રઘુરામ રાજને રાહુલ ગાંધી વિશે કહ્યું- તે પપ્પુ બિલકુલ નથી, તે એક સ્માર્ટ નેતા છે

ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વખાણ કર્યા છે. તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી પપ્પુ નથી. તેમના વિશે જે ધારણા કરવામાં આવી છે તે તદ્દન ખોટી છે. તેણે તો ત્યાં સુધી કહ્યું કે, રાહુલને ઘણા મુદ્દાઓ પર ઘણી જાણકારી છે. આ બધું રઘુરામ રાજને એક ચેનલ સાથેની ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું છે.

રઘુરામ રાજને કહ્યું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. મેં રાહુલ સાથે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આખો દાયકો પસાર કર્યો છે. તે બિલકુલ પપ્પુ તો છે જ નહીં. તે ખૂબ જ સ્માર્ટ, યુવાન અને જિજ્ઞાસુ વ્યક્તિ છે. તમારે જાણવું જોઈએ કે પ્રાથમિકતા શું છે, તેમાં ઘણા જોખમો છે. મને લાગે છે કે રાહુલ ગાંધી આ બધાથી સંપૂર્ણપણે વાકેફ છે. હવે એક તરફ રાજને રાહુલ ગાંધીના વખાણ કર્યા, તો બીજી તરફ તેમણે ભારપૂર્વક કહ્યું કે, તેઓ કોઈ રાજકીય પક્ષમાં જોડાવાના નથી. આ અંગે તેમણે કહ્યું કે, મેં ભારત જોડો યાત્રામાં ભાગ લીધો હતો કારણ કે, હું તે યાત્રાના સિદ્ધાંતોમાં વિશ્વાસ રાખતો હતો. હું તેની સાથે ઉભો હતો. હું રાજકારણમાં આવવાનો નથી.

હવે એવું જોવાઈ રહ્યું છે કે, રાજન લાંબા સમયથી PM મોદી સરકાર વિરુદ્ધ બોલી રહ્યા છે. તેમની દરેક નીતિ પર કડક ટિપ્પણી કરતા હોય છે. જ્યારે તેમને આ આરોપો અંગે સવાલો પૂછવામાં આવ્યા ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું કે, મનમોહન સિંહની સરકાર વખતે પણ તેઓ ઘણા મુદ્દાઓ પર સરકારની વિરુદ્ધ ઉભા રહ્યા હતા. જાણકારી માટે તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા રઘુરામ રાજને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં ભાગ લીધો હતો. ત્યારબાદ રાહુલ ગાંધીએ રાજનનો ઈન્ટરવ્યુ લીધો હતો, તેમના તરફથી આર્થિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

તે સમયે રઘુરામ રાજને કહ્યું હતું કે, 2023 ભારત માટે વધુ પડકારજનક બનવાનું છે. તેમણે કહ્યું કે આ વર્ષે પણ વિશ્વ યુદ્ધ અને અન્ય કારણોસર દુનિયા આર્થિક રીતે પરેશાન હતી, પરંતુ આગામી વર્ષ તેનાથી પણ વધુ મુશ્કેલ થવાનું છે. ભારતની અર્થવ્યવસ્થા પર પોતાનો અભિપ્રાય આપતા રઘુરામ રાજને કહ્યું કે, ભારત અને વિશ્વની અર્થવ્યવસ્થાઓ વિકાસ માટે જરૂરી એવા સુધારા તૈયાર કરવામાં નિષ્ફળ રહી છે. થોડાક અમીરોના હાથમાં મૂડીના કેન્દ્રીકરણ પર રઘુરામ રાજને રાહુલને સમજાવ્યું કે, આપણે મૂડીવાદની વિરુદ્ધ ન થઇ શકીએ, પરંતુ આપણે સ્પર્ધા માટે લડવું પડશે. આપણે માર્કેટ પર એકાધિકારની વિરુદ્ધ હોઈ શકીએ છીએ. નાના વેપાર, મોટા વેપાર દેશ માટે સારા છે પણ એકાધિકાર દેશ માટે સારું નથી.

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજના મુહૂર્ત તારીખ -27-7-2025 વાર - શનિવાર   માસ - તિથિ-  શ્રાવણ સુદ ત્રીજ આજની રાશિ - સિંહ ચોઘડિયા, ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શિવ મંદિર માટે થાઈલેન્ડ અને કમ્બોડિયાએ યુદ્ધ શરૂ કરી દીધું

એવું લાગે છે કે વર્ષ 2025 યુદ્ધનું વર્ષ છે. માત્ર 7 મહિનામાં દુનિયાએ 3 યુદ્ધ જોયા છે. પહેલા ભારત અને...
World 
શિવ મંદિર માટે થાઈલેન્ડ અને કમ્બોડિયાએ યુદ્ધ શરૂ કરી દીધું

સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો

ભારતીય શેરબજારમાં સતત ઘટાડો પોતાનું અસ્તિત્વ હજુ પણ ધરાવે છે. આજે પણ બજારમાં ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 720 પોઈન્ટથી વધુ...
Business 
સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો

‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી

બ્રિટનના પ્રવાસે ગયેલા  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર સાથે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન...
World  Politics 
‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી
Copyright (c) Khabarchhe All Rights Reserved.