અધિકારી દરેક જિલ્લામાં રામાયણ પાઠ કરાવે-રામ નવમી પર માંસની દુકાન ન ખુલે, CM યોગીનો હુકમ

ઉત્તર પ્રદેશ સરકારે રામ નવમી એટલે કે 6 એપ્રિલના રોજ તમામ માંસની દુકાનો બંધ રાખવાના નિર્દેશો આપ્યા છે. આ ઉપરાંત ચૈત્ર નવરાત્રી દરમિયાન ધાર્મિક સ્થળોથી 500 મીટરની અંદર માંસ વેચવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથે અધિકારીઓને રામ નવમીના અવસર પર રાજ્યના તમામ જિલ્લાઓમાં 'અખંડ રામાયણ'નું આયોજન કરવાનો નિર્દેશ આપ્યો છે.

અહીં તમને જણાવી દઈએ કે, અખંડ રામાયણ દરમિયાન, રામચરિતમાનસનો પાઠ 24 કલાક સતત કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રી આજથી એટલે કે 30 માર્ચથી શરૂ થઈ રહી છે. આવી સ્થિતિમાં, CM યોગી આદિત્યનાથે 29 માર્ચે વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું. મીડિયા સૂત્રોના અહેવાલ અનુસાર, આ દરમિયાન CM યોગીએ કહ્યું કે, 5 એપ્રિલના રોજ બપોરથી શરૂ થનારા અખંડ પાઠ 6 એપ્રિલના રોજ બપોરે અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામ લલ્લાના સૂર્ય તિલક સાથે સમાપ્ત થશે.

CM યોગીએ એમ પણ કહ્યું કે, ચૈત્ર નવરાત્રી દરમિયાન, સમગ્ર રાજ્યમાં 24 કલાક અવિરત વીજળી પુરવઠો રહેશે. આ ઉપરાંત શહેરી વિકાસ અને ગ્રામીણ વિકાસ વિભાગોને ખાસ સ્વચ્છતા અભિયાન ચલાવવાના આદેશો પણ આપવામાં આવ્યા છે. જેથી શહેરો અને ગામડાઓમાં મંદિરોની આસપાસ સ્વચ્છ વાતાવરણ જાળવી શકાય. આ માટે, એવું કહેવામાં આવ્યું છે કે વધારાના સફાઈ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. જ્યારે, મંદિરોની નજીક ઇંડા કે માંસની દુકાનો ન હોય તેની ખાતરી કરવા માટે કહેવામાં આવ્યું છે.

03

અધિકારીઓનું કહેવું છે કે સૂચનાઓનું પાલન કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શહેરી વિકાસ વિભાગના મુખ્ય સચિવ અમૃત અભિજાતે તમામ જિલ્લા અધિકારીઓ, પોલીસ કમિશનરો અને મ્યુનિસિપલ કમિશનરોને ગેરકાયદેસર કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવાનો નિર્દેશ આપ્યો છે. ઉપરાંત, ધાર્મિક સ્થળોની નજીક માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

અમૃત અભિજાતના જણાવ્યા મુજબ, સૂચનાઓનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લા અધિકારીઓના નેતૃત્વ હેઠળ જિલ્લા સ્તરની સમિતિઓની રચના કરવામાં આવી છે. આ સમિતિઓમાં પોલીસ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પશુપાલન વિભાગ, પરિવહન વિભાગ, શ્રમ વિભાગ, આરોગ્ય વિભાગ અને ખાદ્ય સુરક્ષાના અધિકારીઓનો સમાવેશ થશે.

01

અધિકારીઓનું કહેવું છે કે, 6 એપ્રિલે રામ નવમીના દિવસે પ્રાણીઓની કતલ અને માંસના વેચાણ પર કડક પ્રતિબંધ લાદવામાં આવશે. UP મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, 1959 અને ફૂડ સેફ્ટી એક્ટ, 2006 અને 2011 હેઠળ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Related Posts

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.