લોકો ડૉક્ટરોને ભગવાન માને છે, તેમણે નૈતિક જવાબદારી સમજવી જોઈએઃ રાષ્ટ્રપતિ

ભારતનાં રાષ્ટ્રપતિ  દ્રોપદી મુર્મુએ નવી દિલ્હીમાં લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજ (એલએચએમસી)ના વાર્ષિક દિવસ અને દિક્ષાંત સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે આજે તબીબી વિજ્ઞાન માત્ર સારવાર પૂરતું મર્યાદિત નથી. તેનો વ્યાપ ઘણો વિશાળ થઈ ગયો છે. ચોથી ઔદ્યોગિક ક્રાંતિને કારણે ભૌતિક, ડિજિટલ અને જૈવિક પ્રદેશો વચ્ચેનો તફાવત ઘટી રહ્યો છે. કૃત્રિમ જીવવિજ્ઞાનમાં કરવામાં આવી રહેલા નવા પ્રયોગો અને ક્રિસ્પર (CRISPR) જનીન સંપાદન જેવી નવી તકનીકો સદીઓથી ટકી રહેલી સમસ્યાઓના ઉકેલ શોધવામાં મદદરૂપ સાબિત થઈ રહી છે. પરંતુ આ તકનીકોના દુરૂપયોગની સમસ્યા પણ બાકી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તબીબી બિરાદરો તેમના વ્યાવસાયિક જીવનમાં નૈતિકતા અને ઉચ્ચ મૂલ્યો અનુસાર કામ કરશે અને 'એક આરોગ્ય' ના સંકલિત અભિગમ સાથે તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરશે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે લોકો ડૉક્ટરોને ભગવાન માને છે. ડૉક્ટરોએ આ નૈતિક જવાબદારી સમજવી જોઈએ અને તે મુજબ વર્તવું જોઈએ. તેઓ માત્ર ત્યારે જ ખરેખર સફળ ડૉક્ટરો અથવા નર્સો બનશે જો તેમની પાસે વ્યાવસાયિક યોગ્યતા તેમજ કરુણા, દયા અને સહાનુભૂતિ જેવા માનવ મૂલ્યો હશે. એક સારા હેલ્થકેર પ્રોફેશનલ બનવા માટે, એક સારા વ્યક્તિ બનવું પણ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે, ગાંધીજીએ ચારિત્ર્ય વિનાના જ્ઞાનને અને માનવતા વિનાનું વિજ્ઞાન પણ પાપ ગણાવ્યું છે. તેથી, તેમનો મુખ્ય ઉદ્દેશ પૈસા કમાવવાનો નહીં, પરંતુ 'સ્વયં પહેલાં સેવા' હોવો જોઈએ.

રાષ્ટ્રપતિને એ જાણીને આનંદ થયો કે એલએચએમસીને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ રિટ્રીવલ સેન્ટર તરીકે નોંધવામાં આવ્યું છે. એલએચએમસીએ એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સની સમસ્યાને હલ કરવા માટે કોમ્પ્રિહેન્સિવ એન્ટિબાયોટિક સ્ટુઅર્ડશિપ પ્રોગ્રામ શરૂ કર્યો છે. એલએચએમસી અન્ય સંસ્થાઓના સહયોગથી આઇડ્રોન ઇનિશિયેટિવ હેઠળ બ્લડ બેગ ડિલિવરી પર પણ કામ કરી રહી છે. તેમને એ જાણીને આનંદ થયો કે એલએચએમસીએ, નોર્વે સરકારના સહયોગથી, નેશનલ હ્યુમન મિલ્ક બેંક અને લેકટેશન કાઉન્સેલિંગ સેન્ટર 'વાત્સલ્ય - માતૃ અમૃત કોષ' ની સ્થાપના કરી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ કેન્દ્ર સ્તનપાન વિશે જાગૃતિ લાવવામાં અને શિશુ મૃત્યુ દર ઘટાડવામાં મદદરૂપ સાબિત થશે.

About The Author

Related Posts

Top News

36 વર્ષનો યુવક બનશે નેપાળનો PM, Gen-Zના ફેવરિટ એન્જિનિયર-રેપર બાલેન શાહ વિશે જાણો

નેપાળના રાજકારણમાં એક ઐતિહાસિક પરિવર્તન જોવા મળી રહ્યું છે. 'Gen-Z' આંદોલન બાદ યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામોમાં કાઠમંડુ મહાનગરના પૂર્વ મેયર...
World 
36 વર્ષનો યુવક બનશે નેપાળનો PM, Gen-Zના ફેવરિટ એન્જિનિયર-રેપર બાલેન શાહ વિશે જાણો

સેમીફાઇનલમાં હાર બાદ ઇંગ્લિશ કેપ્ટને જણાવ્યું- કંઈ ભૂલે વર્લ્ડ કપ બહાર કર્યું

ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ની સેમીફાઇનલમાં ભારત સામેની હાર બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુક ખૂબ જ નિરાશ...
Sports 
સેમીફાઇનલમાં હાર બાદ ઇંગ્લિશ કેપ્ટને જણાવ્યું- કંઈ ભૂલે વર્લ્ડ કપ બહાર કર્યું

ગુજરાતમાં બેવડી ઋતુનો માર: એકબાજુ પારો 40 ડિગ્રીને વટાવશે, તો બીજીબાજુ અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં ગરમીનું જોર વધવાની સાથે જ હવામાન...
Gujarat 
ગુજરાતમાં બેવડી ઋતુનો માર: એકબાજુ પારો 40 ડિગ્રીને વટાવશે, તો બીજીબાજુ અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

સુરતમાં 1400 કિલો નકલી પનીર પકડાયું, પામ ઓઈલ, કેમિકલથી બનાવતા, કેવી રીતે ઓળખવું?

ગુજરાતના સુરત શહેરમાંથી ખાદ્ય સુરક્ષાને લઈને એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરત ખાદ્ય સુરક્ષા વિભાગ અને પોલીસે સંયુક્ત ઓપરેશન...
Gujarat 
સુરતમાં 1400 કિલો નકલી પનીર પકડાયું, પામ ઓઈલ, કેમિકલથી બનાવતા, કેવી રીતે ઓળખવું?

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.