અધિકારી દરેક જિલ્લામાં રામાયણ પાઠ કરાવે-રામ નવમી પર માંસની દુકાન ન ખુલે, CM યોગીનો હુકમ

ઉત્તર પ્રદેશ સરકારે રામ નવમી એટલે કે 6 એપ્રિલના રોજ તમામ માંસની દુકાનો બંધ રાખવાના નિર્દેશો આપ્યા છે. આ ઉપરાંત ચૈત્ર નવરાત્રી દરમિયાન ધાર્મિક સ્થળોથી 500 મીટરની અંદર માંસ વેચવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથે અધિકારીઓને રામ નવમીના અવસર પર રાજ્યના તમામ જિલ્લાઓમાં 'અખંડ રામાયણ'નું આયોજન કરવાનો નિર્દેશ આપ્યો છે.

અહીં તમને જણાવી દઈએ કે, અખંડ રામાયણ દરમિયાન, રામચરિતમાનસનો પાઠ 24 કલાક સતત કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રી આજથી એટલે કે 30 માર્ચથી શરૂ થઈ રહી છે. આવી સ્થિતિમાં, CM યોગી આદિત્યનાથે 29 માર્ચે વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું. મીડિયા સૂત્રોના અહેવાલ અનુસાર, આ દરમિયાન CM યોગીએ કહ્યું કે, 5 એપ્રિલના રોજ બપોરથી શરૂ થનારા અખંડ પાઠ 6 એપ્રિલના રોજ બપોરે અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામ લલ્લાના સૂર્ય તિલક સાથે સમાપ્ત થશે.

CM યોગીએ એમ પણ કહ્યું કે, ચૈત્ર નવરાત્રી દરમિયાન, સમગ્ર રાજ્યમાં 24 કલાક અવિરત વીજળી પુરવઠો રહેશે. આ ઉપરાંત શહેરી વિકાસ અને ગ્રામીણ વિકાસ વિભાગોને ખાસ સ્વચ્છતા અભિયાન ચલાવવાના આદેશો પણ આપવામાં આવ્યા છે. જેથી શહેરો અને ગામડાઓમાં મંદિરોની આસપાસ સ્વચ્છ વાતાવરણ જાળવી શકાય. આ માટે, એવું કહેવામાં આવ્યું છે કે વધારાના સફાઈ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. જ્યારે, મંદિરોની નજીક ઇંડા કે માંસની દુકાનો ન હોય તેની ખાતરી કરવા માટે કહેવામાં આવ્યું છે.

03

અધિકારીઓનું કહેવું છે કે સૂચનાઓનું પાલન કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શહેરી વિકાસ વિભાગના મુખ્ય સચિવ અમૃત અભિજાતે તમામ જિલ્લા અધિકારીઓ, પોલીસ કમિશનરો અને મ્યુનિસિપલ કમિશનરોને ગેરકાયદેસર કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવાનો નિર્દેશ આપ્યો છે. ઉપરાંત, ધાર્મિક સ્થળોની નજીક માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

અમૃત અભિજાતના જણાવ્યા મુજબ, સૂચનાઓનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લા અધિકારીઓના નેતૃત્વ હેઠળ જિલ્લા સ્તરની સમિતિઓની રચના કરવામાં આવી છે. આ સમિતિઓમાં પોલીસ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પશુપાલન વિભાગ, પરિવહન વિભાગ, શ્રમ વિભાગ, આરોગ્ય વિભાગ અને ખાદ્ય સુરક્ષાના અધિકારીઓનો સમાવેશ થશે.

01

અધિકારીઓનું કહેવું છે કે, 6 એપ્રિલે રામ નવમીના દિવસે પ્રાણીઓની કતલ અને માંસના વેચાણ પર કડક પ્રતિબંધ લાદવામાં આવશે. UP મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, 1959 અને ફૂડ સેફ્ટી એક્ટ, 2006 અને 2011 હેઠળ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.