અધિકારી દરેક જિલ્લામાં રામાયણ પાઠ કરાવે-રામ નવમી પર માંસની દુકાન ન ખુલે, CM યોગીનો હુકમ

ઉત્તર પ્રદેશ સરકારે રામ નવમી એટલે કે 6 એપ્રિલના રોજ તમામ માંસની દુકાનો બંધ રાખવાના નિર્દેશો આપ્યા છે. આ ઉપરાંત ચૈત્ર નવરાત્રી દરમિયાન ધાર્મિક સ્થળોથી 500 મીટરની અંદર માંસ વેચવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથે અધિકારીઓને રામ નવમીના અવસર પર રાજ્યના તમામ જિલ્લાઓમાં 'અખંડ રામાયણ'નું આયોજન કરવાનો નિર્દેશ આપ્યો છે.

અહીં તમને જણાવી દઈએ કે, અખંડ રામાયણ દરમિયાન, રામચરિતમાનસનો પાઠ 24 કલાક સતત કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રી આજથી એટલે કે 30 માર્ચથી શરૂ થઈ રહી છે. આવી સ્થિતિમાં, CM યોગી આદિત્યનાથે 29 માર્ચે વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું. મીડિયા સૂત્રોના અહેવાલ અનુસાર, આ દરમિયાન CM યોગીએ કહ્યું કે, 5 એપ્રિલના રોજ બપોરથી શરૂ થનારા અખંડ પાઠ 6 એપ્રિલના રોજ બપોરે અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામ લલ્લાના સૂર્ય તિલક સાથે સમાપ્ત થશે.

CM યોગીએ એમ પણ કહ્યું કે, ચૈત્ર નવરાત્રી દરમિયાન, સમગ્ર રાજ્યમાં 24 કલાક અવિરત વીજળી પુરવઠો રહેશે. આ ઉપરાંત શહેરી વિકાસ અને ગ્રામીણ વિકાસ વિભાગોને ખાસ સ્વચ્છતા અભિયાન ચલાવવાના આદેશો પણ આપવામાં આવ્યા છે. જેથી શહેરો અને ગામડાઓમાં મંદિરોની આસપાસ સ્વચ્છ વાતાવરણ જાળવી શકાય. આ માટે, એવું કહેવામાં આવ્યું છે કે વધારાના સફાઈ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. જ્યારે, મંદિરોની નજીક ઇંડા કે માંસની દુકાનો ન હોય તેની ખાતરી કરવા માટે કહેવામાં આવ્યું છે.

03

અધિકારીઓનું કહેવું છે કે સૂચનાઓનું પાલન કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શહેરી વિકાસ વિભાગના મુખ્ય સચિવ અમૃત અભિજાતે તમામ જિલ્લા અધિકારીઓ, પોલીસ કમિશનરો અને મ્યુનિસિપલ કમિશનરોને ગેરકાયદેસર કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવાનો નિર્દેશ આપ્યો છે. ઉપરાંત, ધાર્મિક સ્થળોની નજીક માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

અમૃત અભિજાતના જણાવ્યા મુજબ, સૂચનાઓનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લા અધિકારીઓના નેતૃત્વ હેઠળ જિલ્લા સ્તરની સમિતિઓની રચના કરવામાં આવી છે. આ સમિતિઓમાં પોલીસ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પશુપાલન વિભાગ, પરિવહન વિભાગ, શ્રમ વિભાગ, આરોગ્ય વિભાગ અને ખાદ્ય સુરક્ષાના અધિકારીઓનો સમાવેશ થશે.

01

અધિકારીઓનું કહેવું છે કે, 6 એપ્રિલે રામ નવમીના દિવસે પ્રાણીઓની કતલ અને માંસના વેચાણ પર કડક પ્રતિબંધ લાદવામાં આવશે. UP મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, 1959 અને ફૂડ સેફ્ટી એક્ટ, 2006 અને 2011 હેઠળ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Related Posts

Top News

22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં એક નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પનો પર્દાફાશ થયો છે. જિલ્લાના કિશની વિસ્તારમાં જટપુરા ચાર રસ્તા પાસે 22 વીઘા...
National 
22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

અયોધ્યા રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના દિવસે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો હતો હવે 498 દિવસ પછી 5 જૂન...
Gujarat 
રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

કડી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર નીતિન પટેલને મોટો ઝટકો આપ્યો છે. નીતિન પટેલ જે ઉમદવારો માટે લોબીંગ કરી રહ્યા...
Gujarat 
કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી

હજીરા - સુરત, જૂન 4, 2025: વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) – વિશ્વના...
Gujarat 
AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી
Copyright (c) Khabarchhe All Rights Reserved.