સંજય રાઉતે CMના ઘરને આગ લગાડવાનું કહ્યુ હોવાનો શિંદે જૂથના નેતાનો દાવો

મહારાષ્ટ્રની રાજનીતિમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે શિવસેના (એકનાથ શિંદે) જૂથના નેતા સદા સરવણકરે એક વિસ્ફોટક ખુલાસો કર્યો છે. સદા સરવણકરે કહ્યું કે, તેમને તેમની પાર્ટીના નેતાઓ ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતે CM મનોહર જોશીના ઘર પર હુમલો કરવા માટે ઉશ્કેર્યા હતા.

CM શિંદેના જૂથના ધારાસભ્ય સદા સરવણકરે જણાવ્યું હતું કે, સંજય રાઉતે તેમને તેમની વિધાનસભાની ઉમેદવારી માટે મહારાષ્ટ્રના તત્કાલિન CM મનોહર જોશીના ઘરને પેટ્રોલથી બાળી નાખવા માટે કહ્યું હતું. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે આ ઉમેદવારી માટે તેમની પાસેથી કરોડો રૂપિયાની માંગણી પણ કરવામાં આવી હતી. આ ઘટના 2000ની છે. 23 વર્ષ પછી શિવસેના શિંદે જૂથના ધારાસભ્ય સદા સરવણકરે આ મામલે આ નિવેદન આપીને મહારાષ્ટ્રના રાજકારણમાં તોફાન મચાવી દીધું છે.

સદા સરવણકરે કોલ્હાપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં આ ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું, 'મનોહર જોશીએ મને વિધાનસભા ચૂંટણીની ટિકિટ માટે માતોશ્રી જવા માટે કહ્યું હતું. હું માતોશ્રી ગયો ત્યારે મને કહેવામાં આવ્યું કે, તમારી ટિકિટ મનોહર જોશીએ કાપી નાખી છે. મિલિંદ નાર્વેકરે મને કહ્યું કે, તારે તેના ઘર પર હુમલો કરવો જોઈએ. તે દરમિયાન સંજય રાઉતે મને ફોન કર્યો હતો.'

સદા સરવણકરે કહ્યું, 'તે સમયે સંજય રાઉતે મને કહ્યું હતું કે, મનોહર જોશીના ઘરે જતા તેમના ઘરની નજીક પેટ્રોલ પંપ છે. ત્યાંથી પેટ્રોલ લઈ લેજે અને તેમના ઘરને સંપૂર્ણપણે સળગાવી દેજે, કઈ પણ છોડતો નહિ. એટલા માટે અમે મનોહર જોશીના ઘર પર હુમલો કર્યો. અમે માતોશ્રીના આદેશનું પાલન કર્યું.'

સદા સરવણકરે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, તેમની પાસેથી વિધાનસભાની ઉમેદવારી માટે 10 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, હું 10 કરોડ રૂપિયા ન આપી શક્યો તેથી પાર્ટીના અન્ય નેતા આદેશ બાંદેકરને ટિકિટ આપવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા. તેમણે કહ્યું કે, બાળા સાહેબના કાર્યકાળમાં આવી પ્રવૃત્તિઓ ક્યારેય થઈ નથી.

તેમણે કહ્યું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસ સાથે સરકાર બનાવ્યા પછી ઉદ્ધવ ઠાકરે તેમના પુત્ર આદિત્યને મોટો નેતા બનાવવા માંગતા હતા. આ એ સમય હતો જ્યારે ઠાકરેએ સમય પણ ન આપ્યો અને પોતાના ધારાસભ્યો તરફ નજર પણ ન નાખી, એટલે જ શિવસૈનિકોએ CM એકનાથ શિંદે અને તેમના નેતૃત્વને સમર્થન આપ્યું.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.