રેલવેની મુસાફરીમાં સામાન ચોરી થયો તો જવાબદારી કોની? કોર્ટનો મહત્ત્વનો નિર્ણય

જો તમે રીતસરના રિઝર્વેશન કરાવીને ટ્રેનથી મુસાફરી કરી રહ્યા છો તો સામાનને આરામથી રાખીને આગામી વખત ચિંતા વિના સૂઈ શકો છો. તમારા સામાનની સુરક્ષાની જવાબદારી રેલવેની છે. ઓછામાં ઓછી ચંડીગઢ કન્ઝ્યૂમર કોર્ટે પોતાના એક નિર્ણયમાં એ જ સાબિત કર્યું છે. ચંડીગઢ સ્ટેટ કન્ઝ્યૂમર કમિશને કહ્યું કે, જો રિઝર્વેશન કમ્પાર્ટમેન્ટથી મુસાફરીનો સામાન ચોરી થાય છે તો તેની ભરપાઈ કરવાની જવાબદારી રેલવેની છે કેમ કે કમ્પાર્ટમેન્ટની અંદર સુરક્ષા ઉપલબ્ધ કરાવવી રેલવેનું દાયિત્વ છે.

કન્ઝ્યૂમર કોર્ટે આ નિર્ણય ટ્રેન કમ્પાર્ટમેન્ટની અંદર પર્સ છીનવી લેવાના એક કેસમાં સુનાવણી કરતા આપ્યો છે. ચંડીગઢ સ્ટેટ કન્ઝ્યૂમર ડિસ્પ્યૂટ્સ રીડ્રેસલ કમિશને રેલવેને પીડિતના નુકસાનની ભરપાઈ કરવાનો આદેશ આપ્યો. સાથે જ 50 હજાર રૂપિયા દંડ પણ જમા કરાવવા કહ્યું છે. રેલવેએ કુલ 1.55 લાખ રૂપિયા જમા કરાવવા પડશે.

શું હતો આખો કેસ?

ચંડીગઢ સેક્ટર-28ના રહેવાસી રામવીર અને તેની પત્ની મમતા વર્મા, 5 નવેમ્બર 2018ના રોજ ગોવા સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસથી મુસાફરી કરી રહ્યા હતા. તેઓ આ ટ્રેનથી ચંડીગઢ થી દિલ્હી જઈ રહ્યા હતા. આ દરમિયાન અંબાલા રેલવે સ્ટેશન પર ટ્રેનના રિઝર્વ કમ્પાર્ટમેન્ટની અંદર એક લૂંટારાએ મમતાનું પર્સ છીનવી લીધું. પર્સમાં તેની સોનાની ચેન, મોબાઈલ ફોન, 9500 રૂપિયા અને કેટલાક દસ્તાવેજ હતા. તેમણે તેના માટે રેલવે પાસે વળતર માગ્યું, પરંતુ રેલવેએ ગુનાહિત કેસ બતાવીને ના પાડી દીધી.

રામવીરે રેલવે વિરુદ્ધ ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યૂમર કોર્ટમાં અરજી દાખલ કરી. ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યૂમર કોર્ટે તેમની અરજીને ફગાવી દીધી. ત્યારબાદ રામવીરે સ્ટેટ કમિશન સામે ડિસ્ટ્રિક્ટ કોર્ટના નિર્ણયને પડકાર આપ્યો. ત્યાં લગભગ 4 વર્ષ લાંબી લડાઈ લડ્યા બાદ તેમના પક્ષમાં નિર્ણય સંભળાવવામાં આવ્યો. રામવીરે કન્ઝ્યૂમર કોર્ટને જણાવ્યું કે, તેણે ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં સતત શંકાસ્પદ લોકોના ફરવાની જાણકારી TTEને આપી હતી.

TTEએ તેની વાતને નજરઅંદાજ કરી દીધી. આ જ શંકાસ્પદ લોકોમાંથી એકે અંબાલા રેલવે સ્ટેશન પર તેની પત્નીના પર્સને છીનવી લીધું હતું. ત્યારબાદ નિર્ણયમાં કન્ઝ્યૂમર કમિશને કહ્યું કે, ટ્રેનની અંદર મુસાફર સાથે જ તેમના સામાનની સુરક્ષાની જવાબદારી પણ રેલવેની છે. રેલવે મંત્રાલયને રામવીરના નુકસાન માટે લગભગ 1.08 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. સાથે જ રેલવે મંત્રાલય પર 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

About The Author

Top News

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.