- National
- ‘આ રસ્તો મુસ્લિમો માટે નથી’, દિલ્હી-દહેરાદુન હાઇવે પર લખાયા નારા, હિન્દુ રક્ષા દળે લીધી જવાબદારી
‘આ રસ્તો મુસ્લિમો માટે નથી’, દિલ્હી-દહેરાદુન હાઇવે પર લખાયા નારા, હિન્દુ રક્ષા દળે લીધી જવાબદારી
દિલ્હી-દહેરાદુન એક્સપ્રેસવે સાથે સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં હાઇવેની દિવાલો અને ફ્લાયઓવર પર એક વિશેષ સમુદાય વિરુદ્ધ આપત્તિજનક નારા લખ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કેટલીક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘દિવાલો પર આ હાઇવે મુસ્લિમો માટે નથી’ જેવા સંદેશ લખવામાં આવ્યા છે.
હિન્દુ રક્ષા દળ સાથે સંકળાયેલા લોકોએ આની જવાબદારી લીધી છે. આ વીડિયો દહેરાદુન-દિલ્હી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એશિયાના સૌથી મોટા કોરિડોર, રાજાજી ટાઇગર નેશનલ પાર્કના 12 કિલોમીટર લાંબા રસ્તા પર આવું લખવામાં આવ્યું છે.
https://twitter.com/PunsterX/status/2027257515017486397?s=20
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહેલી ક્લિપમાં કથિત રીતે હાઇવેની દિવાલો પર ઉશ્કેરણીજનક નારા લખેલા જોવા મળે છે. પોસ્ટ સાથે એ લોકેશન પણ બતાવવામાં આવ્યું છે કે, આ નારા મુંડકા ફ્લાયઓવર પાસે લખવામાં આવ્યા છે. કેટલીક પોસ્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સંગઠનની મહિલા પાંખે આ કાર્ય કર્યું હતું, પરંતુ આ દાવાઓની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.
https://twitter.com/Nher_who/status/2027229302866276749?s=20
NDTVના અહેવાલ મુજબ, વાયરલ વીડિયોમાં લખવામાં આવેલા આપત્તિજનક શબ્દ ભૂસી નાખવામાં આવ્યા છે. પરંતુ ત્યાં અત્યારે પણ સ્પષ્ટ રીતે જોઈ અને વાંચી શકાય છે. હિન્દુ રક્ષા દળના કાર્યકરોનો દાવો છે કે તેમની મહિલા પાંખે આ કાર્ય કર્યું હતું.
https://twitter.com/ghaziabadpolice/status/2027246909828763870?s=20
હિન્દુ રક્ષા દળના રાજ્ય પ્રમુખ લલિત શર્માએ કહ્યું કે, ‘અમારી ઇચ્છા છે કે ટેક્સ અમે ચૂકવીએ છીએ, તેથી રસ્તા પર ચાલવાનો અધિકાર અમારો છે. આ એક્સપ્રેસ વે પર મોહંડમાં બનેલા એલિવેટેડ રોડ પર આ લખવામાં આવ્યું છે.’ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદથી લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. સહારનપુરના બિહારી ગઢ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અક્ષય શર્માએ જણાવ્યું હતું કે આ મામલો તેમના ધ્યાનમાં આવ્યો છે અને કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આ દરમિયાન, ગાઝિયાબાદ પોલીસ કમિશનરેટે નરેન્દ્ર નાથ મિશ્રાની પોસ્ટ પર જવાબ આપતા સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી છે કે, ધાર્મિક સદ્ભાવ પ્રભાવિત કરનારી આ પોસ્ટ ભ્રામક છે. પોલીસ કમિશનરેટ ગાઝિયાબાદના અધિકારક્ષેત્રમાં આવી કોઈ ઘટના બની નથી. પોલીસે જણાવ્યું હતું કે ધાર્મિક સદ્ભાવને અસર કરતી આ પોસ્ટ ગેરમાર્ગે દોરનારી છે અને ચકાસણી વિના શેર ન કરવી જોઈએ નહીં. પોલીસે ચેતવણી પણ આપી હતી કે અફવાઓ ફેલાવનારાઓ સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.

