લોકો ડૉક્ટરોને ભગવાન માને છે, તેમણે નૈતિક જવાબદારી સમજવી જોઈએઃ રાષ્ટ્રપતિ

ભારતનાં રાષ્ટ્રપતિ  દ્રોપદી મુર્મુએ નવી દિલ્હીમાં લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજ (એલએચએમસી)ના વાર્ષિક દિવસ અને દિક્ષાંત સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે આજે તબીબી વિજ્ઞાન માત્ર સારવાર પૂરતું મર્યાદિત નથી. તેનો વ્યાપ ઘણો વિશાળ થઈ ગયો છે. ચોથી ઔદ્યોગિક ક્રાંતિને કારણે ભૌતિક, ડિજિટલ અને જૈવિક પ્રદેશો વચ્ચેનો તફાવત ઘટી રહ્યો છે. કૃત્રિમ જીવવિજ્ઞાનમાં કરવામાં આવી રહેલા નવા પ્રયોગો અને ક્રિસ્પર (CRISPR) જનીન સંપાદન જેવી નવી તકનીકો સદીઓથી ટકી રહેલી સમસ્યાઓના ઉકેલ શોધવામાં મદદરૂપ સાબિત થઈ રહી છે. પરંતુ આ તકનીકોના દુરૂપયોગની સમસ્યા પણ બાકી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તબીબી બિરાદરો તેમના વ્યાવસાયિક જીવનમાં નૈતિકતા અને ઉચ્ચ મૂલ્યો અનુસાર કામ કરશે અને 'એક આરોગ્ય' ના સંકલિત અભિગમ સાથે તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરશે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે લોકો ડૉક્ટરોને ભગવાન માને છે. ડૉક્ટરોએ આ નૈતિક જવાબદારી સમજવી જોઈએ અને તે મુજબ વર્તવું જોઈએ. તેઓ માત્ર ત્યારે જ ખરેખર સફળ ડૉક્ટરો અથવા નર્સો બનશે જો તેમની પાસે વ્યાવસાયિક યોગ્યતા તેમજ કરુણા, દયા અને સહાનુભૂતિ જેવા માનવ મૂલ્યો હશે. એક સારા હેલ્થકેર પ્રોફેશનલ બનવા માટે, એક સારા વ્યક્તિ બનવું પણ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે, ગાંધીજીએ ચારિત્ર્ય વિનાના જ્ઞાનને અને માનવતા વિનાનું વિજ્ઞાન પણ પાપ ગણાવ્યું છે. તેથી, તેમનો મુખ્ય ઉદ્દેશ પૈસા કમાવવાનો નહીં, પરંતુ 'સ્વયં પહેલાં સેવા' હોવો જોઈએ.

રાષ્ટ્રપતિને એ જાણીને આનંદ થયો કે એલએચએમસીને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ રિટ્રીવલ સેન્ટર તરીકે નોંધવામાં આવ્યું છે. એલએચએમસીએ એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સની સમસ્યાને હલ કરવા માટે કોમ્પ્રિહેન્સિવ એન્ટિબાયોટિક સ્ટુઅર્ડશિપ પ્રોગ્રામ શરૂ કર્યો છે. એલએચએમસી અન્ય સંસ્થાઓના સહયોગથી આઇડ્રોન ઇનિશિયેટિવ હેઠળ બ્લડ બેગ ડિલિવરી પર પણ કામ કરી રહી છે. તેમને એ જાણીને આનંદ થયો કે એલએચએમસીએ, નોર્વે સરકારના સહયોગથી, નેશનલ હ્યુમન મિલ્ક બેંક અને લેકટેશન કાઉન્સેલિંગ સેન્ટર 'વાત્સલ્ય - માતૃ અમૃત કોષ' ની સ્થાપના કરી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ કેન્દ્ર સ્તનપાન વિશે જાગૃતિ લાવવામાં અને શિશુ મૃત્યુ દર ઘટાડવામાં મદદરૂપ સાબિત થશે.

Top News

સવારે 3 વાગ્યે ગેલેક્સી એપાર્ટમેન્ટ પહોંચી, ડોરબેલ વગાડી કહ્યું સલમાને બોલાવી છે... સુરક્ષા તોડનારી ઈશા કોણ છે?

બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘરે થયેલી બે ચોરીની ઘટનાઓએ બધાને આઘાતમાં મૂકી દીધા છે. બધાને આશ્ચર્ય થાય છે કે આટલી...
Entertainment 
સવારે 3 વાગ્યે ગેલેક્સી એપાર્ટમેન્ટ પહોંચી, ડોરબેલ વગાડી કહ્યું સલમાને બોલાવી છે... સુરક્ષા તોડનારી ઈશા કોણ છે?

સુરતના ACPની 32 વર્ષની નોકરી ચાલી ગઈ, શું પગાર પાછો લેશે સરકાર

સુરતના પોલીસ વિભાગમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.32 વર્ષથી પોલીસમાં કામ કરતા એક અધિકારીને ગુજરાત પોલીસ વડા વિકાસ...
Gujarat 
સુરતના ACPની 32 વર્ષની નોકરી ચાલી ગઈ, શું પગાર પાછો લેશે સરકાર

ભારતીયો સવારે ન્હાય છે પણ સાયન્સ શું કહે છે..

આપણે હંમેશા થી એવું જ જાણીએ છીએ કે સવારે જેટલું વહેલું સ્નાન કરો તેટલું સારું. આપણા દેશમાં હજારો વર્ષોથી સવારે...
Lifestyle 
ભારતીયો સવારે ન્હાય છે પણ સાયન્સ શું કહે છે..

સિંધિયાએ કોઈ સામાન્ય ચશ્મા નથી પહેર્યા, તેના વિશે જાણીને તમે દંગ રહી જશો!

સ્પેનના બાર્સેલોનામાં આયોજિત મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ (MWC) 2025માં ભારતના કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના સ્ટાઇલિશ દેખાવથી બધાનું ધ્યાન...
Tech and Auto 
સિંધિયાએ કોઈ સામાન્ય ચશ્મા નથી પહેર્યા, તેના વિશે જાણીને તમે દંગ રહી જશો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.