રામનું નામ ગુંજશે,મક્કા-વેટિકનના રેકોર્ડ તૂટશે,ભક્તોનું પૂર 10 કરોડ સુધી પહોંચશે

અયોધ્યામાં રામલલાના આગમન સાથે 500 વર્ષની આતુરતાનો અંત આવ્યો. ભારત અને વિશ્વના અન્ય દેશોમાં રહેતા રામ ભક્તો માટે આ ભાવનાત્મક ક્ષણ હતી. હવે અયોધ્યામાં ભક્તોનું પૂર આવી શકે છે. એક અંદાજ મુજબ એક વર્ષમાં રામ મંદિરની મુલાકાત લેનારા લોકોની સંખ્યા 10 કરોડ સુધી હોઈ શકે છે, જે વિશ્વના કોઈપણ અન્ય ધાર્મિક સ્થળો કરતાં વધુ હશે. દર વર્ષે માત્ર 2 કરોડ લોકો જ મક્કા જાય છે, જ્યારે વેટિકન પહોંચનારા લોકોની સંખ્યા માત્ર 90 લાખ છે. જો આ દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો રામ મંદિર આ બધાથી ઘણું આગળ હશે.

આ ઉપરાંત, ભારતમાં જ, કાશીના વિશ્વનાથ ધામ, અમૃતસરના પવિત્ર સુવર્ણ મંદિર, દક્ષિણમાં આસ્થાના મોટા કેન્દ્ર તિરુપતિ મંદિર અને વૈષ્ણો દેવી ધામ કરતાં વધુ લોકો રામ મંદિર પહોંચે તેવી અપેક્ષા છે. જો આપણે છેલ્લા બે વર્ષ એકસાથે જોઈએ તો 13 કરોડ લોકો કાશી વિશ્વનાથ ધામ પહોંચ્યા હતા, જે એક મોટો આંકડો છે. હવે તેનાથી પણ આગળ રામ મંદિર માટે ભક્તોનો ધસારો થઈ શકે છે. એટલું જ નહીં UP સરકારની આવકમાં પણ આનાથી મોટો ઉછાળો આવવાની આશા છે. SBIના એક રિસર્ચ રિપોર્ટ અનુસાર, રામ મંદિરના દર્શને આવતા ભક્તોને કારણે UP સરકારને નાણાકીય વર્ષ 2024-25માં લગભગ 25 હજાર કરોડ રૂપિયાની આવક થઈ શકે છે.

આંકડાઓ અનુસાર, આંધ્રપ્રદેશમાં દર વર્ષે 2.5 કરોડ લોકો તિરુપતિ બાલાજી મંદિરની મુલાકાત લે છે. ભગવાન વેંકટેશ્વરના આ પવિત્ર મંદિરને સમગ્ર વિશ્વમાં ઓળખવામાં આવે છે અને લોકો મોટા પાયે દાન પણ કરે છે. દર વર્ષે લગભગ 90 લાખ લોકો વૈષ્ણોદેવીની મુલાકાત લે છે. ઇસ્લામના સૌથી પવિત્ર સ્થળ મક્કાની મુલાકાત લેનારા લોકોની સંખ્યા વાર્ષિક 20 મિલિયન સુધી છે. અહીં મસ્જિદ અને કાબામાં દુનિયાભરમાંથી લોકો આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રામ મંદિરનું નિર્માણ 2022માં ચાલી રહ્યું હતું. ત્યારે પણ 2.21 કરોડ લોકો અયોધ્યા પહોંચ્યા હતા. આના પરથી સમજી શકાય છે કે, આવનારા દિવસોમાં આંકડા કેવા હોઈ શકે છે.

એવો અંદાજ છે કે, દર વર્ષે લગભગ 10 કરોડ લોકો રામ મંદિરની મુલાકાત લેશે, જે સમગ્ર ઉદ્યોગનો ઉત્સાહ વધારશે. અયોધ્યામાં હોટેલ ઉદ્યોગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને FMCG બિઝનેસમાં પણ તેજી આવવાની અપેક્ષા છે. અયોધ્યામાં પણ મોટા પાયે કામ ચાલી રહ્યું છે. રસ્તાઓ, હોટેલો, સ્ટેશનો, બસ સ્ટેન્ડ અને એરપોર્ટ સહિત વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને ઘણી વસ્તુઓમાં સુધારો પણ કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં અયોધ્યા વેપારની સાથે સાથે આસ્થાનું હબ બની શકે છે. જેના કારણે અયોધ્યા સિવાય નજીકના જિલ્લાઓ જેમ કે સુલતાનપુર, બારાબંકી વગેરેને પણ ફાયદો થશે.

About The Author

Related Posts

Top News

‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

એક તરફ દેશમાં 70 કલાક કામ કરવાને લઈને બહેસ ચાલી રહી છે. કેટલાક લોકો તેના પક્ષમાં છે, જ્યારે Gen-Z ...
National 
‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવે તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યુ હતુ કે, સરકાર વિદેશી...
National 
કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ

એક સારી એવી નોકરી છોડીને નવા પ્લાન પર કામ કરવું પડકારજનક કામ છે. એવામાં પરિવારથી લઈને સમાજ સુધી કોઈ પણ...
Offbeat 
લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ

અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

ઘણીવાર જોવા મળે છે કે સારો બિઝનેસ આઇડિયા હોવા છતા જમીનના આસમાને પહોંચતા ભાવ ઉદ્યોગસાહસિકોના સપનાને ચકનાચૂર કરી નાખે છે....
Business 
અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.