ગુજરાત ભાજપે પોતાના જ કોર્પોરેટર આશિષ જોશીને કેમ સસ્પેન્ડ કરી દીધા

Pakistani MP calls Shehbaz Sharif 'geedad says he is scared of PM Modi

છેલ્લા કેટલાક સમયથી ભારતીય જનતા પાર્ટી (BJP) સામે બાંયો ચઢાવનાર ભાજપા કોર્પોરેટર આશિષ જોષીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.  પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા સસ્પેન્શન લેટરમાં લખવામાં આવ્યું છે કે ઘણી વખત આપને પાર્ટી દ્વારા મૌખિક અને લેખિતમાં શિસ્તમાં રહેવા કહેવામા આવ્યું હતું. ઘણા પ્રસંગે આપના વર્તન અને વ્યવહારથી પાર્ટીની છબી બગડી રહી છે. તમને આ અંગે કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી, એ છતા તમારા વ્યવહારમાં સુધારો થયો નથી અને કેટલીક જગ્યાએ પાર્ટીની છબી ખરડવામાં સહભાગી થયા હોય તેમ ખાતરી થઈ છે. જે અલગ-અલગ વર્તમાનપત્રો અને અને સોશિયલ મીડિયાના વિવિધ મધ્યમોથી પણ પુષ્ટિ થઈ છે. જે બાબતને ધ્યાનમાં લઈને પ્રદેશ અધ્યક્ષ શ્રીની સૂચનાથી તમને ભારતીય જનતા પાર્ટીના સક્રિય અને પ્રાથમિક સભ્ય પદ પરથી બરખાસ્ત કરવામાં આવે છે.

VMCVMC
indianexpress.com

 

ઉલ્લેખનીય છે કે, કાઉન્સિલર આશિષ જોષીએ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાથે સામાન્ય સભામાં કાંસની સફાઇ બાબતે ગેરર્તન કર્યું હતું. આ ઉપરાંત ઘણી વખત ભાજપાની છબી પર કલંક લાગે તેવા નિવેદન અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. આ મામલે તેમને શહેર ભાજપ દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત હાલમાં વડોદરા મહાનગર સેવાસદન દ્વારા મુખ્યમંત્રીના હસ્તે વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના આયોજીત કાર્યક્રમમાં હરણી બોટ કાંડ પીડિત 2 મહિલાઓને મોકલીને પાલિકા શાસકોના ધજાગરા ઉડાવ્યા હોવામાં પણ કાઉન્સિલર આશિષ જોષીનુ નામ આવ્યું સામે આવ્યું હતું. આવી ઘણી બાબતોને લઇને ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આશિષ જોશી ઉપરાંત પૂર્વ કોર્પોરેટર અરવિંદ પ્રજાપતિને પણ શિસ્તભંગને કારણે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

VMC2
divyabhaskar.co.in

 

જાણકારોનું કહેવું છે કે, વોર્ડ નં-15ના કોર્પોરેટર આશિષ જોશીને હરણી બોટકાંડના પીડિત પરિવારો સાથેની નીકટતા નડી છે, જ્યારે પૂર્વ કોર્પોરેટર અરવિંદ પ્રજાપતિ દ્વારા પાર્ટીની શિસ્તને શોભે નહીં તેવી સોશિયલ મીડિયા પોસ્ટ કરવામાં આવી હતી. જેથી બંને મામલે આકરી કાર્યવાહી કરવામાં આવી હોવાની વાત લોકોમાં ચર્ચાઇ રહી છે.

About The Author

Related Posts

Top News

કોઈ વસ્તુ તો મૂકી દો... સુરતમાંથી નકલી ઘી બનાવતી વધુ એક કંપની ઝડપાઈ, તેલમાંથી ઘી બનાવતા

ડાયમંડ નગરી સુરત હવે નકલી વસ્તુઓ બનાવવાનું હબ બનતું જઈ રહ્યું છે. શહેરમાંથી સતત નકલી ઘી, નકલી પાન-મસાલા,...
કોઈ વસ્તુ તો મૂકી દો... સુરતમાંથી નકલી ઘી બનાવતી વધુ એક કંપની ઝડપાઈ,  તેલમાંથી ઘી બનાવતા

IPLની ટીમની માલિક કાવ્યા મારને પાકિસ્તાની સ્પિનરને 2.34 કરોડમાં ખરીદ્યો, સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ સસ્પેન્ડ

ઇંગ્લેન્ડની ફ્રેન્ચાઇઝી લીગ, ‘ધ હંડ્રેડ’ માટે ખેલાડીઓની હરાજી બાદ સનરાઇઝર્સ લીડ્સ અચાનક વિવાદમાં ફસાઈ ગઈ છે. ગુરુવારે...
Sports 
IPLની ટીમની માલિક કાવ્યા મારને પાકિસ્તાની સ્પિનરને 2.34 કરોડમાં ખરીદ્યો, સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ સસ્પેન્ડ

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત...
Opinion 
બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક

હવામાન ચેતવણી: દેશમાં 4 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આગામી 7 દિવસ વરસાદ અને કરાની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, માર્ચ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવવા જઈ રહ્યો છે. હાલમાં દેશના અલગ-અલગ ભાગોમાં 4 સાયક્લોનિક...
Gujarat 
હવામાન ચેતવણી: દેશમાં 4 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આગામી 7 દિવસ વરસાદ અને કરાની આગાહી

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.