રાહુલ ગાંધીએ કહ્યું, જ્યારે સરકાર બદલાશે તો, મારી ગેરંટી છે કે...

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 29 માર્ચ, શુક્રવારે આડકતરી રીતે ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે તેમના સત્તાવાર X પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરીને લખ્યું કે, જ્યારે સરકાર બદલાશે તો લોકતંત્રનું ચિરહરણ કરનારા લોકો પર કાર્યવાહી ચોક્કસ કરવમાં આવશે. એવી કાર્યવાહી થશે કે બીજી વખત આવું બધું કરવાની કોઇની હિંમત નહીં રહે એ મારી ગેરંટી છે.

રાહુલ ગાંધીએ તેમનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં રાહુલે CBI, ED જેવી સંસ્થાઓને ચિમકી આપી છે કે, જો આ સંસ્થાઓ પોતાનું કામ કર્યું હોત, જો CBIએ તેનું કામ કર્યું હોત, જો EDએ તેનું કામ કર્યું હોત, તો આવું ન થયું હોત. તો તેઓએ એ પણ વિચારવું જોઈએ કે તેઓ જે કંઈ કરી રહ્યા છે તે એક દિવસ ભાજપની સરકાર બદલાશે અને પછી પગલાં લેવામાં આવશે અને એવી કાર્યવાહી કરવામાં આવશે કે હું ખાતરી આપું છું કે આવું ફરી ક્યારેય નહીં થાય. તેથી તેઓએ પણ વિચારવું જોઈએ.

શુક્રવારે જ કોંગ્રેસે પણ લગભગ આ જ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે લોકસભાની ચૂંટણી પહેલા આવકવેરા વિભાગે તેને પાંચ અલગ-અલગ નાણાકીય વર્ષના ટેક્સ રિટર્નમાં કથિત વિસંગતતાઓ માટે 1823.08 કરોડ રૂપિયાની ચુકવણી માટે નવી નોટિસ જારી કરી છે, પરંતુ આવકવેરા વિભાગે ભાજપને લઇને આંખ બંધ કરી દીધી છે. જ્યારે તેમની પર 4600 કરોડ રૂપિયાનો દંડ બને છે.

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે દાવો કર્યો કે લોકસભા ચૂંટણી પહેલાં ટેક્સ ટેરરિઝમના માધ્યમથી વિપક્ષ પર હુમલો કરવામાં આવી રહ્યો છે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે,આખા દેશને ખબર પડી ગઇ છે કે ચૂંટણી બોન્ડ કૌભાંડ કરીને ભાજપે લગભગ 8250 કરોડ રૂપિયાનું દાન મેળવ્યું છે. ભાજપ સરકાર જુદી જુદી રીતે વિપક્ષને નબળી પાડવાનો પ્રયાસ કરી રહી છે. રમેશે કહ્યું કે, પણ અમે ડરવાના નથી. અમે ચૂંટણી અભિયાન ચાલું રાખીશું. જે લોકો અમને ડરાવવાની કોશિશ કરી રહ્યા છે, એ જ લોકો પોતે ડરેલા છે.

આવકવેરા અધિકારીઓએ રૂ. 210 કરોડનો દંડ અને તેમના બેંક ખાતાઓ 'ફ્રીઝ' કરવાને કારણે કોંગ્રેસ પહેલેથી જ ભંડોળની અછતનો સામનો કરી રહી છે. પક્ષને આ મામલે હાઈકોર્ટમાંથી કોઈ રાહત મળી નથી અને ટૂંક સમયમાં તેઓ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે.લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને આર્થિક રીતે પંગુ બનાવવા માટે અધિકારીઓનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.

Related Posts

Top News

હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

ટેલિકોમ સેક્ટરની સૌથી મોટી કંપનીઓમાં સામેલ રચી ચૂકેલી એરસેલના સંસ્થાપક ચિન્નાકન્નન શિવશંકરને તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાની જિંદગી અને વ્યવસાયિક નિર્ણયો...
Business 
હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરકારક પરિબળોથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં હવામાન પલટાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, રાજ્યમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનની...
Gujarat 
સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરકારક પરિબળોથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

હીરા ઉદ્યોગમાં 8 કરોડનું ઉઠમણું પ્રી પ્લાન્ડ હતું?

સુરતના હીરાઉદ્યોગમાં 8.20 કરોડ રૂપિયાના ઉઠમણાંની ભારે ચર્ચા છે. કતાગરગામ વિસ્તારમાં આવેલી મહંત ડાયમંડ અને રશેષ જ્વેલસના 3 ભાગીદારો સામે...
Gujarat 
હીરા ઉદ્યોગમાં 8 કરોડનું ઉઠમણું પ્રી પ્લાન્ડ હતું?

સિને પ્રેમીઓને નવા સિનેમેટિક્સ એક્સપિરિયન્સ આપવા તૈયાર છે લૂપ સિનેમા

સુરત. શહેરની સિનેમાં પ્રેમી જનતા માટે હવે ફિલ્મ નિહાળવાની સાથે રીફ્રેશ થવા માટેની વધુ એક જગ્યા ઉમેરાઈ છે અને તે...
Entertainment 
સિને પ્રેમીઓને નવા સિનેમેટિક્સ એક્સપિરિયન્સ આપવા તૈયાર છે લૂપ સિનેમા
Copyright (c) Khabarchhe All Rights Reserved.