સ્મૃતિ મંધાનાના પિતાને કેમ દુઃખાવો ઉપડ્યો? ડૉક્ટરે જણાવ્યું કારણ

ભારતીય ટીમની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના અને તેના પરિવાર એ સમયે આઘાતમાં આવી ગયા, જ્યારે સ્મૃતિના પિતા શ્રીનિવાસ મંધાનાની તબિયત અચાનક લથડી પડી. સ્મૃતિ અને પલાશ મુચ્છલના લગ્ન 23 નવેમ્બર રવિવારના રોજ થવાના હતા અને છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ રીત-રિવાજો થઈ ચૂક્યા હતા. જોકે, લગ્નના થોડા કલાકો અગાઉ જ રવિવારે સવારે તેમની તબિયત લથડી પડી, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને લગ્ન મુલતવી રાખવામાં આવ્યા હતા. હાલમાં તેઓ એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને ત્યાંના ડૉક્ટરે તેમની તબિયત બગડવાનું સંભવિત કારણ જણાવ્યું છે.

સ્મૃતિ મંધાના અને તેનો મ્યૂઝિક કમ્પોઝર મંગેતર પલાશ મુચ્છલના લગ્ન રવિવારે મહારાષ્ટ્રના સાંગલીમાં થવાના હતા. લગ્ન સ્મૃતિ મંધાનાના સાંગલીના નવા ઘરમાં થવાના હતા, જ્યાં છેલ્લા 3-4 દિવસથી વિવિધ રીત-રિવાજો ચાલી રહ્યા હતા. તેમના લગ્નનું શુભ મુહૂર્ત રવિવારે સાંજે 4:30 વાગ્યાની આસપાસ હતું, પરંતુ તે પહેલાં જ સ્મૃતિના પિતાની તબિયત અચાનક બગડી ગઈ. પરિવાર દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદન મુજબ, સવારે નાસ્તા દરમિયાન તેમની તબિયત બગડવા લાગી, ત્યારબાદ તેમને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.

Smriti Mandhana
livemint.com

તેઓ હાલમાં સાંગલીની સર્વહિત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યાં કાર્ડિયોલોજિસ્ટ મંધાનાના પિતાની સ્થિતિ પર નજર રાખી રહ્યા રહ્યા છે. મીડિયાને આપેલા નિવેદનમાં હોસ્પિટલના ડિરેક્ટર ડૉ. નમન શાહે શ્રીનિવાસ મંધાનાની હાલની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે તેમને હાર્ટ એટેકના લક્ષણો હતા. ડૉ. શાહના જણાવ્યા અનુસાર, ‘સ્મૃતિ મંધાનાના પિતા શ્રીનિવાસ મંધાનાને બપોરે 1:00-1:30 વાગ્યાની આસપાસ છાતીની ડાબી બાજુ દુઃખાવો થયો અને તેમને હાર્ટએટેકના લક્ષણો નજરે પડવા લાગ્યા. તેમને તાત્કાલિક સાંગલીની સર્વહિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને તેમની તપાસ કરવામાં આવી.

ડૉ. શાહે વધુમાં જણાવ્યું કે, અમારા કાર્ડિયોલોજિસ્ટ ડૉ. રોહન થાણેદારે પણ તેમની તપાસ કરી છે. તેમના ઇકોમાં કંઈ નવું બહાર આવ્યું નથી, પરંતુ તેઓ સતત ECB દેખરેખ હેઠળ છે. તેમને એન્જીયોગ્રામની પણ જરૂર પડી શકે છે. તેમનું બ્લડ પ્રેશર થોડું વધી ગયું છે, એટલે તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. લગ્નની મોસમ છે, એટલે ભાગ-દોડને કારણે શારીરિક અને માનસિક તણાવને કારણે હોઈ શકે છે.

PK
business-standard.com

પિતાની તબિયત બગડવાને કારણે, સ્મૃતિએ લગ્ન મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. મંધાનાના મેનેજરે મીડિયાને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે સ્મૃતિ તેના પિતાની ખૂબ નજીક છે, અને એટલે તેણે સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી તેના પિતા પૂરી રીતે સ્વસ્થ ન થાય ત્યાં સુધી તે લગ્ન નહીં કરે. એટલે તેણે અને પલાશ મુચ્છલે મળીને લગ્ન અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.

About The Author

Related Posts

Top News

કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને...

રવિવારે સુરત ખાતે અખિલ ભારતીય કોળી સમાજની એક અત્યંત મહત્ત્વપૂર્ણપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમાજના અગ્રણી નેતા...
Gujarat 
કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને...

અનિલ અંબાણીએ ચીનની 3 મોટી બેંકોને પણ નવડાવી દીધી છે

અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછુ થવાનું નામ નથી લેતી. બેંક ઓફ બરોડાએ અનિલ અંબાણી અને તેની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન સામે નવો...
Business 
અનિલ અંબાણીએ ચીનની 3 મોટી બેંકોને પણ નવડાવી દીધી છે

રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

રાજકોટમાં TRP જેમ ઝોનની ઘટના પછી મહાનગર પાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગે રાજકોટમાં  3 હજારથી વધુ ગેરકાયદે બંધકામો શોધી નાંખ્યા હતા....
Gujarat 
રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

ટીમ ઇન્ડિયાએ 2026 T20 વર્લ્ડ કપના સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. રવિવારે વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટથી હરાવીને સેમીફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત...
Sports 
T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.