હવે આપણા મિત્ર દેશ પણ નથી ઇચ્છતા કે પાકિસ્તાન ભીખનો કટોરો લઈને આવે..’ શાહબાજનું મોટું કબૂલનામું

ભારતથી એક દિવસ અગાઉ આઝાદી મેળવનાર પાકિસ્તાનની હાલત એવી છે કે તે મોટા ભાગે પોતાના મિત્ર રાષ્ટ્રો સામે ભીખનો કટોરો લઈને ઉભું રહેલું નજરે પડે છે. ભારત અને પાકિસ્તાન બંનેના વિકાસની ગતિમાં ખૂબ અંતર છે. પાકિસ્તાને પોતાના નાપાક ઇરાદાઓને પૂરા કરવા માટે આતંકવાદનો માર્ગ પસંદ કર્યો. જેના માટે તેને ઘણી વખત મોટી કિંમત પણ ચૂકવવી પડી છે, પરંતુ હવે પણ પાકિસ્તાનના શાસકો આતંકવાદીઓનું ડાચું કચડી નાખવાની જગ્યાએ તેમના આશ્રય હેઠળ પોષી રહ્યા છે.

shahbaz-sharif
deccanherald.com

હાલના સમયમાં, પાકિસ્તાનની આર્થિક સ્થિતિ એવી ખરાબ ગઈ હતી કે લોકો લોટના કોથળા માટે એક-બીજાનું લોહી વહેવતા જોવા મળ્યા હતા. રાજકીય ઉથલ-પાથલ અને સેનાના દબાણથી પાકિસ્તાન અત્યાર સુધી લોનના સહારે ચાલી રહ્યું છે. આ વાત પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ ખુલ્લા મંચ પર કબૂલી લીધી છે. શનિવારે એક સૈન્ય કાર્યક્રમમાં, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે હવે આપણા મિત્રો પણ નથી ઇચ્છતા કે પાકિસ્તાન ભીખનો કટોરો લઈને આવે.

પોતાના સંબોધન દરમિયાન, વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે ચીન અને સાઉદી અરબ આપણાં સૌથી ભરોસાપાત્ર મિત્રો છે. તુર્કી, કતર અને UAE પણ, પરંતુ હવે તેઓ વેપારથી લઈને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં ભાગીદારીની અપેક્ષા રાખે છે. તેઓ નથી ઇચ્છતા કે આપણે ભીખનો કટોરો લઈને તેમની પાસે જઈએ છીએ. વડાપ્રધાન શરીફે વધુમાં કહ્યું કે, હું અને આર્મી ચીફ આસીમ મુનીર એવું કરનાર છેલ્લા વ્યક્તિ હોઇશું. ઉલ્લેખનીય છે કે ચીન, અમેરિકા, તુર્કી, કતર સાથે-સાથે IMF અને અન્ય ઇન્ટરનેશનલ સંસ્થાઓએ અલગ-અલગ અવસરો પર પાકિસ્તાનને મોટી આર્થિક મદદ કરી છે, પરંતુ આ આર્થિક મદદ બાદ પણ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ટ્રેક પર ફરી શકી નથી.

About The Author

Related Posts

Top News

અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

અમદાવાદમાં કેટલીક સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવા માટે એક અભિયાન શરૂ થયું છે અને અત્યાર સુધીમાં 100થી વધુ સોસાયટીઓ કલેકટરને...
Gujarat 
અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-03-2025 વાર- શનિવાર  મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
Gujarat 
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.