બેંકો આખું ખાતું ફ્રીઝ નહીં કરી શકશે; ગ્રાહકોને રાહત, થશે મોટો ફાયદો

ડિજિટલ ઇન્ડિયાના યુગમાં, સાયબર છેતરપિંડીના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. સાયબર છેતરપિંડીનો ભોગ બનનાર કોઈપણ વ્યક્તિને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જોકે, સાયબર છેતરપિંડીના સંદર્ભમાં બેંક ખાતા સંપૂર્ણપણે બ્લોક અથવા ફ્રીઝ થવાની વધતી ઘટનાઓ વચ્ચે, કર્ણાટક હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, જ્યારે પણ કોઈ તપાસ એજન્સી સાયબર છેતરપિંડીના કેસના સંદર્ભમાં બેંક ખાતા ફ્રીઝ કરવાનો આદેશ આપે છે, ત્યારે બેંકે આદેશમાં નક્કી કરેલી રકમ અટકાવવી જોઈએ. આખું ખાતું ફ્રીઝ કરવાને બદલે, બેંકે ફક્ત તે જ નક્કી કરેલી રકમ અલગ કરી દેવી જોઈએ.

Bank-Account1
hindi.cnbctv18.com

આ ઉપરાંત, ખાતાધારકને તેમના ખાતામાં બાકી રહેલા પૈસાનો ઉપયોગ સામાન્ય રીતે કરવાની મંજૂરી આપવી જોઈએ. કર્ણાટક હાઇકોર્ટનો આ નિર્ણય લાખો ખાતાધારકોને ખુબ મોટી રાહત આપવા માટે આવ્યો છે, જેમને નાની એવી, શંકાસ્પદ રકમ પ્રાપ્ત થવા પર પણ તેમના પુરા પૈસા ગુમાવવાની સંભાવનાનો સામનો કરવો પડ્યો હતો. ન્યાયાધીશ સૂરજ ગોવિંદરાજની સિંગલ બેન્ચે ઇન્ડસઇન્ડ બેંક સાથે સંકળાયેલા કેસની સુનાવણી કરતી વખતે આ નિર્ણય આપ્યો. આ કેસમાં, ગુજરાત અને પશ્ચિમ બંગાળની સાયબર ક્રાઇમ પોલીસે રૂ. 25000ના બેંક ખાતા પર ફ્રીઝનો આદેશ આપ્યો હતો. જોકે, બેંકે સુરક્ષા ચિંતાઓનો હવાલો આપીને અરજદારનું આખું એકાઉન્ટ જ ફ્રીઝ કરી દીધું હતું.

Bank-Account2
navbharattimes.indiatimes.com

કોર્ટે આ કાર્યવાહીને ગેરવાજબી ગણાવી, કહ્યું કે, તપાસની જરૂરિયાત અને ખાતાધારકોના અધિકારોનું સંતુલન ફક્ત ત્યારે જ થઈ શકે છે, જો બેંકો સક્ષમ અધિકારીઓ તરફથી મળેલા નિર્દેશોની શરતોનું કડક પાલન કરે. કોઈપણ ફ્રીઝિંગ કાર્યવાહી પ્રમાણસર, કાયદેસર રીતે ટકાઉ અને આદેશના અવકાશ સુધી મર્યાદિત હોવી જોઈએ. હાઇકોર્ટે એમ પણ કહ્યું કે, બેંક ફક્ત ખાતાની રક્ષક છે અને તેની ફરજ તપાસ અધિકારીઓ દ્વારા બહાર પાડવામાં આવેલી કાનૂની સૂચનાઓનું પાલન કરવાની છે. તેથી, બેંકની સત્તા તેને મળેલી સૂચનાઓની શરતોથી સંપૂર્ણપણે બંધાયેલી છે.

Bank-Account3
navbharattimes.indiatimes.com

ઇન્ડસઇન્ડ બેંકે કોર્ટમાં દલીલ કરી હતી કે, તેણે આખું એકાઉન્ટ એટલા માટે ફ્રીઝ કર્યું છે કારણ કે તેને ડર હતો કે તેને ભવિષ્યમાં અન્ય તપાસ એજન્સીઓ તરફથી આ જ પ્રકારની સૂચનાઓ મળી શકે છે. આવા જ આદેશો ઘણી એજન્સીઓ તરફથી પહેલા પણ મળી ચૂક્યા છે. કોર્ટે બેંકની આ દલીલને સંપૂર્ણપણે ફગાવી દીધી. હાઇકોર્ટે જણાવ્યું હતું કે, વહીવટી સુવિધા અથવા કોઈપણ પૂર્વધારણા માન્ય કાનૂની આદેશનો વિકલ્પ લઈ શકે નહીં. જો ભવિષ્યમાં વધારાની સૂચનાઓ મળશે, તો બેંક તેમના અનુસાર કાર્ય કરવા માટે બંધાયેલી રહેશે. પરંતુ, ત્યાં સુધી, બેંકે હાલના આદેશની મર્યાદામાં રહીને કામ કરવું આવશ્યક છે.

About The Author

Related Posts

Top News

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં સુંદર પિચાઈનો વિરોધ, જાણો શું છે આખો મામલો?

અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ગૂગલના CEO સુંદર પિચાઈને એ સમયે એક અજીબોગરીબ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો જ્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ તેમના...
World 
સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં સુંદર પિચાઈનો વિરોધ, જાણો શું છે આખો મામલો?

બેંકો આખું ખાતું ફ્રીઝ નહીં કરી શકશે; ગ્રાહકોને રાહત, થશે મોટો ફાયદો

ડિજિટલ ઇન્ડિયાના યુગમાં, સાયબર છેતરપિંડીના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. સાયબર છેતરપિંડીનો ભોગ બનનાર કોઈપણ વ્યક્તિને અનેક મુશ્કેલીઓનો સામનો...
Business 
બેંકો આખું ખાતું ફ્રીઝ નહીં કરી શકશે; ગ્રાહકોને રાહત, થશે મોટો ફાયદો

કેન્દ્રની પોલીસીને કારણે દેશભરમાં સોલાર ઉદ્યોગ મુશ્કેલીમાં: એસોસિયેશન

સાઉથ ગુજરાત સોલાર એસોસેયિશન દ્વારા મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારની નવી પોલીસીને કારણે સોલાર...
Gujarat 
કેન્દ્રની  પોલીસીને કારણે દેશભરમાં સોલાર ઉદ્યોગ મુશ્કેલીમાં: એસોસિયેશન

ટ્રેનમાં યુવકના મોત મામલે રાહુલ ગાંધીએ વીડિયો શેર કરીને સરકાર પર પ્રહારો કર્યા, રેલવેએ કહ્યું, અફવાઓ ન ફેલાવો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્રેનમાં એક યુવાનના કથિત મૃત્યુનો વીડિયો શેર કરીને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે આરોપ...
National 
ટ્રેનમાં યુવકના મોત મામલે રાહુલ ગાંધીએ વીડિયો શેર કરીને સરકાર પર પ્રહારો કર્યા, રેલવેએ કહ્યું, અફવાઓ ન ફેલાવો
Copyright (c) Khabarchhe All Rights Reserved.