ગુરુદ્વારામાં ફાયરિંગ, નિહંગ સિખે લીધો એક પોલીસકર્મીનો જીવ, 5 ઇજાગ્રસ્ત

On

ગુરુવારે સવારે કપૂરથલાના સુલ્તાનપુર લોધીમાં નિહંગ સિખો સાથે ઘર્ષણમાં પંજાબ પોલીસના એક કોન્સ્ટેબલનું મોત થઈ ગયું, જ્યારે 5 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થઈ ગયા છે. મૃતક કોન્સ્ટેબલની ઓળખ જયપાલ સિંહના રૂપમાં થઈ છે. જે સુલ્તાનપુર લોધી પોલીસ સ્ટેશનમાં તૈનાત હતો. મુખ્ય ગુરુદ્વારા બેર સાહિબ સામે સ્થિત ગુરુદ્વારા શ્રી અકાલ બુંગા પર નિયંત્રણને લઈને 2 નિહંગ ગ્રુપ છેલ્લા 3 દિવસોથી સામસામે હતા. ગુરુવારે સવારે સ્થિતિ ત્યારે બગડી ગઈ, જ્યારે પોલીસે માન સિંહના નેતૃત્વવાળા નિહંગ ગ્રુપ સાથે ગુરુવારા ખાલી કરાવવાનો પ્રયાસ કર્યો.

તેમના સભ્યોએ પોલીસ ટીમ પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધી, જેમાં એક પોલીસ કોન્સ્ટેબલનું મોત થઈ ગયું અને 5 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થઈ ગયા, જેઓ હાલમાં સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ છે. 27 નવેમ્બરના રોજ પ્રથમ સિખ ગુરુ નાનક દેવની જયંતી અગાઉ વિસ્તારમાં તણાવ વ્યાપી ગયો છે. મીડિયા રિપોર્ટ મુજબ, ભારે હથિયારોથી લેસ નિહંગ સિખોએ ગુરુદ્વારાને અંદરથી બંધ કરી દીધા હતા છે. પોલીસે આખા વિસ્તારની બેરિકેડિંગ કરી દીધી છે અને નિહંગ ગ્રુપ પાસેથી કબજો ખાલી કરાવવા માટે વાતચીત શરૂ કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ ગુરુદ્વારા પર પટિયાલા સ્થિત બાબા બુડ્ઢા દળ બલબીર સિંહનો કબજો હતો, પરંતુ 21 નવેબરના રોજ તેમનો વિરોધી ગ્રુપ માન સિંહે ગુરુદ્વારાના બે કર્મચારીઓ સાથે નિર્દયી રીત મારામારી કરીને ગુરુદ્વારા પર ગેરકાયદેસર કબજો કરી લીધો હતો. પોલીસ દ્વારા અગાઉ 21 નવેમ્બરના રોજ હત્યાના પ્રયાસ અને IPCની અન્ય કલમો હેઠળ FIR નોંધી લેવામાં આવી છે અને બુધવારે માન સિંહ ગ્રુપના 10 નિહંગોની ધરપકડ કરી લીધી છે.

બંને ગ્રુપમાં વર્ષ 2020માં પણ ઘર્ષણ થયું હતું, જેમાં એક નિહંગનું મોત થઈ ગયું હતું. નિહંગ સિખ યોદ્ધાઓનું એક ગ્રુપ છે, જેની સ્થાપના 1699માં ગુરુ ગોવિંદ સિંહ દ્વારા ખાલસાના નિર્માણથી થઈ છે. તેઓ પોતાના બ્લૂ વસ્ત્ર અને સજેલી પાઘડીથી ઓળખાય છે. તેઓ મોટા ભાગે તલવાર અને ભલા જેવા હથિયાર લઈને ચાલે છે. વર્ષ 2020માં નિહંગ પ્રદર્શનકારીઓએ પટિયાલામાં એક પોલીસ અધિકારીનો હાથ કાપી દીધો હતો. ત્યારે કોરોના લોકડાઉન લગાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

Related Posts

Top News

ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ લોનીથી ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરને કારણ બતાવો નોટિસ જાહેર...
National  Politics 
ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

દેશના જાણીતા દાનવીર અને ઉદ્યોગપતિ  HCLના સ્થાપક શિવ નાદરે તેમની એકની એક દીકરી માટે મોટો નિર્ણય લીધો છે. શિવ...
Business 
HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

બિહારના મુઝફ્ફરપુરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં પરિણીત પ્રેમિકાને છુપાઈને મળવા પહોંચેલા પ્રેમીને રંગે હાથે પકડીને ઢોર માર...
National 
પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

મેં કોંગ્રેસના રાજમાં 7 દિવસ જેલનું ખાવાનું ખાધું, મને દંડાથી માર્યો પણ: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે આસામમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે એક વિદ્યાર્થી તરીકે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને તેમની...
National 
મેં કોંગ્રેસના રાજમાં 7 દિવસ જેલનું ખાવાનું ખાધું, મને દંડાથી માર્યો પણ: અમિત શાહ
Copyright (c) Khabarchhe All Rights Reserved.