તોછડી હરકત! તુર્કી મદદ માટે જતા ભારતીય પ્લેનને પાકિસ્તાને ન આપ્યો રસ્તો

પાકિસ્તાને મંગળવારે સવારે ભૂકંપ પ્રભાવિત તુર્કી જનારા ભારતીય વાયુસેનાના વિમાનોને પોતાનો હવાઇ ક્ષેત્ર આપવાની ના પાડી દીધી છે. આ બીજી વખત છે જ્યારે પાકિસ્તાને ભારતને જરૂરિયાતમંદ દેશોને માનવીય સહાયતા મોકલવાથી રોકવાનો પ્રયાસ કર્યો છે. એક ન્યૂઝ ચેનલે આ જાણકારી આપી છે. તુર્કી અને સીરિયામાં આવેલા 7.8ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ અને ત્યારબાદ ઝાટકાના કારણે અત્યાર સુધી 4,983 લોકોના મોત થઇ ચૂક્યા છે. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ પૂર્વી કહરામનમારસમાં હતું અને તે કાહિરા સુધી અનુભવાયું હતું.

આખી દુનિયાના દેશોએ બચાવ પ્રયાસોમાં સહાયતા માટે ટીમોને મોકલી છે. તુર્કીની આપત્તિ સંચાલન એજન્સીએ કહ્યું કે, ઇમરજન્સી સેવાઓમાં 24,400 કરતા વધુ કર્મચારી રાહત અને બચાવ કાર્યોમાં લાગ્યા છે. આ સિલસિલામાં તુર્કીઓની દરેક સંભવિત મદદની રજૂઆતને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ બાદ ભારતે સોમવારે NDRFની શોધ અને બચાવ ટીમ, મેડિકલ ટીમ અને રાહત બચાવ ટીમને તુર્કી મોકલવાનો નિર્ણય લીધો હતો. રાહત સામગ્રી સાથે ભારતીય વાયુ સેનાનો પહેલો વિમાન સોમવારે રાત્રે તુર્કી માટે મોકલવામાં આવ્યો, જે મંગળવારે સવારે ભારતીય સમય મુજબ 10:30 વાગ્યે તુર્કીનાઆ અડાણા એરપોર્ટ પહોંચી ગયો.

ભૂકંપ રાહત સામગ્રીમાં NDRFના વિશેષ શોધ અને બચાવ ટીમ સામેલ છે જેમાં પુરુષ અને મહિલા કર્મી, ડોગ ક્વોડ, ચિકિત્સ્કિય પુરવઠો, ઉન્નત ડ્રિલિંગ ઉપકરણ અને સહાયતા પ્રયાસો માટે આવશ્યક અન્ય મહત્ત્વપૂર્ણ ઉપકરણ સામેલ છે. ગત વખત પાકિસ્તાને ભારતને પોતાના હવાઇ ક્ષેત્રનો ઉપયોગ કરવાથી વર્ષ 2021માં રોક્યું હતું, જ્યારે અફઘાનિસ્તાન પર તાલિબાને કબજો કરી લીધો હતો. એ જ વર્ષે ડિસેમ્બરમાં ભારતે યુદ્વગ્રસ્ત રાષ્ટ્રને માનવીય સહાયતાના એક હિસ્સાના રૂપમાં અફઘાનિસ્તાનને 50,000 મેટ્રિક ટન ઘઉં મોકલવાનો નિર્ણય લીધો હતો. પુરવઠામાં જીવન રક્ષક દવાઓ પણ હતી, પરંતુ પાકિસ્તાને એ સમયે પણ અડચણો ઉત્પન્ન કરી હતી.

આ દરમિયાન ભારત સરકાર દ્વારા ભૂકંપ પ્રભાવિત તુર્કીની મદદ કરવાના નિર્ણય હેઠળ તુર્કીના લોકોને ચિકિત્સા સહાયતા ઉપલબ્ધ કરાવવા માટે ભારતીય સેનાએ મંગળવારે ડૉક્ટરોની ટીમ મોકલી. અધિકારીઓએ કહ્યું કે, આગ્રા સ્થિત આર્મી ફિલ્ડ હૉસ્પિટલે 89 સભ્યોની મેડિકલ ટીમ મોકલવામાં આવી છે. મેડિકલ ટીમમાં અન્ય સિવાય સખત ચિકિત્સા દેખરેખ વિશેષજ્ઞ પણ છે. આ ટીમમાં ઓર્થોપેડિક (હાડકાંનો રોગ), સર્જરી ટીમ, સામાન્ય સર્જરીની વિશેષ ટીમ અને મેડિકલ વિશેષજ્ઞ ટીમો સામેલ છે. આ ટીમ એક્સ-રે મશીન, વેન્ટિલેટર ઑક્સિજન જનરેશન પ્લાન્ટ, હૃદય ગતિ માપવામાં માટે કાર્ડિયાક મોનિટર અને સંબંધિત ઉપકરણોથી લેસ છે જે 30 બેડવાળી મેડિકલ હૉસ્પિટલમાં ઉપયોગી વસ્તુઓ બરાબર છે.

Top News

સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા પર તેમને ગૃહમાં બોલવાની તક ન આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું...
National 
સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

ઉત્તર પ્રદેશના મેરઠમાં ઈદ-ઉલ-ફિત્રની નમાઝને લઈને પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ સડક...
National 
જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી

ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
Opinion 
જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી

'બ્રેસ્ટ પકડવું રેપ નથી...' અલ્હાબાદ HCની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

26 માર્ચ 2025ના રોજ સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં અલ્હાબાદ હાઈકોર્ટના તે વિવાદાસ્પદ નિર્ણય પર રોક લગાવી દીધી જેમાં...
National 
'બ્રેસ્ટ પકડવું રેપ નથી...' અલ્હાબાદ HCની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

Opinion

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.