લોકો ડૉક્ટરોને ભગવાન માને છે, તેમણે નૈતિક જવાબદારી સમજવી જોઈએઃ રાષ્ટ્રપતિ

ભારતનાં રાષ્ટ્રપતિ  દ્રોપદી મુર્મુએ નવી દિલ્હીમાં લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજ (એલએચએમસી)ના વાર્ષિક દિવસ અને દિક્ષાંત સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે આજે તબીબી વિજ્ઞાન માત્ર સારવાર પૂરતું મર્યાદિત નથી. તેનો વ્યાપ ઘણો વિશાળ થઈ ગયો છે. ચોથી ઔદ્યોગિક ક્રાંતિને કારણે ભૌતિક, ડિજિટલ અને જૈવિક પ્રદેશો વચ્ચેનો તફાવત ઘટી રહ્યો છે. કૃત્રિમ જીવવિજ્ઞાનમાં કરવામાં આવી રહેલા નવા પ્રયોગો અને ક્રિસ્પર (CRISPR) જનીન સંપાદન જેવી નવી તકનીકો સદીઓથી ટકી રહેલી સમસ્યાઓના ઉકેલ શોધવામાં મદદરૂપ સાબિત થઈ રહી છે. પરંતુ આ તકનીકોના દુરૂપયોગની સમસ્યા પણ બાકી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તબીબી બિરાદરો તેમના વ્યાવસાયિક જીવનમાં નૈતિકતા અને ઉચ્ચ મૂલ્યો અનુસાર કામ કરશે અને 'એક આરોગ્ય' ના સંકલિત અભિગમ સાથે તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરશે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે લોકો ડૉક્ટરોને ભગવાન માને છે. ડૉક્ટરોએ આ નૈતિક જવાબદારી સમજવી જોઈએ અને તે મુજબ વર્તવું જોઈએ. તેઓ માત્ર ત્યારે જ ખરેખર સફળ ડૉક્ટરો અથવા નર્સો બનશે જો તેમની પાસે વ્યાવસાયિક યોગ્યતા તેમજ કરુણા, દયા અને સહાનુભૂતિ જેવા માનવ મૂલ્યો હશે. એક સારા હેલ્થકેર પ્રોફેશનલ બનવા માટે, એક સારા વ્યક્તિ બનવું પણ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે, ગાંધીજીએ ચારિત્ર્ય વિનાના જ્ઞાનને અને માનવતા વિનાનું વિજ્ઞાન પણ પાપ ગણાવ્યું છે. તેથી, તેમનો મુખ્ય ઉદ્દેશ પૈસા કમાવવાનો નહીં, પરંતુ 'સ્વયં પહેલાં સેવા' હોવો જોઈએ.

રાષ્ટ્રપતિને એ જાણીને આનંદ થયો કે એલએચએમસીને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ રિટ્રીવલ સેન્ટર તરીકે નોંધવામાં આવ્યું છે. એલએચએમસીએ એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સની સમસ્યાને હલ કરવા માટે કોમ્પ્રિહેન્સિવ એન્ટિબાયોટિક સ્ટુઅર્ડશિપ પ્રોગ્રામ શરૂ કર્યો છે. એલએચએમસી અન્ય સંસ્થાઓના સહયોગથી આઇડ્રોન ઇનિશિયેટિવ હેઠળ બ્લડ બેગ ડિલિવરી પર પણ કામ કરી રહી છે. તેમને એ જાણીને આનંદ થયો કે એલએચએમસીએ, નોર્વે સરકારના સહયોગથી, નેશનલ હ્યુમન મિલ્ક બેંક અને લેકટેશન કાઉન્સેલિંગ સેન્ટર 'વાત્સલ્ય - માતૃ અમૃત કોષ' ની સ્થાપના કરી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ કેન્દ્ર સ્તનપાન વિશે જાગૃતિ લાવવામાં અને શિશુ મૃત્યુ દર ઘટાડવામાં મદદરૂપ સાબિત થશે.

Related Posts

Top News

ટ્રમ્પ સામે કેનેડાને મજબૂત કરી રહ્યા છે આ 'કિંગ'! ગુપ્ત રીતે કરી રહ્યા છે માર્ક કાર્નીની મદદ

ટેરિફ અને કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની ટ્રમ્પની ધમકીને લઈને કેનેડા અને સંયુક્ત રાજ્ય અમેરિકા વચ્ચે તણાવ હજુ પણ...
World 
ટ્રમ્પ સામે કેનેડાને મજબૂત કરી રહ્યા છે આ 'કિંગ'! ગુપ્ત રીતે કરી રહ્યા છે માર્ક કાર્નીની મદદ

ભારતની મતદાન પ્રણાલીના ચાહક બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકામાં લાવશે આ મોટો ફેરફાર

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે US ચૂંટણીઓમાં મોટા પાયે ફેરફાર કરતા એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આ નવા આદેશ સાથે...
World 
ભારતની મતદાન પ્રણાલીના ચાહક બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકામાં લાવશે આ મોટો ફેરફાર

સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા પર તેમને ગૃહમાં બોલવાની તક ન આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું...
National 
સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

ઉત્તર પ્રદેશના મેરઠમાં ઈદ-ઉલ-ફિત્રની નમાઝને લઈને પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ સડક...
National 
જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

Opinion

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.