્ટીની પણ જૂની માગ છે. તો પોતાની વાતને રાખવા દરમિયાન ભાઈ વિરેન્દ્રએ નીતિશ કુમારને એક સલાહ આપી નાખી કે મુખ્યમંત્રી નીતિશ કુમારે પોતાનું સમર્થન પાછું લઈ લેવું જોઈએ.

About The Author

Related Posts

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.