અજીત પવારને મોટો ઝટકો, MP અમોલ કોલ્હેએ 24 કલાકમાં પલટી મારી, શરદ પવારને સમર્થન

અજીત પવારના શપથ ગ્રહણ સમારોહમાં દેખાયેલા એક NCP સાંસદે પલટી મારી દીધી છે. હવે તેઓ શરદ પવારના સમર્થનમાં આવી ગયા છે. અજીત પવારના શપથ ગ્રહણને હજુ 24 કલાક થયા છે, ત્યાં જ તેમના ખેમામાં ફૂટ પડતી જોવા મળી રહી છે. NCP સાંસદ અમોલ કોલ્હેએ પલટી મારતા શરદ પવારને પોતાનું સમર્થન આપી દીધું છે. કોલ્હે એ જ સાંસદ છે, જેઓ રવિવારે રાજભવનમાં અજીત પવારના શપથ ગ્રહણ સમારોહમાં જોવા મળ્યા હતા. કોલ્હેની પલટી મારવી અજીત પવાર માટે મોટો ઝટકો માનવામાં આવે છે.

શિરુરથી NCPના લોકસભા સાંસદ અમોલ કોલ્હેએ આજે એક વીડિયો ટ્વીટ કર્યો હતો, જેમાં લખેલું હતું કે, જ્યારે હૃદય અને મગજમાં યુદ્ધ થાય તો હૃદયનું સાંભળો. કદાચ મગજ ક્યારેક ક્યારેક નૈતિકતા ભૂલી જાય છે...પણ હૃદય ક્યારેય નથી ભૂલતું. આ ટ્વીટમાં અમોલ કોલ્હેએ શરદ પવાર, સાંસદ સુપ્રિયા સુલે, જયંત પાટીલ અને જિતેન્દ્ર આહવાડને પણ ટેગ કર્યા છે.

અજીત પવારના શપથ ગ્રહણમાં ગયેલા MLA આજે કહે છે હું તો શરદ પવારની સાથે છું અને...

શિવસેના પછી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં વિભાજન થતાં શરદ પવારના જૂથમાં ગભરાટ ફેલાયો છે અને એકબીજા પર નિવેદનો આપવાનું ચાલુ કર્યું છે. જેમાં પક્ષના ધારાસભ્યો અને સંગઠન સાથે જોડાયેલા લોકો કઈ બાજુ છે, હવે તેઓ આગળ આવીને મીડિયાને જણાવી રહ્યા છે. દૌલત દરોડા મહારાષ્ટ્રની શાહપુર સીટ પરથી NCPના ધારાસભ્ય છે. રવિવાર, 2 જુલાઈના રોજ, જ્યારે અજિત પવાર સહિત NCPના નવ ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા ત્યારે દૌલત  દરોડા રાજભવનમાં બેઠા હતા. આ કારણથી તેમની ગણતરી અજિત પવારની છાવણીના ધારાસભ્યોમાં કરવામાં આવી હતી.

પરંતુ હવે શપથ ગ્રહણ સમારોહના બીજા દિવસે દૌલત દરોડા કંઈક બીજું જ કહેતા જોવા મળે છે. સોમવાર, 3 જુલાઈના રોજ, મીડિયા સૂત્રો સાથેની વાતચિત દરમિયાન દોલત દરોડાને પૂછવામાં આવ્યું કે, શું તેઓ અજિત પવારની છાવણીમાં છે? તેના જવાબમાં તેમણે કહ્યું કે, 'NCP પાર્ટી શરદ પવારની છે અને તેથી હું શરદ પવારની સાથે છું. ભલે હું રાજભવનમાં શપથ ગ્રહણ વખતે ગઈ કાલે અજિત પવાર સાથે હાજર હતો, પરંતુ આજે પણ હું શરદ પવાર સાથે છું, મને પણ મંત્રી પદની ઑફર કરવામાં આવી હતી, પરંતુ મેં કહ્યું હતું કે, જે સરકારમાં CM એકનાથ શિંદે હશે. તેવી સરકાર સાથે હું નહિ રહીશ.'

23 નવેમ્બર 2019ની વહેલી સવારે મહારાષ્ટ્રના રાજકારણમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો. આ દિવસે BJPમાંથી દેવેન્દ્ર ફડણવીસ અને NCPના અજિત પવારે કાકા શરદ પવાર સામે બળવો કરીને સરકાર બનાવી હતી. જેમાં દેવેન્દ્ર ફડણવીસ CM અને અજિત પવાર DyCM બન્યા. જો કે, બંને માત્ર 80 કલાક જ પદ પર રહી શક્યા અને પછી આ સરકાર પડી ગઈ. અજિત પવાર કાકા પાસે પાછા ફર્યા હતા.

આ બનાવ બન્યો ત્યારે પણ ધારાસભ્ય દૌલત દરોડા ચર્ચામાં હતા. હકીકતમાં શપથગ્રહણના દિવસે જ દૌલત દરોડાના ગુમ થયાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ હતી. તેઓ શપથ લીધાના સમયથી જ ગાયબ હતો. કહેવાય છે કે, અજિત પવાર તેમને લઈને BJP સાથે ચાલ્યા ગયા છે. જો કે, ગુમ થયાની ફરિયાદ દાખલ થયાના બીજા જ દિવસે, NCP ધારાસભ્ય દૌલત દરોડા આગળ આવ્યા અને કહ્યું કે તેઓ સુરક્ષિત છે. તેમણે એમ પણ કહ્યું કે, પાર્ટી બદલવાનો કોઈ સવાલ જ નથી. શરદ પવાર અને અજિત પવાર જે પણ નિર્ણય લેશે, તે નિર્ણયમાં તેઓ સાથે રહેશે.

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.