ભારત સાથે તમામ મુદ્દાઓ ઉકેલવા માટે દુનિયાભરમાં વિનંતી કરી રહ્યા છે શાહબાઝ શરીફ, હવે ઈરાનમાં વ્યક્ત કરી ઈચ્છા

પાકિસ્તાનના ઓપરેશન સિંદૂર પછી, તેઓ ભાનમાં આવી ગયા છે. હવે તે ભારત સાથેના તેના બધા તણાવનો અંત લાવવા માંગે છે. પાકિસ્તાન ભારત સાથે કાશ્મીર, અને વેપાર વગેરે જેવા તમામ મુદ્દાઓનો ઉકેલ લાવવા માંગે છે. આ ઈચ્છા ખુદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ઈરાનની મુલાકાત દરમિયાન વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ આ દિવસોમાં ઈરાનની મુલાકાતે છે.

pakistan1
livehindustan.com

ઈરાન પહોંચ્યા પાકિસ્તાનના વડાપ્રધાન 

પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે 26 મેના રોજ કાશ્મીર, આતંકવાદ, પાણી અને વેપાર સહિતના તમામ મુદ્દાઓના ઉકેલ માટે ભારત સાથે શાંતિ વાટાઘાટો કરવાની વાત કરી હતી. શાહબાઝ શરીફ હાલમાં ઈરાનની રાજધાની તેહરાનમાં છે. પાકિસ્તાનના પીએમ તેમની ચાર દેશોની મુલાકાતના બીજા તબક્કામાં અહીં પહોંચ્યા છે. વડાપ્રધાન શાહબાઝ શરીફ અગાઉ તુર્કી પહોંચ્યા હતા જ્યાંથી તેઓ ઈરાનની રાજધાની પહોંચ્યા હતા જ્યાં રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયને સાદાબાદ પેલેસમાં તેમનું સ્વાગત કર્યું હતું. અહીં પાકિસ્તાની પીએમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ પછી, પાકિસ્તાની વડાપ્રધાન અને ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશકિયન વચ્ચે વાતચીત થઈ.

pakistan
bharat24live.com

ભારત સાથે વાતચીત કરવા તૈયાર - શાહબાઝ શરીફ

પેઝેશકિયન સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા શાહબાઝ શરીફે કહ્યું કે તેઓ શાંતિ માટે ભારત સાથે વાતચીત કરવા તૈયાર છે. તેમણે કહ્યું, "અમે કાશ્મીર અને પાણીના મુદ્દા સહિત તમામ વિવાદોનો ઉકેલ વાતચીત દ્વારા લાવવા માંગીએ છીએ અને અમારા પાડોશી (ભારત) સાથે વેપાર અને આતંકવાદ વિરોધી મુદ્દાઓ પર વાત કરવા પણ તૈયાર છીએ."

અમે પ્રામાણિકતા અને ગંભીરતા સાથે શાંતિ ઇચ્છીએ છીએ - શરીફ

જોકે, પાકિસ્તાનના વડાપ્રધાને આગળ કહ્યું કે જો ભારત યુદ્ધનો માર્ગ અપનાવશે તો પાકિસ્તાન જવાબ આપશે. તેમણે કહ્યું, 'જો તેઓ આક્રમક વલણ અપનાવે છે, તો અમે થોડા દિવસ પહેલાની જેમ અમારી જમીનનો બચાવ કરીશું.' શરીફે વધુમાં કહ્યું, પરંતુ જો ભારત શાંતિની મારી ઓફર સ્વીકારે છે, તો અમે બતાવીશું કે અમે ખરેખર સંપૂર્ણ ઇમાનદારી અને ગંભીરતા સાથે શાંતિ ઇચ્છીએ છીએ.

તો ભારતે પહેલાથી જ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે કે તે પાકિસ્તાન સાથે ફક્ત પીઓકે વાપસી અને આતંકવાદના મુદ્દા પર જ વાત કરશે.

 

 

About The Author

Related Posts

Top News

યુરોપમાં ગરમીએ કાળો કેર વર્તાવ્યો! સરકારી એજન્સીના આંકડા બળબળતા તાપને કારણે 1000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા

પશ્ચિમ યુરોપના મોટા ભાગોમાં રેકોર્ડબ્રેક ગરમીએ તબાહી મચાવી છે. તીવ્ર ગરમીથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં ફ્રાન્સનો સમાવેશ થાય છે. ફ્રેન્ચ...
World 
યુરોપમાં ગરમીએ કાળો કેર વર્તાવ્યો! સરકારી એજન્સીના આંકડા બળબળતા તાપને કારણે 1000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા

UPની ચૂંટણીમાં કોંગ્રેસે અડધી બેઠકો માંગી; માયાવતીના વખાણ કર્યા, અખિલેશ ટેન્શનમાં

આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે INDIA ગઠબંધનમાં ચેકમેટનો ખેલ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના નવનિયુક્ત ઉત્તર પ્રદેશ પ્રભારી રાજેન્દ્ર...
National 
UPની ચૂંટણીમાં કોંગ્રેસે અડધી બેઠકો માંગી; માયાવતીના વખાણ કર્યા, અખિલેશ ટેન્શનમાં

પ્લેટફોર્મ ટિકિટ હોવા છતા ₹500નો દંડ કેમ ફટકારવામાં આવ્યો? TTEએ જણાવ્યું કારણ

  લોકો ઘણીવાર રેલવે સ્ટેશનો પર સંબંધીઓ કે મિત્રોને છોડવા આવેલા માટે પ્લેટફોર્મ ટિકિટ ખરીદે છે. પરંતુ, શું તમે જાણો...
Business 
પ્લેટફોર્મ ટિકિટ હોવા છતા ₹500નો દંડ કેમ ફટકારવામાં આવ્યો? TTEએ જણાવ્યું કારણ

E20 પેટ્રોલ ફરજિયાત કેમ? જૂના વાહનો માટે E5 કે E10નો વિકલ્પ કેમ નથી આપી રહી સરકાર?

શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જે પેટ્રોમને તમારી કાર કે બાઇકમાં ભરાવો છે, તે કોના હિતોમાં ફેરફાર થઇ...
Tech and Auto 
E20 પેટ્રોલ ફરજિયાત કેમ? જૂના વાહનો માટે E5 કે E10નો વિકલ્પ કેમ નથી આપી રહી સરકાર?
Copyright (c) Khabarchhe All Rights Reserved.