'વંદે માતરમ' સમયે પણ ઉભું રહેવું પડશે... 'જન ગણ મન' જેવા નિયમો બનશે? સરકાર કરી રહી છે તૈયારી

કેન્દ્ર સરકાર રાષ્ટ્રગીત 'વંદે માતરમ' માટે પણ રાષ્ટ્રગાન જન ગણ મન' જેવા જ નિયમો બનાવવા પર વિચાર કરી રહી છે. આ મહિનાની શરૂઆતમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક થઈ હતી, જેમાં આ મુદ્દા પર ચર્ચા થઈ હતી. બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયે 'વંદે માતરમ' લખ્યું હતું અને સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન એક મોટો નારો બનીને ઉભર્યો હતો. બંધારણ સભાએ તેને રાષ્ટ્રગીત જેટલું જ સન્માન આપવાની માંગ કરી હતી. પરંતુ, હાલમાં તેને ગાવા માટે કોઈ અનિવાર્ય મુદ્રાઓ કે નિયમો નથી.

શું હોઈ શકે છે નવા નિયમો?

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ગૃહ મંત્રાલય તરફથી બોલાવવામાં આવેલી બેઠકમાં વરિષ્ઠ અધિકારીઓએ ચર્ચા કરી હતી કે શું રાષ્ટ્રગીત માટે પણ નિર્દેશ નક્કી કરવા જોઈએ?

રાષ્ટ્રગીત કઈ પરિસ્થિતિઓમાં ગાવું જોઈએ?

શું તેને રાષ્ટ્રગાન સાથે ગાવું ફરજિયાત કરવું જોઈએ?

શું અપમાન માટે સજા કે દંડ થવો જોઈએ?

vande-mataram
aajtak.in

ઉલ્લેખનીય છે કે, હાલમાં રાષ્ટ્રગાનના સન્માનને લઈને બંધારણના અનુચ્છેદ 51A(a)માં નાગરિકોની મૂળભૂત ફરજનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રગાનનું અપમાન કરવા બદલ 3 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. જોકે, હાલમાં રાષ્ટ્રગીત માટે આવા કોઈ કડક નિયમો નથી.

તાજેતરના વર્ષોમાં, વંદે માતરમનો મુદ્દો રાજકીય અને ઐતિહાસિક ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સંસદના શિયાળુ સત્ર દરમિયાન પણ આ મુદ્દા પર તીખી બહેસ થઈ હતી. ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર વંદે માતરમની ગરિમાને દબાવવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપનો આરોપ છે કે કોંગ્રેસે તુષ્ટિકરણની રાજનીતિને કારણે વર્ષ 1937માં આ ગીતમાંથી મહત્ત્વના છંદ હટાવી દીધા હતા. બીજી તરફ, કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે, ભાજપ ઇતિહાસને તોડી-મરોડીને રજૂ કરી રહી છે અને પશ્ચિમ બંગાળની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રગીત પર ચર્ચા કરવા માટે સમય કાઢ્યો.

vande-mataram2
news18.com

તાજેતરના વર્ષોમાં, કોર્ટોમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેમાં રાષ્ટ્રગીત ગાવા માટે એક માળખું તૈયાર કરવા અને એ સ્પષ્ટ કરવાની માંગ કરવામાં આવી છે કે શું રાષ્ટ્રીય સન્માનને ઠેસ પહોંચાડવાના નિવારણ અધિનિયમ, 1971 હેઠળ દંડનું પ્રવડાં કરી શકાય છે? આ કાયદો રાષ્ટ્રીય પ્રતિકોનો અનાદર અટકાવવા માટે બનાવવામાં આવ્યો હતો.

