ગુરુદ્વારામાં ફાયરિંગ, નિહંગ સિખે લીધો એક પોલીસકર્મીનો જીવ, 5 ઇજાગ્રસ્ત

ગુરુવારે સવારે કપૂરથલાના સુલ્તાનપુર લોધીમાં નિહંગ સિખો સાથે ઘર્ષણમાં પંજાબ પોલીસના એક કોન્સ્ટેબલનું મોત થઈ ગયું, જ્યારે 5 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થઈ ગયા છે. મૃતક કોન્સ્ટેબલની ઓળખ જયપાલ સિંહના રૂપમાં થઈ છે. જે સુલ્તાનપુર લોધી પોલીસ સ્ટેશનમાં તૈનાત હતો. મુખ્ય ગુરુદ્વારા બેર સાહિબ સામે સ્થિત ગુરુદ્વારા શ્રી અકાલ બુંગા પર નિયંત્રણને લઈને 2 નિહંગ ગ્રુપ છેલ્લા 3 દિવસોથી સામસામે હતા. ગુરુવારે સવારે સ્થિતિ ત્યારે બગડી ગઈ, જ્યારે પોલીસે માન સિંહના નેતૃત્વવાળા નિહંગ ગ્રુપ સાથે ગુરુવારા ખાલી કરાવવાનો પ્રયાસ કર્યો.

તેમના સભ્યોએ પોલીસ ટીમ પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધી, જેમાં એક પોલીસ કોન્સ્ટેબલનું મોત થઈ ગયું અને 5 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થઈ ગયા, જેઓ હાલમાં સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ છે. 27 નવેમ્બરના રોજ પ્રથમ સિખ ગુરુ નાનક દેવની જયંતી અગાઉ વિસ્તારમાં તણાવ વ્યાપી ગયો છે. મીડિયા રિપોર્ટ મુજબ, ભારે હથિયારોથી લેસ નિહંગ સિખોએ ગુરુદ્વારાને અંદરથી બંધ કરી દીધા હતા છે. પોલીસે આખા વિસ્તારની બેરિકેડિંગ કરી દીધી છે અને નિહંગ ગ્રુપ પાસેથી કબજો ખાલી કરાવવા માટે વાતચીત શરૂ કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ ગુરુદ્વારા પર પટિયાલા સ્થિત બાબા બુડ્ઢા દળ બલબીર સિંહનો કબજો હતો, પરંતુ 21 નવેબરના રોજ તેમનો વિરોધી ગ્રુપ માન સિંહે ગુરુદ્વારાના બે કર્મચારીઓ સાથે નિર્દયી રીત મારામારી કરીને ગુરુદ્વારા પર ગેરકાયદેસર કબજો કરી લીધો હતો. પોલીસ દ્વારા અગાઉ 21 નવેમ્બરના રોજ હત્યાના પ્રયાસ અને IPCની અન્ય કલમો હેઠળ FIR નોંધી લેવામાં આવી છે અને બુધવારે માન સિંહ ગ્રુપના 10 નિહંગોની ધરપકડ કરી લીધી છે.

બંને ગ્રુપમાં વર્ષ 2020માં પણ ઘર્ષણ થયું હતું, જેમાં એક નિહંગનું મોત થઈ ગયું હતું. નિહંગ સિખ યોદ્ધાઓનું એક ગ્રુપ છે, જેની સ્થાપના 1699માં ગુરુ ગોવિંદ સિંહ દ્વારા ખાલસાના નિર્માણથી થઈ છે. તેઓ પોતાના બ્લૂ વસ્ત્ર અને સજેલી પાઘડીથી ઓળખાય છે. તેઓ મોટા ભાગે તલવાર અને ભલા જેવા હથિયાર લઈને ચાલે છે. વર્ષ 2020માં નિહંગ પ્રદર્શનકારીઓએ પટિયાલામાં એક પોલીસ અધિકારીનો હાથ કાપી દીધો હતો. ત્યારે કોરોના લોકડાઉન લગાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

Related Posts

Top News

કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

કડી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર નીતિન પટેલને મોટો ઝટકો આપ્યો છે. નીતિન પટેલ જે ઉમદવારો માટે લોબીંગ કરી રહ્યા...
Gujarat 
કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી

હજીરા - સુરત, જૂન 4, 2025: વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) – વિશ્વના...
Gujarat 
AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી

બકરી ઇદ પહેલા IAS નિયાઝ ખાને કહ્યું- 'પ્રાણીઓનું લોહી વહાવવું બિલકુલ વાજબી નથી, તેમનું...'

બકરી ઇદ પહેલા, મધ્યપ્રદેશના IAS અધિકારી નિયાઝ ખાનની એક સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચામાં છે. તેમણે પ્રાણીઓનું લોહી વહેવડાવવાને અયોગ્ય...
National 
બકરી ઇદ પહેલા IAS નિયાઝ ખાને કહ્યું- 'પ્રાણીઓનું લોહી વહાવવું બિલકુલ વાજબી નથી, તેમનું...'

નબળા ઉદ્ધવ ઠાકરે સાથે હાથ મિલાવવા માટે રાજ ઠાકરેએ અકડ બતાવી, કરી આ માંગણી

મહારાષ્ટ્રના રાજકારણમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા શિવસેના ઉદ્ધવ ઠાકરેએ હવે બધું ભુલાવીને ભારે હૃદયથી પોતાના જૂના રાજકીય દુશ્મનો તરફ મિત્રતાનો હાથ...
National 
નબળા ઉદ્ધવ ઠાકરે સાથે હાથ મિલાવવા માટે રાજ ઠાકરેએ અકડ બતાવી, કરી આ માંગણી
Copyright (c) Khabarchhe All Rights Reserved.