જેના અંતિમ સંસ્કાર કરી દેવાયા તે 20 દિવસ બાદ જીવતો મળ્યો; તો પછી અગ્નિદાહ કોને આપી દીધો?

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસ અને પરિવારજનોની ખોટી ઓળખને કારણે એક યુવકના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા, પરંતુ તે યુવક જીવતો નીકળ્યો, જેને મૃત માનીને ચિતાને અગ્નિ આપવામાં આવી હતી. 13 જાન્યુઆરી, મંગળવારના રોજ તે પોલીસને જીવતો મળી આવ્યો. હવે પોલીસ સામે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આખરે તે અજાણ્યો મૃતદેહ કોનો હતો, જેનું ક્રૂરતાપૂર્વક કાસળ કાઢી નાખવામાં આવ્યું હતું.

આ ઘટના 24 ડિસેમ્બરના રોજ બની હતી. સંભલના બહજોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાંદની ચોક ખંડહર માર્કેટમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવાનનું માથું ઈંટથી કચડીને હ*ત્યા કરવામાં આવી હતી. તેના માથાના પાછળના ભાગમાં ઊંડા ઘા હતા. મૃતદેહની નજીક મળેલી બેગ, હાથ પર બનેલા ટેટૂ અને તેના કદના આધારે મતદેહની ઓળખ ગોલાગંજના રહેવાસી સુશીલ કુમાર તરીકે થઈ હતી.

sambhal
bhaskar.com

માહિતી મળતા પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોસ્ટમોર્ટમ બાદ, મૃતદેહને કાલી મંદિર સ્મશાનગૃહમાં અગ્નિસંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. પરંતુ આ દરમિયાન, પોલીસને એક બાતમીદાર પાસેથી માહિતી મળી કે સુશીલ જીવિત છે. મંગળવારે, પોલીસે તેને એક ચોકડી પરથી શોધી કાઢ્યો. પોલીસ હવે એ વાતની તપાસ કરી રહી છે કે જે યુવકનું કાસળ કાઢી નાખવામાં આવ્યું હતું, તે કોણ હતો?

સંભલ પોલીસનું કહેવું છે કે તેઓ તપાસ કરી રહ્યા છે કે સુશીલના બદલે કોના મૃતદેહના અગ્નિસંસ્કાર કરી દેવામાં આવ્યા છે. મૃતકનું કાસળ કોણે કાઢી નાખ્યું? પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે શું સુશીલે પોતે અંગત લાભ માટે પોતાના મૃ*ત્યુનું નાટક કર્યું હોય અને કોઈ બીજાને મારીને અગ્નિસંસ્કાર કરાવી દીધા હોય. પોલીસ સુશીલની પૂછપરછ કરશે.

sambhal
bhaskar.com

સંભલના ASP અનુકૃતિ શર્માએ જણાવ્યું હતું કે આ કેસમાં મૃતદેહની ખોટી ઓળખ થઈ છે. જે યુવાનને મૃ*ત જાહેર કરવામાં આવ્યો હતો તે જીવિત મળી આવ્યો છે. હવે અજાણ્યા મૃતદેહની ઓળખ અને હત્યાની તપાસ કરવામાં આવી રહી છે.

About The Author

Top News

સુરતના અથર્વ કાપડીયાનું અબોલ પક્ષીઓ માટે અદભુત સેવાકાર્ય

ઉત્તરાયણ પર્વ આનંદ, ઉત્સાહ અને પરંપરાનો તહેવાર છે, પરંતુ આ પર્વ દરમિયાન પતંગની દોરીમાં ફસાઈને અનેક અબોલ પક્ષીઓ અને પશુઓ...
Gujarat 
સુરતના અથર્વ કાપડીયાનું અબોલ પક્ષીઓ માટે અદભુત સેવાકાર્ય

જેના અંતિમ સંસ્કાર કરી દેવાયા તે 20 દિવસ બાદ જીવતો મળ્યો; તો પછી અગ્નિદાહ કોને આપી દીધો?

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસ અને પરિવારજનોની ખોટી ઓળખને કારણે એક યુવકના અંતિમ સંસ્કાર...
National 
જેના અંતિમ સંસ્કાર કરી દેવાયા તે 20 દિવસ બાદ જીવતો મળ્યો; તો પછી અગ્નિદાહ કોને આપી દીધો?

હનુમાનજી-મા દુર્ગાની મૂર્તિ.., કૂતરો 5 દિવસથી કરી રહ્યો છે પરિક્રમા, લોકોએ ભૈરવનું સ્વરૂપ ગણાવ્યો; ડૉક્ટરે જણાવ્યું સત્ય

બિજનોર જિલ્લાના નગીના વિસ્તારના નંદપુર ગામમાં આ દિવસોમાં એક કૂતરો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. મંદિરમાં કૂતરાની રહસ્યમય હરકતોથી દર્શકો અને...
National 
હનુમાનજી-મા દુર્ગાની મૂર્તિ.., કૂતરો 5 દિવસથી કરી રહ્યો છે પરિક્રમા, લોકોએ ભૈરવનું સ્વરૂપ ગણાવ્યો; ડૉક્ટરે જણાવ્યું સત્ય

BMC ઈલેક્શન રિઝલ્ટઃ ભાજપ કિંગ, ઉદ્ધવ બીજા નંબરે, શિંદેને ઝટકો

મુંબઈના લોકોએ સ્પષ્ટ કરી દીધું છે કે BMCના રાજા કોણ હશે. મુંબઈકરોએ ફડણવીસ-શિંદેની જોડી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે....
BMC ઈલેક્શન રિઝલ્ટઃ ભાજપ કિંગ, ઉદ્ધવ બીજા નંબરે, શિંદેને ઝટકો

Opinion

શું ગુજરાતની બધી જ કલેક્ટર કચેરીઓને ભ્રષ્ટ બનાવવા પાછળ ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ જવાબદાર છે? શું ગુજરાતની બધી જ કલેક્ટર કચેરીઓને ભ્રષ્ટ બનાવવા પાછળ ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ જવાબદાર છે?
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જિલ્લા કલેક્ટર કચેરીઓમાં ભ્રષ્ટાચારના કિસ્સાઓ હદ બહાર વધી રહ્યા છે જે પ્રશાસન પરની વિશ્વસનીયતાને હાની પહોંચાડી...
PM મોદી, શાહ અને સંઘવીની ત્રિપુટીનું ગુજરાતમાં અતિક્રમણ વિરોધી અભિયાન
PM મોદી અને યોગીએ ક્યારેય તેમની રાજકીય શક્તિનો લાભ તેમના પરિવારને આપ્યો નથી
ગુજરાતની રાજનીતિમાં યુવા તીકડીનું નવું સમીકરણ: વરુણ પટેલ, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા
શું ગુજરાતમાં સરકારી અધિકારીઓ ચૂંટાયેલા રાજકારણીઓને નથી ગાંઠતા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.