એક દીકરો IAS, બીજો બિઝનેસમેન છતા પિતા વૃદ્ધાશ્રમમાં રહેવા મજબૂર

આજના આ બદલાતા જમાનામાં સૌ કોઈ પોતાની દુનિયામાં મશગૂલ છે. એટલું જ નહીં, વૃદ્ધ માતા-પિતા સાથે બેસીને શાંતિથી વાત કરવાનો પણ સમય નથી. એવામાં વૃદ્ધ માતા-પિતા એકલતા અનુભવે છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો આગ્રામાંથી સામે આવ્યો છે. એક દીકરો IAS અધિકારી, બીજો દીકરો મોટો વેપારી છતા પણ પિતા વૃદ્ધાશ્રમમાં રહેવા માટે મજબૂર છે. આ ચોંકાવનારો મામલો આગ્રામાંથી સામે આવ્યો છે. આગ્રામાં પત્ની અને દીકરાના વ્યવહારથી હેરાન થઈ ગયેલા એક વૃદ્ધ વૃદ્ધાશ્રમ પહોંચી ગયા. રામલાલ વૃદ્ધાશ્રમના લોકોએ પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે, વૃદ્ધનો એક દીકરો IAS છે અને બીજો દીકરો મોટો વેપારી છે. વૃદ્ધે વૃદ્ધાશ્રમમાં રહેનારા લોકોને પોતાની આપવીતી સંભળાવી. તેમણે કહ્યું કે, ઘરમાં તેમની સાથે નોકરો જેવો વ્યવહાર કરવામાં આવે છે. ઘરમાં કોઈપણ તેમની સાથે યોગ્યરીતે વાત નથી કરતું અને સતત અપમાનિત કરવામાં આવે છે.

વૃદ્ધે કહ્યું, તેઓ રોજ-રોજના અપમાનથી કંટાળીને આશ્રમમાં રહેવા આવી ગયા છે. વૃદ્ધની ઉંમર આશરે 78 વર્ષ છે અને બલ્કેશ્વર ક્ષેત્રમાં રહે છે. સેન્ટ્રલ બેંકમાં મેનેજરના પદ પરથી વીઆરએસ લઇને રિટાયર થઈ ગયા છે. વૃદ્ધે આશ્રમના લોકોને જણાવ્યું કે, તેમની પાસે કરોડો રૂપિયાનું મકાન છે. બધુ જ હોવા છતા પણ તેમની સાથે નોકરો જેવો વ્યવહાર કરવામાં આવે છે. પરિવારના તમામ સભ્યો પોતાની દુનિયામાં જીવી રહ્યા છે અને કોઈની પણ પાસે તેમની સાથે વાત કરવાનો સમય નથી.

તેમણે કહ્યું, મારો IAS દીકરો બીજા રાજ્યમાં નોકરી કરે છે અને તેની પાસે પિતા સાથે વાત કરવા માટે સમય નથી. નાનો દીકરો લાખો રૂપિયા લઇને અલગ થઈ ગયો છે. પત્ની દીકરા સાથે કમલા નગરના મકાનમાં રહે છે અને પૈસા લીધા બાદ નાનો દીકરો પિતા સાથે વાત નથી કરતો. વૃદ્ધનું કહેવુ છે કે, તેની પત્ની પણ મોટાભાગનો સમય મોબાઇલમાં વ્યસ્ત રહે છે. રોકવા-ટોકવા પર તેમનું અપમાન કરે છે. ત્યારબાદ, રામલાલ વૃદ્ધાશ્રમના માલિક શિવકુમાર શર્માએ ફોન કરીને પરિવારજનોને સૂચના આપી. આશ્રમમાં આવવાની જાણકારી પરિવારજનોને મળી તો 27 મેના રોજ વૃદ્ધના પરિવારજનો આશ્રમ પહોંચી ગયા. લેખિત સમજૂતિ કર્યા બાદ વૃદ્ધને પોતાની સાથે ઘરે લઈ ગયા. આ મામલો લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની ગયો છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.