'વંદે માતરમ' સમયે પણ ઉભું રહેવું પડશે... 'જન ગણ મન' જેવા નિયમો બનશે? સરકાર કરી રહી છે તૈયારી

કેન્દ્ર સરકાર રાષ્ટ્રગીત 'વંદે માતરમ' માટે પણ રાષ્ટ્રગાન જન ગણ મન' જેવા જ નિયમો બનાવવા પર વિચાર કરી રહી છે. આ મહિનાની શરૂઆતમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક થઈ હતી, જેમાં આ મુદ્દા પર ચર્ચા થઈ હતી. બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયે 'વંદે માતરમ' લખ્યું હતું અને સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન એક મોટો નારો બનીને ઉભર્યો હતો. બંધારણ સભાએ તેને રાષ્ટ્રગીત જેટલું જ સન્માન આપવાની માંગ કરી હતી. પરંતુ, હાલમાં તેને ગાવા માટે કોઈ અનિવાર્ય મુદ્રાઓ કે નિયમો નથી.

શું હોઈ શકે છે નવા નિયમો?

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ગૃહ મંત્રાલય તરફથી બોલાવવામાં આવેલી બેઠકમાં વરિષ્ઠ અધિકારીઓએ ચર્ચા કરી હતી કે શું રાષ્ટ્રગીત માટે પણ નિર્દેશ નક્કી કરવા જોઈએ?

રાષ્ટ્રગીત કઈ પરિસ્થિતિઓમાં ગાવું જોઈએ?

શું તેને રાષ્ટ્રગાન સાથે ગાવું ફરજિયાત કરવું જોઈએ?

શું અપમાન માટે સજા કે દંડ થવો જોઈએ?

vande-mataram
aajtak.in

ઉલ્લેખનીય છે કે, હાલમાં રાષ્ટ્રગાનના સન્માનને લઈને બંધારણના અનુચ્છેદ 51A(a)માં નાગરિકોની મૂળભૂત ફરજનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રગાનનું અપમાન કરવા બદલ 3 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. જોકે, હાલમાં રાષ્ટ્રગીત માટે આવા કોઈ કડક નિયમો નથી.

તાજેતરના વર્ષોમાં, વંદે માતરમનો મુદ્દો રાજકીય અને ઐતિહાસિક ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સંસદના શિયાળુ સત્ર દરમિયાન પણ આ મુદ્દા પર તીખી બહેસ થઈ હતી. ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર વંદે માતરમની ગરિમાને દબાવવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપનો આરોપ છે કે કોંગ્રેસે તુષ્ટિકરણની રાજનીતિને કારણે વર્ષ 1937માં આ ગીતમાંથી મહત્ત્વના છંદ હટાવી દીધા હતા. બીજી તરફ, કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે, ભાજપ ઇતિહાસને તોડી-મરોડીને રજૂ કરી રહી છે અને પશ્ચિમ બંગાળની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રગીત પર ચર્ચા કરવા માટે સમય કાઢ્યો.

vande-mataram2
news18.com

તાજેતરના વર્ષોમાં, કોર્ટોમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેમાં રાષ્ટ્રગીત ગાવા માટે એક માળખું તૈયાર કરવા અને એ સ્પષ્ટ કરવાની માંગ કરવામાં આવી છે કે શું રાષ્ટ્રીય સન્માનને ઠેસ પહોંચાડવાના નિવારણ અધિનિયમ, 1971 હેઠળ દંડનું પ્રવડાં કરી શકાય છે? આ કાયદો રાષ્ટ્રીય પ્રતિકોનો અનાદર અટકાવવા માટે બનાવવામાં આવ્યો હતો.

વર્ષ 2022માં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે 1971ના કાયદામાં રાષ્ટ્રગાન ગાતા અટકાવવા અથવા કોઈ સભામાં આવા ગાનમાં બાધા નાખવાને એક ગુનો માને છે, પરંતુ રાષ્ટ્રગીત માટે આવી કોઈ દંડનીય જોગવાઈઓ આપવામાં આવી નથી. સરકારે એમ પણ જણાવ્યું હતું કે 'વંદે માતરમ' ક્યારે ગાઈ શકાય અથવા વગાડી શકાય તે અંગે આજ સુધી કોઈ નિર્દેશ જાહેર કરવામાં આવ્યા નથી.

About The Author

Top News

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર...
Entertainment 
અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ...
Tech and Auto 
જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

થોડા દિવસો પહેલા, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે, જો ભારત T20 વર્લ્ડ કપમાં બોલિંગ કરવા...
Sports 
સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

યુદ્ધની અસર: દુબઈમાં ફળ અને શાકભાજીના 1000 કન્ટેનર સડી રહ્યા છે! ભારતને ભારે નુકસાન

મધ્ય પૂર્વમાં યુદ્ધના ઘર્ષણને કારણે મહારાષ્ટ્રના ખેડૂતો અને નિકાસકારોને ખુબ ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. દુબઈના જેબેલ...
Business 
યુદ્ધની અસર: દુબઈમાં ફળ અને શાકભાજીના 1000 કન્ટેનર સડી રહ્યા છે! ભારતને ભારે નુકસાન

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.