વર્ષ 2022માં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે 1971ના કાયદામાં રાષ્ટ્રગાન ગાતા અટકાવવા અથવા કોઈ સભામાં આવા ગાનમાં બાધા નાખવાને એક ગુનો માને છે, પરંતુ રાષ્ટ્રગીત માટે આવી કોઈ દંડનીય જોગવાઈઓ આપવામાં આવી નથી. સરકારે એમ પણ જણાવ્યું હતું કે 'વંદે માતરમ' ક્યારે ગાઈ શકાય અથવા વગાડી શકાય તે અંગે આજ સુધી કોઈ નિર્દેશ જાહેર કરવામાં આવ્યા નથી.

About The Author

Top News

રાહુલ ગાંધીના ‘દેશ વેચવાના’ આરોપ પર વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવશે કિરેન રિજિજૂ

બુધવારે સંસદનું બજેટ સત્રમાં એ સમયે હોબાળો મચી ગયો, જ્યારે વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સરકાર પર અમેરિકા સાથેની ટ્રેડ...
Politics 
રાહુલ ગાંધીના ‘દેશ વેચવાના’ આરોપ પર વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવશે કિરેન રિજિજૂ

એક માત્ર ગોપાલ ઈટાલિયા પર ટક્યું ગુજરાત AAP નું સૌરાષ્ટ્રનું રાજકારણ. હવે શું થશે AAP નું?

ગુજરાતના રાજકીય સમીકરણોમાં આમ આદમી પાર્ટીની હાલત વિચાર માંગી લેનારી જણાઈ રહી છે. સૌરાષ્ટ્રમાં પાર્ટીનું અસ્તિત્વ મોટે ભાગે વિસાવદરના ધારાસભ્ય...
Opinion 
એક માત્ર ગોપાલ ઈટાલિયા પર ટક્યું ગુજરાત AAP નું સૌરાષ્ટ્રનું રાજકારણ. હવે શું થશે AAP નું?

HDFC બેંક વિવાદ: ‘હું ઠાકુર છું’ બાદ, ‘હું બ્રાહ્મણ છું’ પણ સામે આવી; જાણો કોણે શું કહ્યું?

કાનપુરમાં HDFC બેંકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બેંક કર્મચારી આસ્થા સિંહ ગુસ્સામાં કહેતી જોવા...
National 
HDFC બેંક વિવાદ: ‘હું ઠાકુર છું’ બાદ, ‘હું બ્રાહ્મણ છું’ પણ સામે આવી; જાણો કોણે શું કહ્યું?

ક્યારે વંદે માતરમ વગાડવું ફરજિયાત છે? ક્યારે ક્યારે ઊભા રહેવું જરૂરી છે? જાણી લો સરકારે બહાર પાડેલા નવા નિયમો વિશે

ગૃહ મંત્રાલયે રાષ્ટ્રગીત વંદે માતરમને લઈને નવા નિયમો બહાર પાડ્યા છે. સરકાર તરફથી બહાર પાડવામાં આવેલા નિર્દેશોમાં રાષ્ટ્ર ગીત ગાવા...
Education 
ક્યારે વંદે માતરમ વગાડવું ફરજિયાત છે? ક્યારે ક્યારે ઊભા રહેવું જરૂરી છે? જાણી લો સરકારે બહાર પાડેલા નવા નિયમો વિશે

Opinion

એક માત્ર ગોપાલ ઈટાલિયા પર ટક્યું ગુજરાત AAP નું સૌરાષ્ટ્રનું રાજકારણ. હવે શું થશે AAP નું? એક માત્ર ગોપાલ ઈટાલિયા પર ટક્યું ગુજરાત AAP નું સૌરાષ્ટ્રનું રાજકારણ. હવે શું થશે AAP નું?
ગુજરાતના રાજકીય સમીકરણોમાં આમ આદમી પાર્ટીની હાલત વિચાર માંગી લેનારી જણાઈ રહી છે. સૌરાષ્ટ્રમાં પાર્ટીનું અસ્તિત્વ મોટે ભાગે વિસાવદરના ધારાસભ્ય...
ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
Copyright (c) Khabarchhe All Rights Reserved.