ગુરુદ્વારામાં ફાયરિંગ, નિહંગ સિખે લીધો એક પોલીસકર્મીનો જીવ, 5 ઇજાગ્રસ્ત

ગુરુવારે સવારે કપૂરથલાના સુલ્તાનપુર લોધીમાં નિહંગ સિખો સાથે ઘર્ષણમાં પંજાબ પોલીસના એક કોન્સ્ટેબલનું મોત થઈ ગયું, જ્યારે 5 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થઈ ગયા છે. મૃતક કોન્સ્ટેબલની ઓળખ જયપાલ સિંહના રૂપમાં થઈ છે. જે સુલ્તાનપુર લોધી પોલીસ સ્ટેશનમાં તૈનાત હતો. મુખ્ય ગુરુદ્વારા બેર સાહિબ સામે સ્થિત ગુરુદ્વારા શ્રી અકાલ બુંગા પર નિયંત્રણને લઈને 2 નિહંગ ગ્રુપ છેલ્લા 3 દિવસોથી સામસામે હતા. ગુરુવારે સવારે સ્થિતિ ત્યારે બગડી ગઈ, જ્યારે પોલીસે માન સિંહના નેતૃત્વવાળા નિહંગ ગ્રુપ સાથે ગુરુવારા ખાલી કરાવવાનો પ્રયાસ કર્યો.

તેમના સભ્યોએ પોલીસ ટીમ પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધી, જેમાં એક પોલીસ કોન્સ્ટેબલનું મોત થઈ ગયું અને 5 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થઈ ગયા, જેઓ હાલમાં સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ છે. 27 નવેમ્બરના રોજ પ્રથમ સિખ ગુરુ નાનક દેવની જયંતી અગાઉ વિસ્તારમાં તણાવ વ્યાપી ગયો છે. મીડિયા રિપોર્ટ મુજબ, ભારે હથિયારોથી લેસ નિહંગ સિખોએ ગુરુદ્વારાને અંદરથી બંધ કરી દીધા હતા છે. પોલીસે આખા વિસ્તારની બેરિકેડિંગ કરી દીધી છે અને નિહંગ ગ્રુપ પાસેથી કબજો ખાલી કરાવવા માટે વાતચીત શરૂ કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ ગુરુદ્વારા પર પટિયાલા સ્થિત બાબા બુડ્ઢા દળ બલબીર સિંહનો કબજો હતો, પરંતુ 21 નવેબરના રોજ તેમનો વિરોધી ગ્રુપ માન સિંહે ગુરુદ્વારાના બે કર્મચારીઓ સાથે નિર્દયી રીત મારામારી કરીને ગુરુદ્વારા પર ગેરકાયદેસર કબજો કરી લીધો હતો. પોલીસ દ્વારા અગાઉ 21 નવેમ્બરના રોજ હત્યાના પ્રયાસ અને IPCની અન્ય કલમો હેઠળ FIR નોંધી લેવામાં આવી છે અને બુધવારે માન સિંહ ગ્રુપના 10 નિહંગોની ધરપકડ કરી લીધી છે.

બંને ગ્રુપમાં વર્ષ 2020માં પણ ઘર્ષણ થયું હતું, જેમાં એક નિહંગનું મોત થઈ ગયું હતું. નિહંગ સિખ યોદ્ધાઓનું એક ગ્રુપ છે, જેની સ્થાપના 1699માં ગુરુ ગોવિંદ સિંહ દ્વારા ખાલસાના નિર્માણથી થઈ છે. તેઓ પોતાના બ્લૂ વસ્ત્ર અને સજેલી પાઘડીથી ઓળખાય છે. તેઓ મોટા ભાગે તલવાર અને ભલા જેવા હથિયાર લઈને ચાલે છે. વર્ષ 2020માં નિહંગ પ્રદર્શનકારીઓએ પટિયાલામાં એક પોલીસ અધિકારીનો હાથ કાપી દીધો હતો. ત્યારે કોરોના લોકડાઉન લગાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

Related Posts

Top News

ભારતીય કંપનીએ ફક્ત 6499 રૂપિયામાં લોન્ચ કર્યો 5000mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન

લાવાએ ભારતમાં તેની યુવા શ્રેણીનો નવીનતમ સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. લાવા યુવા સ્ટાર 2એ કંપનીનો એક નવો હેન્ડસેટ...
Tech and Auto 
ભારતીય કંપનીએ ફક્ત 6499 રૂપિયામાં લોન્ચ કર્યો 5000mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન

મહિને 71 હજાર રૂપિયા કમાતી ડોક્ટર પત્નીની અરજી ફગાવતા કોર્ટે કહ્યું- પતિ પાસેથી ભરણપોષણ નહીં મળે

એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, ઇન્દોર ફેમિલી કોર્ટે કરોડોની મિલકતની માલિકી ધરાવતી મહિલા ડોક્ટરની વચગાળાના ભરણપોષણ માટેની અરજી ફગાવી દીધી હતી....
National 
મહિને 71 હજાર રૂપિયા કમાતી ડોક્ટર પત્નીની અરજી ફગાવતા કોર્ટે કહ્યું- પતિ પાસેથી ભરણપોષણ નહીં મળે

અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?

NEET UGની પરીક્ષા 04 મે, 2025ના રોજ બપોરે 2:00 થી 5:00 વાગ્યા વચ્ચે થઈ હતી. આ વર્ષે ...
Lifestyle  Health 
અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?

હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે

જાપાની ટુ-વ્હીલર ઉત્પાદક ભારતીય બજારમાં એક એવી બાઇક લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે જે મોટરસાઇકલ સવારીની રીત બદલી નાખશે....
Tech and Auto 
હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે
Copyright (c) Khabarchhe All Rights Reserved.