સ્મૃતિ મંધાનાના પિતાને કેમ દુઃખાવો ઉપડ્યો? ડૉક્ટરે જણાવ્યું કારણ

ભારતીય ટીમની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના અને તેના પરિવાર એ સમયે આઘાતમાં આવી ગયા, જ્યારે સ્મૃતિના પિતા શ્રીનિવાસ મંધાનાની તબિયત અચાનક લથડી પડી. સ્મૃતિ અને પલાશ મુચ્છલના લગ્ન 23 નવેમ્બર રવિવારના રોજ થવાના હતા અને છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ રીત-રિવાજો થઈ ચૂક્યા હતા. જોકે, લગ્નના થોડા કલાકો અગાઉ જ રવિવારે સવારે તેમની તબિયત લથડી પડી, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને લગ્ન મુલતવી રાખવામાં આવ્યા હતા. હાલમાં તેઓ એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને ત્યાંના ડૉક્ટરે તેમની તબિયત બગડવાનું સંભવિત કારણ જણાવ્યું છે.

સ્મૃતિ મંધાના અને તેનો મ્યૂઝિક કમ્પોઝર મંગેતર પલાશ મુચ્છલના લગ્ન રવિવારે મહારાષ્ટ્રના સાંગલીમાં થવાના હતા. લગ્ન સ્મૃતિ મંધાનાના સાંગલીના નવા ઘરમાં થવાના હતા, જ્યાં છેલ્લા 3-4 દિવસથી વિવિધ રીત-રિવાજો ચાલી રહ્યા હતા. તેમના લગ્નનું શુભ મુહૂર્ત રવિવારે સાંજે 4:30 વાગ્યાની આસપાસ હતું, પરંતુ તે પહેલાં જ સ્મૃતિના પિતાની તબિયત અચાનક બગડી ગઈ. પરિવાર દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદન મુજબ, સવારે નાસ્તા દરમિયાન તેમની તબિયત બગડવા લાગી, ત્યારબાદ તેમને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.

Smriti Mandhana
livemint.com

તેઓ હાલમાં સાંગલીની સર્વહિત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યાં કાર્ડિયોલોજિસ્ટ મંધાનાના પિતાની સ્થિતિ પર નજર રાખી રહ્યા રહ્યા છે. મીડિયાને આપેલા નિવેદનમાં હોસ્પિટલના ડિરેક્ટર ડૉ. નમન શાહે શ્રીનિવાસ મંધાનાની હાલની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે તેમને હાર્ટ એટેકના લક્ષણો હતા. ડૉ. શાહના જણાવ્યા અનુસાર, ‘સ્મૃતિ મંધાનાના પિતા શ્રીનિવાસ મંધાનાને બપોરે 1:00-1:30 વાગ્યાની આસપાસ છાતીની ડાબી બાજુ દુઃખાવો થયો અને તેમને હાર્ટએટેકના લક્ષણો નજરે પડવા લાગ્યા. તેમને તાત્કાલિક સાંગલીની સર્વહિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને તેમની તપાસ કરવામાં આવી.

ડૉ. શાહે વધુમાં જણાવ્યું કે, અમારા કાર્ડિયોલોજિસ્ટ ડૉ. રોહન થાણેદારે પણ તેમની તપાસ કરી છે. તેમના ઇકોમાં કંઈ નવું બહાર આવ્યું નથી, પરંતુ તેઓ સતત ECB દેખરેખ હેઠળ છે. તેમને એન્જીયોગ્રામની પણ જરૂર પડી શકે છે. તેમનું બ્લડ પ્રેશર થોડું વધી ગયું છે, એટલે તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. લગ્નની મોસમ છે, એટલે ભાગ-દોડને કારણે શારીરિક અને માનસિક તણાવને કારણે હોઈ શકે છે.

PK
business-standard.com

પિતાની તબિયત બગડવાને કારણે, સ્મૃતિએ લગ્ન મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. મંધાનાના મેનેજરે મીડિયાને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે સ્મૃતિ તેના પિતાની ખૂબ નજીક છે, અને એટલે તેણે સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી તેના પિતા પૂરી રીતે સ્વસ્થ ન થાય ત્યાં સુધી તે લગ્ન નહીં કરે. એટલે તેણે અને પલાશ મુચ્છલે મળીને લગ્ન અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.

About The Author

Related Posts

Top News

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

પ્રયાગરાજના માઘ મેળા વિસ્તારમાં સેક્ટર-4, ત્રિવેણી માર્ગ પર સ્થિત શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના શિબિરમાં અસામાજિક તત્વોએ હોબાળો મચાવ્યો હતો. એવો...
National 
અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.