‘બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો સંભવ નથી’, માંઝીના નિવેદને વધાર્યો રાજકીય પારો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકે કામ કરનારા બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીના એક નિવેદને રાજકીય ગરમાવો લાવી દીધો છે. જીતન રામ માંઝીએ કહ્યું કે, બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો સંભવ નથી. નીતિ આયોગે શરૂઆતમાં જ સ્પષ્ટ કર્યું છે કે હવે કોઈ પણ રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનું સંભવ નથી, પરંતુ કેન્દ્ર બિહારને વિશેષ મદદ કરવા માટે હંમેશાં તત્પર છે.

જીતન રામ માંઝીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર પૂર્વોત્તરના રાજ્યોમાં રોડની જાળ બિછાવી રહી છે. આ વિસ્તારોના સમગ્ર વિકાસ માટે મોટા પ્રમાણમાં પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે જે પહેલા ક્યારેય થયા નથી. NDAની સરકાર બિહારના પણ તીવ્ર વિકાસની પક્ષધર છે અને એ દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. તો NDAના સહયોગી સાંસદ સહ પાર્ટીના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ સંજય ઝાથી લઈને બિહારમાં JDU કોટાના મંત્રી શ્રવણ કુમાર સુધી એક સૂરમાં એમ કહી રહ્યા છે કે આ અમારી પાર્ટીની સૌથી મજબૂત અને મહત્ત્વની માગ છે.

અમે પોતાની આ માગ સમય સમય પર ઉઠાવતા રહ્યા છીએ. અમને આશા છે કે કેન્દ્ર સરકાર આ વખત તેના પર વિચાર જરૂર કરશે કેમ કે જો બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળે છે તો ન માત્ર બિહારનો ચારેય તરફી વિકાસ થશે, પરંતુ બિહારમાં કાલે કારખાનાથી લઈને નવી ઉદ્યોગ નીતિ લાગૂ થશે, જેનો ફાયદો આખા બિહાર અને બિહારવાસીઓને મળશે. બિહારાથી પલાયન પણ રોકાશે.

બીજી તરફ JDUની માગનું સમર્થન બિહાર ભાજપના નેતા પણ કરે છે. ભાજપ કોટાથી નીતિશ સરકારમાં નાયબ મુખ્યમંત્રીના રૂપમાં કામ કરી રહેલા સમ્રાટ ચૌધરી અને વિજય સિંહ પણ આ માગને લઈને હાલમાં કેન્દ્ર સરકારનો દરવાજો ખખડવીને પટના ફર્યા છે. સમ્રાટ ચૌધરીએ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી. મુલાકાત બાદ પટના ફરેલા નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી કહે છે કે વિશેષ રાજ્ય કે વિશેષ પેકેજ મળ્યા બાદ જ બિહારની સ્થિતિમાં સુધાર આવશે. બિહાર જે વિચાર સાથે આગળ વધવા માગે છે વધી શકશે.

તો વિજય સિંહાનુ પણ કહેવું છે કે બિહારને ગતિ આપવા માટે વિશેષ સહાયતાની ખૂબ જરૂરિયાત છે. બીજી તરફ બિહારના વિશેષ રાજ્યની માગને લઈને NDA ઘટકદળ વચ્ચે અલગ અલગ થઈ રહેલી નિવેદનબાજી વચ્ચે RJDના વરિષ્ઠ નેતા અને મનેર વિધાનસભા સીટના ધારાસભ્ય ભાઈ વીરેન્દ્રએ મોટી વાત કહી દીધી છે. તેમણે કહ્યું કે, આ લોકો બિહારને વિશેષ રાજ્યના દરજ્જાના મામલે વર્ષોથી નાટક કરી રહ્યા છે.

અમે આ વાત એટલે કહી રહ્યા છીએ કેમ કે જેમણે આપવાનું છે અને જે માગી રહ્યા છે એ બંને જ કેન્દ્રની સરકારમાં સામેલ છે. આમ આ અમારી પાર્ટીની પણ જૂની માગ છે. તો પોતાની વાતને રાખવા દરમિયાન ભાઈ વિરેન્દ્રએ નીતિશ કુમારને એક સલાહ આપી નાખી કે મુખ્યમંત્રી નીતિશ કુમારે પોતાનું સમર્થન પાછું લઈ લેવું જોઈએ.

Related Posts

Top News

સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા પર તેમને ગૃહમાં બોલવાની તક ન આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું...
National 
સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

ઉત્તર પ્રદેશના મેરઠમાં ઈદ-ઉલ-ફિત્રની નમાઝને લઈને પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ સડક...
National 
જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી

ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
Opinion 
જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી

'બ્રેસ્ટ પકડવું રેપ નથી...' અલ્હાબાદ HCની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

26 માર્ચ 2025ના રોજ સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં અલ્હાબાદ હાઈકોર્ટના તે વિવાદાસ્પદ નિર્ણય પર રોક લગાવી દીધી જેમાં...
National 
'બ્રેસ્ટ પકડવું રેપ નથી...' અલ્હાબાદ HCની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

Opinion

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.