હવે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના કફ સિરપ નહીં મળે; સિરપ પર થયેલા હોબાળા પછી કેન્દ્ર સરકારનો નિર્ણય

ગઈકાલે, કફ સિરપ પર આખા દેશમાં હોબાળો મચી ગયો હતો, ઘણા રાજ્યોમાં માસૂમ બાળકોના મોત થયા પછી ખુબ જ ગભરાટ ફેલાઈ ગયો હતો. આ દરમિયાન, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એક જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે કફ સિરપ સહિત તમામ 'સિરપ' હવે મેડિકલ સ્ટોર્સ પર કાઉન્ટર પર ઉપલબ્ધ રહેશે નહીં. 'સિરપ' ખરીદવા માટે ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન જરૂરી રહેશે.

9 જૂનના રોજ બહાર પાડવામાં આવેલા એક જાહેરનામાની અંદર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ડ્રગ્સ (પાંચમો સુધારો) નિયમો, 2026ની જાહેરાત કરી હતી, જે સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત થયા પછી અમલમાં આવ્યો હતો. આ સુધારા હેઠળ, ડ્રગ્સ રૂલ્સ, 1945ના શેડ્યૂલ Kમાંથી 'સિરપ' શબ્દ દૂર કરવામાં આવ્યો છે.

Cough-Syrup2
business-standard.com

ડ્રગ્સ અને કોસ્મેટિક્સ એક્ટ હેઠળ, દવાઓની કેટલીક શ્રેણીઓને દવાઓના ઉત્પાદન અને વેચાણને નિયંત્રિત કરતા ચોક્કસ નિયમોમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ ઉત્પાદનોમાં એન્ટિસેપ્ટિક્સ, એન્ટાસિડ્સ અને ગર્ભનિરોધક જેવી સામાન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે, જે ઓવર-ધ-કાઉન્ટર (OTC) વેચાણ માટે માન્ય છે.

આ ફેરફારને કારણે, કફ સિરપ સહિતની બધી 'સિરપ' આધારિત દવાઓ હવે આ ખાસ છૂટ હેઠળ નહીં આવે. આ ફેરફારથી 'સિરપ'ના વેચાણ પર નિયંત્રણ કડક થવાની અને તેમને કડક નિયમનકારી દેખરેખ હેઠળ લાવવાની અપેક્ષા છે. ગ્રાહકોએ હવે ફક્ત ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનથી જ સિરપ-આધારિત દવાઓ ખરીદવાની જરૂર પડશે.

Cough-Syrup
zeenews.india.com

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, આ ફેરફાર ડિસેમ્બર 2025માં ડ્રાફ્ટ નિયમોના પ્રકાશન સાથે શરૂ થયેલી જાહેર પરામર્શ પ્રક્રિયાને અનુસરે છે. અંતિમ નિયમોની સૂચના આપતા પહેલા, હિસ્સેદારોને મળ્યા હતા, જ્યાં વાંધા અને સૂચનો ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ (DTAB) સાથે પરામર્શ કર્યા પછી આ ફેરફારની સૂચના આપવામાં આવી હતી, અને સત્તાવાર ગેઝેટમાં ડ્રગ્સ (પાંચમો સુધારો) નિયમો, 2026ના પ્રકાશન સાથે અમલમાં આવ્યો હતો.

અહીં તમને બતાવી દઈએ કે, રવિવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય સાથે આ મુદ્દા પર બેઠક પછી, આરોગ્ય સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે રાજ્યોને કડક સૂચનાઓ મોકલી આપી હતી. પુણ્ય સલિલા શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, કોઈપણ સ્તરે બેદરકારી સહન કરવામાં આવશે નહીં. તેમણે જાહેરાત કરી હતી કે, દેશભરના તમામ જિલ્લાઓમાં ફાર્માસ્યુટિકલ ફેક્ટરીઓનું નિરીક્ષણ કરવામાં આવશે. કોઈપણ ફેક્ટરી નિયમોનું પાલન ન કરતી જોવા મળશે તો તેનું લાઇસન્સ રદ કરવામાં આવશે. આરોગ્ય સચિવે રાજ્યોને આ બાબતે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે.

About The Author

Related Posts

Top News

તેલના મોંઘા ભાવથી દુનિયાને બચાવવાના પ્રયાસમાં અમેરિકા કંગાળ થઈ ગયું!

વૈશ્વિક ઉર્જા બજારમાંથી ખુબ જ ચોંકાવનારા સમાચાર બહાર આવી રહ્યા છે. અમેરિકાનો સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ (SPR) ઘટવાની આરે છે....
Business 
તેલના મોંઘા ભાવથી દુનિયાને બચાવવાના પ્રયાસમાં અમેરિકા કંગાળ થઈ ગયું!

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં સુંદર પિચાઈનો વિરોધ, જાણો શું છે આખો મામલો?

અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ગૂગલના CEO સુંદર પિચાઈને એ સમયે એક અજીબોગરીબ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો જ્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ તેમના...
World 
સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં સુંદર પિચાઈનો વિરોધ, જાણો શું છે આખો મામલો?

બેંકો આખું ખાતું ફ્રીઝ નહીં કરી શકશે; ગ્રાહકોને રાહત, થશે મોટો ફાયદો

ડિજિટલ ઇન્ડિયાના યુગમાં, સાયબર છેતરપિંડીના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. સાયબર છેતરપિંડીનો ભોગ બનનાર કોઈપણ વ્યક્તિને અનેક મુશ્કેલીઓનો સામનો...
Business 
બેંકો આખું ખાતું ફ્રીઝ નહીં કરી શકશે; ગ્રાહકોને રાહત, થશે મોટો ફાયદો

કેન્દ્રની પોલીસીને કારણે દેશભરમાં સોલાર ઉદ્યોગ મુશ્કેલીમાં: એસોસિયેશન

સાઉથ ગુજરાત સોલાર એસોસેયિશન દ્વારા મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારની નવી પોલીસીને કારણે સોલાર...
Gujarat 
કેન્દ્રની  પોલીસીને કારણે દેશભરમાં સોલાર ઉદ્યોગ મુશ્કેલીમાં: એસોસિયેશન
Copyright (c) Khabarchhe All Rights Reserved.