રાહુલ મુદ્દે OBC મહાસભાએ નડ્ડાને કહ્યું- OBC સમાજને ન ઘસેડો, માફી માગો નહિતર...

ગ્વાલિયરમાં Other Backward Classes  (OBC) મહાસભાની રાષ્ટ્રીય કોર કમિટીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાને કાનૂની નોટિસ મોકલી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે તમે રાહુલ ગાંધીના મુદ્દા પર OBC સમાજનું અપમાન કર્યું છે. તમે માફી માંગો નહીંતો અમે કેસ કરીશું. રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં સુરત કોર્ટે સજા સંભળાવ્યાના બીજા દિવસે જે પી નડ્ડાએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, રાહુલ ગાંદીએ OBC સમાજનું અપમાન કર્યું છે.

ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાની આ ટ્વીટને આધાર માનીને OBC મહાસભાની રાષ્ટ્રીય કોર કમિટીએ મંગળવારે વકીલ મારફતે નોટીસ મોકલી છે. સાથે જ નોટિસનો 24 કલાકમાં જવાબ આપવા પણ કહેવાયું છે. OBC મહાસભાની દલીલ છે કે મોદી સરનેમ OBC તરીકે ક્યાંયે નોંધાયેલી નથી. ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારની OBC કેટેગરીની યાદીમાં પણ મોદી સરનેમ નથી. રાહુલ ગાંધીએ માત્ર મોદી શબ્દનો ઉપયોગ કર્યો છે, OBC વર્ગનો નહી. એટલે મોદી સરનેમને લઇને OBC સમાજને ઘસેડવામાં ન આવે.

OBC મહાસભાની રાષ્ટ્રીય કોર કમિટીના સભ્ય ધર્મેન્દ્ર કુશવાહનું કહેવું છે કે, હું જે પી નડ્ડાને પુછવા માંગુ છું કે કેન્દ્રની OBCની યાદીમાં મોદી નામ નથી. ગુજરાતમાં પણ મોદી જાતિનો કોઇ ઉલ્લેખ નથી, તો શું કારણ છે કે, તમે OBCને એક ઢોલકાની જેમ ચારેબાજુથી બજાવી રહ્યા છો.

જ્યારે સારી વાત આવે તો OBCનું કોઇ નામ લેતું નથી. જ્યારે કોઇ વ્યકિતના માધ્યમથી અપશબ્દો બોલાઇ છે ત્યારે શોરબકોર થવા માડે છે કે જુઓ OBCને ગાળો આપી. આ એક OBC સાથે છેતરપિંડી અને અપમાન છે.કુશવાહે કહ્યું કે, એટલે અમે ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાને નોટિસ મોકલી છે અને કહ્યું છે કે જો તેઓ OBC સમાજની માફી નહીં માંગશે તો કેસ ફાઇલ કરવામાં આવશે.

જે પી નડ્ડાએ 24 માર્ચે એક પછી એક એમ 4 વખત ટ્વીટ કરીને લખ્યું હતું કે, ગઈકાલે સુરત કોર્ટે રાહુલને OBC સમુદાય પ્રત્યેના વાંધાજનક નિવેદન બદલ સજા ફટકારી હતી. પરંતુ રાહુલ અને કોંગ્રેસ પક્ષ હજુ પણ તેમના અહંકારને કારણે તેમના નિવેદનોને વળગી રહ્યા છે અને સતત OBC સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડી રહ્યા છે. સમગ્ર OBC સમાજ લોકતાંત્રિક રીતે રાહુલ પાસેથી આ અપમાનનો બદલો લેશે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.