તોછડી હરકત! તુર્કી મદદ માટે જતા ભારતીય પ્લેનને પાકિસ્તાને ન આપ્યો રસ્તો

પાકિસ્તાને મંગળવારે સવારે ભૂકંપ પ્રભાવિત તુર્કી જનારા ભારતીય વાયુસેનાના વિમાનોને પોતાનો હવાઇ ક્ષેત્ર આપવાની ના પાડી દીધી છે. આ બીજી વખત છે જ્યારે પાકિસ્તાને ભારતને જરૂરિયાતમંદ દેશોને માનવીય સહાયતા મોકલવાથી રોકવાનો પ્રયાસ કર્યો છે. એક ન્યૂઝ ચેનલે આ જાણકારી આપી છે. તુર્કી અને સીરિયામાં આવેલા 7.8ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ અને ત્યારબાદ ઝાટકાના કારણે અત્યાર સુધી 4,983 લોકોના મોત થઇ ચૂક્યા છે. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ પૂર્વી કહરામનમારસમાં હતું અને તે કાહિરા સુધી અનુભવાયું હતું.

આખી દુનિયાના દેશોએ બચાવ પ્રયાસોમાં સહાયતા માટે ટીમોને મોકલી છે. તુર્કીની આપત્તિ સંચાલન એજન્સીએ કહ્યું કે, ઇમરજન્સી સેવાઓમાં 24,400 કરતા વધુ કર્મચારી રાહત અને બચાવ કાર્યોમાં લાગ્યા છે. આ સિલસિલામાં તુર્કીઓની દરેક સંભવિત મદદની રજૂઆતને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ બાદ ભારતે સોમવારે NDRFની શોધ અને બચાવ ટીમ, મેડિકલ ટીમ અને રાહત બચાવ ટીમને તુર્કી મોકલવાનો નિર્ણય લીધો હતો. રાહત સામગ્રી સાથે ભારતીય વાયુ સેનાનો પહેલો વિમાન સોમવારે રાત્રે તુર્કી માટે મોકલવામાં આવ્યો, જે મંગળવારે સવારે ભારતીય સમય મુજબ 10:30 વાગ્યે તુર્કીનાઆ અડાણા એરપોર્ટ પહોંચી ગયો.

ભૂકંપ રાહત સામગ્રીમાં NDRFના વિશેષ શોધ અને બચાવ ટીમ સામેલ છે જેમાં પુરુષ અને મહિલા કર્મી, ડોગ ક્વોડ, ચિકિત્સ્કિય પુરવઠો, ઉન્નત ડ્રિલિંગ ઉપકરણ અને સહાયતા પ્રયાસો માટે આવશ્યક અન્ય મહત્ત્વપૂર્ણ ઉપકરણ સામેલ છે. ગત વખત પાકિસ્તાને ભારતને પોતાના હવાઇ ક્ષેત્રનો ઉપયોગ કરવાથી વર્ષ 2021માં રોક્યું હતું, જ્યારે અફઘાનિસ્તાન પર તાલિબાને કબજો કરી લીધો હતો. એ જ વર્ષે ડિસેમ્બરમાં ભારતે યુદ્વગ્રસ્ત રાષ્ટ્રને માનવીય સહાયતાના એક હિસ્સાના રૂપમાં અફઘાનિસ્તાનને 50,000 મેટ્રિક ટન ઘઉં મોકલવાનો નિર્ણય લીધો હતો. પુરવઠામાં જીવન રક્ષક દવાઓ પણ હતી, પરંતુ પાકિસ્તાને એ સમયે પણ અડચણો ઉત્પન્ન કરી હતી.

આ દરમિયાન ભારત સરકાર દ્વારા ભૂકંપ પ્રભાવિત તુર્કીની મદદ કરવાના નિર્ણય હેઠળ તુર્કીના લોકોને ચિકિત્સા સહાયતા ઉપલબ્ધ કરાવવા માટે ભારતીય સેનાએ મંગળવારે ડૉક્ટરોની ટીમ મોકલી. અધિકારીઓએ કહ્યું કે, આગ્રા સ્થિત આર્મી ફિલ્ડ હૉસ્પિટલે 89 સભ્યોની મેડિકલ ટીમ મોકલવામાં આવી છે. મેડિકલ ટીમમાં અન્ય સિવાય સખત ચિકિત્સા દેખરેખ વિશેષજ્ઞ પણ છે. આ ટીમમાં ઓર્થોપેડિક (હાડકાંનો રોગ), સર્જરી ટીમ, સામાન્ય સર્જરીની વિશેષ ટીમ અને મેડિકલ વિશેષજ્ઞ ટીમો સામેલ છે. આ ટીમ એક્સ-રે મશીન, વેન્ટિલેટર ઑક્સિજન જનરેશન પ્લાન્ટ, હૃદય ગતિ માપવામાં માટે કાર્ડિયાક મોનિટર અને સંબંધિત ઉપકરણોથી લેસ છે જે 30 બેડવાળી મેડિકલ હૉસ્પિટલમાં ઉપયોગી વસ્તુઓ બરાબર છે.

Related Posts

Top News

ઇઝરાયલ-ઇરાનના દંગલથી ભારતનું ટેન્શન કેમ વધી ગયું છે?

ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના યુદ્ધને કારણે આખી દુનિયા ટેન્શનમાં આવી ગઇ છે. જો બંને દેશો વચ્ચેનું યુદ્ધ આગળ વધ્યું તો...
World 
ઇઝરાયલ-ઇરાનના દંગલથી ભારતનું ટેન્શન કેમ વધી ગયું છે?

ગુજરાતમાં 5,300 વર્ષ જૂની પ્રાચીન હડપ્પા વસાહત મળી આવી

કેરળ યુનિવર્સિટીના પુરાતત્વવિદોએ ગુજરાતના પશ્ચિમી કચ્છ વિસ્તારાં આવેલા લાખાપર ગામમાં 5300 વર્ષ જુની વસાહત શોધી કાઢી છે. ખોદકામ દરમિયાન પ્રાચીન...
Gujarat 
ગુજરાતમાં 5,300 વર્ષ જૂની પ્રાચીન હડપ્પા વસાહત મળી આવી

વિજય રૂપાણીના એક નિર્ણયને કારણે આ ગામના લોકો કરોડપતિ બની ગયા હતા

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી 12 જૂને થયેલી વિમાન દુર્ઘટનામાં પ્રભુને પ્યારા થઇ ગયા, પરંતુ તેમણે લીધેલા એક નિર્ણયને...
Gujarat 
વિજય રૂપાણીના એક નિર્ણયને કારણે આ ગામના લોકો કરોડપતિ બની ગયા હતા

સોમવારે શેરબજારમાં આ 3 મોટા પરિબળો ભાગ ભજવશે

ગયા અઠવાડિયે શેરબજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો અને આગામી સપ્તાહમાં પણ કેટલાક પરિબળો પર ધ્યાન કેન્દ્રિત રહેશે, જેના...
Business 
સોમવારે શેરબજારમાં આ 3 મોટા પરિબળો ભાગ ભજવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.