વક્ફ બિલનું સમર્થન કરતા નીતિશ કુમાર એક પછી એક ઝટકા મળી રહ્યા છે, ચૂંટણીમાં ભારે ન પડી જાય

એવું લાગી રહ્યું છે કે, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટીએ વક્ફ સંશોધન બિલને સમર્થન આપીને ભૂલ કરી દીધી છે. મોહમ્મદ કાસિમ અન્સારી બાદ હવે JDUના નેતા મોહમ્મદ શાહનવાઝ મલિકે પણ રાજીનામું આપી દીધું છે. તેઓ જમુઈના જિલ્લા અધ્યક્ષ અને લઘુમતી સેલના રાજ્ય સચિવ પણ હતા. JDUએ વક્ફ સંશોધન બિલને સમર્થન કર્યું છે અને રાજીનામા પાછળનું કારણ આજ છે.

Mohammed-Qasim
x.com/ANI

 

શાહનવાઝ મલિકે JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને આ રાજીનામું લખ્યુ છે. તેમણે પાર્ટીના પ્રાથમિક સભ્ય પદ અને અન્ય જવાબદારીઓમાંથી રાજીનામું આપ્યું છે. શાહનવાઝ મલિકે તેની જાણકારી (કોપીની નકલ) JDUના પ્રદેશ અધ્યક્ષ ઉમેશ કુશવાહાને પણ આપી છે. પાર્ટીના લઘુમતી પ્રદેશ અધ્યક્ષ મોહમ્મદ અશરફ અંસારીને પણ તેની બાબતે લેખિતમાં જાણ કરવામાં આવી છે.

મલિકે શું લખ્યું છે પત્રમાં?

રાજીનામાનો પત્ર ગુરુવાર (03 એપ્રિલ, 2025)ની તારીખનો છે. JDU નેતા અને વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર રહેલા મોહમ્મદ કાસિમે પોતાના રાજીનામામાં જે વાત લખી હતી, એજ વાત શાહનવાઝ મલિકે પણ લખી છે. આમ કહીએ તો, આખી લાઇન એજ છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર માટે મલિકે રાજીનામામાં લખ્યું છે કે, ‘અમારા જેવા લાખો અને કરોડો ભારતીય મુસ્લિમોનો અતૂટ વિશ્વાસ હતો કે તમે વિશુદ્ધ રૂપે સેક્યૂલર વિચારધારાના ધ્વજવાહક છો, પરંતુ હવે આ વિશ્વાસ તૂટી ગયો છે.

Mohammad-Shahnawaz-Malik1
indiatvnews.com

 

શાહનવાઝ મલિકે કહ્યું કે, નીતિશ કુમારે વક્ફને સમર્થન આપ્યું છે તે ખૂબ જ અફસોસની વાત છે. જેના કારણે આજે હું રાજીનામું આપી રહ્યો છું. જે પ્રકારે લલન સિંહે તેવર સાથે પોતાની વાત રાખી તે અમારા માટે ખૂબ જ દુઃખદ છે. ખૂબ રાહ જોયા બાદ, ઘણી આશાઓ બાદ, બધી વાત સામે આવ્યા બાદ, અમારા મુસ્લિમોનું દિલ તૂટી ગયું છે. JDU અને નીતિશ કુમાર બંનેને અલવિદા કહું છું.

Related Posts

Top News

તિરંગા યાત્રાથી ઓપરેશન સિંદૂરનું ગર્વ ભાજપે લીધું પણ કોંગ્રેસ અને અન્ય પક્ષો કેમ બેઠા રહ્યા?

(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને...
Opinion 
તિરંગા યાત્રાથી ઓપરેશન સિંદૂરનું ગર્વ ભાજપે લીધું પણ કોંગ્રેસ અને અન્ય પક્ષો કેમ બેઠા રહ્યા?

શું ભાજપના દાવથી ફરી એકવાર દેશમાં મંડલ રાજનીતી શરૂ થશે?

જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપ, જે અગાઉ મંડલ રાજનીતિનો વિરોધ કરતુ હતું તેણે...
Politics 
શું ભાજપના દાવથી ફરી એકવાર દેશમાં મંડલ રાજનીતી શરૂ થશે?

ભાવેશ રોજિયા: ગુજરાત પોલીસનું ગૌરવ, ગુનેગારો માટે સંકટ

(ઉત્કર્ષ પટેલ) ગુજરાત પોલીસના ઇતિહાસના અનેક એવા અધિકારીઓનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે જેમણે પોતાની નિષ્ઠા, હિંમત અને બાહોશ...
Opinion 
ભાવેશ રોજિયા: ગુજરાત પોલીસનું ગૌરવ, ગુનેગારો માટે સંકટ

દ.ગુ.ના બિલિમોરાના એક છોકરાએ ડોમેઇન ચેટGPTને 126 કરોડમાં વેચ્યું

દક્ષિણ ગુજરાતના એક નાનકડા ટાઉન બિલીમોરામાં સામાન્ય પરિવારમાં ઉછરેલો એક છોકરો આજે સફળતાના શિખરો પર પહોંચી ગયો છે. તેણે Chat.Com ...
Tech and Auto 
દ.ગુ.ના બિલિમોરાના એક છોકરાએ ડોમેઇન ચેટGPTને 126 કરોડમાં વેચ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.