જેના અંતિમ સંસ્કાર કરી દેવાયા તે 20 દિવસ બાદ જીવતો મળ્યો; તો પછી અગ્નિદાહ કોને આપી દીધો?

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસ અને પરિવારજનોની ખોટી ઓળખને કારણે એક યુવકના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા, પરંતુ તે યુવક જીવતો નીકળ્યો, જેને મૃત માનીને ચિતાને અગ્નિ આપવામાં આવી હતી. 13 જાન્યુઆરી, મંગળવારના રોજ તે પોલીસને જીવતો મળી આવ્યો. હવે પોલીસ સામે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આખરે તે અજાણ્યો મૃતદેહ કોનો હતો, જેનું ક્રૂરતાપૂર્વક કાસળ કાઢી નાખવામાં આવ્યું હતું.

આ ઘટના 24 ડિસેમ્બરના રોજ બની હતી. સંભલના બહજોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાંદની ચોક ખંડહર માર્કેટમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવાનનું માથું ઈંટથી કચડીને હ*ત્યા કરવામાં આવી હતી. તેના માથાના પાછળના ભાગમાં ઊંડા ઘા હતા. મૃતદેહની નજીક મળેલી બેગ, હાથ પર બનેલા ટેટૂ અને તેના કદના આધારે મતદેહની ઓળખ ગોલાગંજના રહેવાસી સુશીલ કુમાર તરીકે થઈ હતી.

sambhal
bhaskar.com

માહિતી મળતા પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોસ્ટમોર્ટમ બાદ, મૃતદેહને કાલી મંદિર સ્મશાનગૃહમાં અગ્નિસંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. પરંતુ આ દરમિયાન, પોલીસને એક બાતમીદાર પાસેથી માહિતી મળી કે સુશીલ જીવિત છે. મંગળવારે, પોલીસે તેને એક ચોકડી પરથી શોધી કાઢ્યો. પોલીસ હવે એ વાતની તપાસ કરી રહી છે કે જે યુવકનું કાસળ કાઢી નાખવામાં આવ્યું હતું, તે કોણ હતો?

સંભલ પોલીસનું કહેવું છે કે તેઓ તપાસ કરી રહ્યા છે કે સુશીલના બદલે કોના મૃતદેહના અગ્નિસંસ્કાર કરી દેવામાં આવ્યા છે. મૃતકનું કાસળ કોણે કાઢી નાખ્યું? પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે શું સુશીલે પોતે અંગત લાભ માટે પોતાના મૃ*ત્યુનું નાટક કર્યું હોય અને કોઈ બીજાને મારીને અગ્નિસંસ્કાર કરાવી દીધા હોય. પોલીસ સુશીલની પૂછપરછ કરશે.

sambhal
bhaskar.com

સંભલના ASP અનુકૃતિ શર્માએ જણાવ્યું હતું કે આ કેસમાં મૃતદેહની ખોટી ઓળખ થઈ છે. જે યુવાનને મૃ*ત જાહેર કરવામાં આવ્યો હતો તે જીવિત મળી આવ્યો છે. હવે અજાણ્યા મૃતદેહની ઓળખ અને હત્યાની તપાસ કરવામાં આવી રહી છે.

About The Author

Top News

દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

શું તમે જાણો છો કે દેશની રાજધાની દિલ્હીમાં પહેલો મોલ કયો હતો? જો નહીં, વધારે વિચારવાની જરૂર નથી...
National 
દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

અમેરિકા વિશ્વના નવ દેશોમાંનો એક છે. તેની પાસે તેના આધુનિક ઇતિહાસ સિવાય બડાઈ મારવા કે ગર્વ કરવા જેવું કંઈ નથી....
World 
અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

જો તમે ઓછા બજેટમાં ઓટોમેટિક SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. શહેરોમાં વધતા...
Tech and Auto 
આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

બેંગલુરુમાં એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યોતિષની આગાહી પછી 27 વર્ષીય મહિલા એન્જિનિયરે આત્મહત્યા કરી લીધી. આ ઘટના શહેરના...
National 
એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.