વક્ફ બિલનું સમર્થન કરતા નીતિશ કુમાર એક પછી એક ઝટકા મળી રહ્યા છે, ચૂંટણીમાં ભારે ન પડી જાય

એવું લાગી રહ્યું છે કે, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટીએ વક્ફ સંશોધન બિલને સમર્થન આપીને ભૂલ કરી દીધી છે. મોહમ્મદ કાસિમ અન્સારી બાદ હવે JDUના નેતા મોહમ્મદ શાહનવાઝ મલિકે પણ રાજીનામું આપી દીધું છે. તેઓ જમુઈના જિલ્લા અધ્યક્ષ અને લઘુમતી સેલના રાજ્ય સચિવ પણ હતા. JDUએ વક્ફ સંશોધન બિલને સમર્થન કર્યું છે અને રાજીનામા પાછળનું કારણ આજ છે.

Mohammed-Qasim
x.com/ANI

 

શાહનવાઝ મલિકે JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને આ રાજીનામું લખ્યુ છે. તેમણે પાર્ટીના પ્રાથમિક સભ્ય પદ અને અન્ય જવાબદારીઓમાંથી રાજીનામું આપ્યું છે. શાહનવાઝ મલિકે તેની જાણકારી (કોપીની નકલ) JDUના પ્રદેશ અધ્યક્ષ ઉમેશ કુશવાહાને પણ આપી છે. પાર્ટીના લઘુમતી પ્રદેશ અધ્યક્ષ મોહમ્મદ અશરફ અંસારીને પણ તેની બાબતે લેખિતમાં જાણ કરવામાં આવી છે.

મલિકે શું લખ્યું છે પત્રમાં?

રાજીનામાનો પત્ર ગુરુવાર (03 એપ્રિલ, 2025)ની તારીખનો છે. JDU નેતા અને વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર રહેલા મોહમ્મદ કાસિમે પોતાના રાજીનામામાં જે વાત લખી હતી, એજ વાત શાહનવાઝ મલિકે પણ લખી છે. આમ કહીએ તો, આખી લાઇન એજ છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર માટે મલિકે રાજીનામામાં લખ્યું છે કે, ‘અમારા જેવા લાખો અને કરોડો ભારતીય મુસ્લિમોનો અતૂટ વિશ્વાસ હતો કે તમે વિશુદ્ધ રૂપે સેક્યૂલર વિચારધારાના ધ્વજવાહક છો, પરંતુ હવે આ વિશ્વાસ તૂટી ગયો છે.

Mohammad-Shahnawaz-Malik1
indiatvnews.com

 

શાહનવાઝ મલિકે કહ્યું કે, નીતિશ કુમારે વક્ફને સમર્થન આપ્યું છે તે ખૂબ જ અફસોસની વાત છે. જેના કારણે આજે હું રાજીનામું આપી રહ્યો છું. જે પ્રકારે લલન સિંહે તેવર સાથે પોતાની વાત રાખી તે અમારા માટે ખૂબ જ દુઃખદ છે. ખૂબ રાહ જોયા બાદ, ઘણી આશાઓ બાદ, બધી વાત સામે આવ્યા બાદ, અમારા મુસ્લિમોનું દિલ તૂટી ગયું છે. JDU અને નીતિશ કુમાર બંનેને અલવિદા કહું છું.

About The Author

Related Posts

Top News

તોફાનને કારણે તૂટ્યું વિમાનનું નાક, ચીસો પાડી રહ્યા હતા મુસાફરો ,ઇન્ડિગો ફ્લાઇટમાં સર્જાયું આ દૃશ્ય

દિલ્હીથી શ્રીનગર જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E2142 માં અફરાતફરી થઈ ગઈ જયારે વિમાને હવામાં ખરાબ હવામાનનો સામનો કર્યો. જેમ જેમ ફ્લાઇટ...
National 
તોફાનને કારણે તૂટ્યું વિમાનનું નાક, ચીસો પાડી રહ્યા હતા મુસાફરો ,ઇન્ડિગો ફ્લાઇટમાં સર્જાયું આ દૃશ્ય

GPSCના ઇન્ટરવ્યૂનો વિવાદ શું છે? કેમ રદ્દ કરવામાં આવ્યા? સરદારધામનું શું કનેક્શન

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ને આમ તો વિવાદો સાથે ઘનિષ્ઠ નાતો છે. પરંતુ આ વખતે વિવાદ લેખિત પરીક્ષાના...
Education 
GPSCના ઇન્ટરવ્યૂનો વિવાદ શું છે? કેમ રદ્દ કરવામાં આવ્યા? સરદારધામનું શું કનેક્શન

25 લગ્નો કરનારી લૂંટેરી દુલ્હન પકડાઇ, આ રીતે લોકોને છેતરતી હતી

રાજસ્થાનના સવાઇ માધોપુરમાં આવેલા માનટાઉન પોલીસે 25 લગ્નો કરી ચુકેલી એક લૂંટેરી દુલ્હનને પકડી પાડી છે. એક ફરિયાદને આધારે પોલીસે...
National 
25 લગ્નો કરનારી લૂંટેરી દુલ્હન પકડાઇ, આ રીતે લોકોને છેતરતી હતી

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નવું જ નામ ચર્ચામા, સૌરાષ્ટ્રના નેતા છે

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના નામમાં એક નવું નામ ઉમેરાયું છે અને આ નામ રેસમાં અત્યારે સૌથી આગળ હોવાનું માનવામાં આવી...
Politics 
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નવું જ નામ ચર્ચામા, સૌરાષ્ટ્રના નેતા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.