રાહુલ ગાંધીએ કહ્યું, જ્યારે સરકાર બદલાશે તો, મારી ગેરંટી છે કે...

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 29 માર્ચ, શુક્રવારે આડકતરી રીતે ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે તેમના સત્તાવાર X પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરીને લખ્યું કે, જ્યારે સરકાર બદલાશે તો લોકતંત્રનું ચિરહરણ કરનારા લોકો પર કાર્યવાહી ચોક્કસ કરવમાં આવશે. એવી કાર્યવાહી થશે કે બીજી વખત આવું બધું કરવાની કોઇની હિંમત નહીં રહે એ મારી ગેરંટી છે.

રાહુલ ગાંધીએ તેમનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં રાહુલે CBI, ED જેવી સંસ્થાઓને ચિમકી આપી છે કે, જો આ સંસ્થાઓ પોતાનું કામ કર્યું હોત, જો CBIએ તેનું કામ કર્યું હોત, જો EDએ તેનું કામ કર્યું હોત, તો આવું ન થયું હોત. તો તેઓએ એ પણ વિચારવું જોઈએ કે તેઓ જે કંઈ કરી રહ્યા છે તે એક દિવસ ભાજપની સરકાર બદલાશે અને પછી પગલાં લેવામાં આવશે અને એવી કાર્યવાહી કરવામાં આવશે કે હું ખાતરી આપું છું કે આવું ફરી ક્યારેય નહીં થાય. તેથી તેઓએ પણ વિચારવું જોઈએ.

શુક્રવારે જ કોંગ્રેસે પણ લગભગ આ જ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે લોકસભાની ચૂંટણી પહેલા આવકવેરા વિભાગે તેને પાંચ અલગ-અલગ નાણાકીય વર્ષના ટેક્સ રિટર્નમાં કથિત વિસંગતતાઓ માટે 1823.08 કરોડ રૂપિયાની ચુકવણી માટે નવી નોટિસ જારી કરી છે, પરંતુ આવકવેરા વિભાગે ભાજપને લઇને આંખ બંધ કરી દીધી છે. જ્યારે તેમની પર 4600 કરોડ રૂપિયાનો દંડ બને છે.

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે દાવો કર્યો કે લોકસભા ચૂંટણી પહેલાં ટેક્સ ટેરરિઝમના માધ્યમથી વિપક્ષ પર હુમલો કરવામાં આવી રહ્યો છે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે,આખા દેશને ખબર પડી ગઇ છે કે ચૂંટણી બોન્ડ કૌભાંડ કરીને ભાજપે લગભગ 8250 કરોડ રૂપિયાનું દાન મેળવ્યું છે. ભાજપ સરકાર જુદી જુદી રીતે વિપક્ષને નબળી પાડવાનો પ્રયાસ કરી રહી છે. રમેશે કહ્યું કે, પણ અમે ડરવાના નથી. અમે ચૂંટણી અભિયાન ચાલું રાખીશું. જે લોકો અમને ડરાવવાની કોશિશ કરી રહ્યા છે, એ જ લોકો પોતે ડરેલા છે.

આવકવેરા અધિકારીઓએ રૂ. 210 કરોડનો દંડ અને તેમના બેંક ખાતાઓ 'ફ્રીઝ' કરવાને કારણે કોંગ્રેસ પહેલેથી જ ભંડોળની અછતનો સામનો કરી રહી છે. પક્ષને આ મામલે હાઈકોર્ટમાંથી કોઈ રાહત મળી નથી અને ટૂંક સમયમાં તેઓ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે.લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને આર્થિક રીતે પંગુ બનાવવા માટે અધિકારીઓનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.

About The Author

Related Posts

Top News

નેહા સાથે લગ્ન કર્યાના 15 દિવસમાં પતિએ પોલીસ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા

હાપુરની એક નવપરિણીત દુલ્હનની ખુશીને ત્યારે મોટો ઝટકો લાગ્યો જ્યારે તેનો પતિ લગ્નના 15 દિવસ પછી જ તેને છોડીને મંદિરમાં...
National 
નેહા સાથે લગ્ન કર્યાના 15 દિવસમાં પતિએ પોલીસ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા

હું ભગવાનમાં માનતો નથી, હું દશરથના માર્ગે ચાલું છુંઃ કમલ હાસન

દક્ષિણ અભિનેતા કમલ હાસન આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ 'ઠગ લાઈફ'ને લઈને સમાચારમાં છે. અભિનેતા તેના પ્રમોશનમાં...
Entertainment 
હું ભગવાનમાં માનતો નથી, હું દશરથના માર્ગે ચાલું છુંઃ કમલ હાસન

સુરતના પ્રસિદ્ધ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધી મુખ્યમંત્રી દ્વારા સન્માનિત

સુરત: ગુજરાત અને સુરતના જાણીતા ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધીને ન્યુરોવાસ્ક્યુલર અને પેરિફેરલ વાસ્ક્યુલર ઇન્ટરવેન્શન રેડિયોલોજીના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ...
Gujarat 
સુરતના પ્રસિદ્ધ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધી મુખ્યમંત્રી દ્વારા સન્માનિત

ડૉ. ગૌરવ ખંડેલવાલનું સ્પાઈન સર્જરીના ક્ષેત્રમાં મુખ્યમંત્રીએ કર્યું બહુમાન

સુરતઃ શેલ્બી હોસ્પિટલ્સ લિમિટેડ, સુરતના સ્પાઈન સર્જરી વિભાગના વડા ડૉ. ગૌરવ ખંડેલવાલ દેશના અગ્રણી સ્પાઈન સર્જન તરીકે ઓળખાય છે. તેમણે...
Gujarat 
ડૉ. ગૌરવ ખંડેલવાલનું સ્પાઈન સર્જરીના ક્ષેત્રમાં મુખ્યમંત્રીએ કર્યું બહુમાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.