રામનું નામ ગુંજશે,મક્કા-વેટિકનના રેકોર્ડ તૂટશે,ભક્તોનું પૂર 10 કરોડ સુધી પહોંચશે

અયોધ્યામાં રામલલાના આગમન સાથે 500 વર્ષની આતુરતાનો અંત આવ્યો. ભારત અને વિશ્વના અન્ય દેશોમાં રહેતા રામ ભક્તો માટે આ ભાવનાત્મક ક્ષણ હતી. હવે અયોધ્યામાં ભક્તોનું પૂર આવી શકે છે. એક અંદાજ મુજબ એક વર્ષમાં રામ મંદિરની મુલાકાત લેનારા લોકોની સંખ્યા 10 કરોડ સુધી હોઈ શકે છે, જે વિશ્વના કોઈપણ અન્ય ધાર્મિક સ્થળો કરતાં વધુ હશે. દર વર્ષે માત્ર 2 કરોડ લોકો જ મક્કા જાય છે, જ્યારે વેટિકન પહોંચનારા લોકોની સંખ્યા માત્ર 90 લાખ છે. જો આ દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો રામ મંદિર આ બધાથી ઘણું આગળ હશે.

આ ઉપરાંત, ભારતમાં જ, કાશીના વિશ્વનાથ ધામ, અમૃતસરના પવિત્ર સુવર્ણ મંદિર, દક્ષિણમાં આસ્થાના મોટા કેન્દ્ર તિરુપતિ મંદિર અને વૈષ્ણો દેવી ધામ કરતાં વધુ લોકો રામ મંદિર પહોંચે તેવી અપેક્ષા છે. જો આપણે છેલ્લા બે વર્ષ એકસાથે જોઈએ તો 13 કરોડ લોકો કાશી વિશ્વનાથ ધામ પહોંચ્યા હતા, જે એક મોટો આંકડો છે. હવે તેનાથી પણ આગળ રામ મંદિર માટે ભક્તોનો ધસારો થઈ શકે છે. એટલું જ નહીં UP સરકારની આવકમાં પણ આનાથી મોટો ઉછાળો આવવાની આશા છે. SBIના એક રિસર્ચ રિપોર્ટ અનુસાર, રામ મંદિરના દર્શને આવતા ભક્તોને કારણે UP સરકારને નાણાકીય વર્ષ 2024-25માં લગભગ 25 હજાર કરોડ રૂપિયાની આવક થઈ શકે છે.

આંકડાઓ અનુસાર, આંધ્રપ્રદેશમાં દર વર્ષે 2.5 કરોડ લોકો તિરુપતિ બાલાજી મંદિરની મુલાકાત લે છે. ભગવાન વેંકટેશ્વરના આ પવિત્ર મંદિરને સમગ્ર વિશ્વમાં ઓળખવામાં આવે છે અને લોકો મોટા પાયે દાન પણ કરે છે. દર વર્ષે લગભગ 90 લાખ લોકો વૈષ્ણોદેવીની મુલાકાત લે છે. ઇસ્લામના સૌથી પવિત્ર સ્થળ મક્કાની મુલાકાત લેનારા લોકોની સંખ્યા વાર્ષિક 20 મિલિયન સુધી છે. અહીં મસ્જિદ અને કાબામાં દુનિયાભરમાંથી લોકો આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રામ મંદિરનું નિર્માણ 2022માં ચાલી રહ્યું હતું. ત્યારે પણ 2.21 કરોડ લોકો અયોધ્યા પહોંચ્યા હતા. આના પરથી સમજી શકાય છે કે, આવનારા દિવસોમાં આંકડા કેવા હોઈ શકે છે.

એવો અંદાજ છે કે, દર વર્ષે લગભગ 10 કરોડ લોકો રામ મંદિરની મુલાકાત લેશે, જે સમગ્ર ઉદ્યોગનો ઉત્સાહ વધારશે. અયોધ્યામાં હોટેલ ઉદ્યોગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને FMCG બિઝનેસમાં પણ તેજી આવવાની અપેક્ષા છે. અયોધ્યામાં પણ મોટા પાયે કામ ચાલી રહ્યું છે. રસ્તાઓ, હોટેલો, સ્ટેશનો, બસ સ્ટેન્ડ અને એરપોર્ટ સહિત વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને ઘણી વસ્તુઓમાં સુધારો પણ કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં અયોધ્યા વેપારની સાથે સાથે આસ્થાનું હબ બની શકે છે. જેના કારણે અયોધ્યા સિવાય નજીકના જિલ્લાઓ જેમ કે સુલતાનપુર, બારાબંકી વગેરેને પણ ફાયદો થશે.

About The Author

Related Posts

Top News

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોતની આશંકા વ્યક્ત...
National 
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

દેશમાં પહેલીવાર ગુજરાતાં સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 3430 ડોલર...
Business 
ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

તાજેતરમાં સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં SRK ડાયમંડ કંપની દ્રારા પરિવારોત્સવ 2025ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના 61 વર્ષ પુરા...
Gujarat 
'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમના સમયના મહાન બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને હવે પસ્તાવો થાય છે કે, તેઓ ક્રિકેટ રમ્યા...
Sports 
મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.