ભાજપ હવે જાહેરાત કરશે કે ભગવાન રામ ચૂંટણીમાં તેમના ઉમેદવાર હશેઃ સંજય રાઉત

આજકાલ દેશમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની જ ચર્ચા ચાલી રહી છે. હજારો લોકોને આના માટે આમંત્રણ મોકલી દેવાયું છે. પણ અમુક લોકો નારાજ પણ છે, જેમને આમંત્રણ મોકલાયું નથી, જેમાં ઉદ્ધવ ઠાકરે જુથની શિવસેનાનો પણ સમાવેશ થાય છે, જેમાં પૂર્વ CM ઉદ્ધવ ઠાકરેને ઈન્વિટેશન મોકલવામાં આવ્યું નથી જેને લઈને રાજ્યસભા સાંસદ અને શિવસેનાના મોટા નેતા સંજય રાઉતે કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું હતું કે, હવે ફક્ત એક વસ્તુ બચી છે કે ભાજપ એલાન કરશે કે ભગવાન રામ ચૂંટણીમાં તેમના ઉમેદવાર હશે. ભગવાન રામના નામે બહુ રાજનીતિ થઈ રહી છે.

સંજય રાઉતે કહ્યું હતું કે, ભાજપે આખા કાર્યક્રમને એક પ્રાઇવેટ ઈવેન્ટ બનાવી દીધી છે. આનાથી આ સાબિત થાય છે કે આ રાષ્ટ્રીય કાર્યક્રમ નથી, પરંતુ ભાજપનો પ્રાઇવેટ કાર્યક્રમ છે. તેમણે ઉદ્ધવ ઠાકરે સહિત ઘણા વિપક્ષના નેતાઓને પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ ન મળતા કહ્યું હતું કે, તેમના નેતાઓને કોઈના આમંત્રણની જરૂર નથી. શિવસેનાનો ઉત્તર પ્રદેશના આ શહેરથી જૂનો સંબંધ છે. આ રાષ્ટ્રીય કાર્યક્રમ નથી, પરંતુ ભાજપનો પ્રાઇવેટ કાર્યક્રમ છે. સંજય રાઉતે દાવો કર્યો કે, ભાજપે 1992મા બાબરી મસ્જિદ પાડવાને લઈને શિવસેનાને જવાબદાર ગણાવી હતી. એ સમયે શિવસેના સંસ્થાપક બાલ ઠાકરેએ આની જવાબદારી લીધી હતી.

About The Author

Top News

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોતની આશંકા વ્યક્ત...
National 
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

દેશમાં પહેલીવાર ગુજરાતાં સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 3430 ડોલર...
Business 
ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

તાજેતરમાં સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં SRK ડાયમંડ કંપની દ્રારા પરિવારોત્સવ 2025ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના 61 વર્ષ પુરા...
Gujarat 
'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમના સમયના મહાન બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને હવે પસ્તાવો થાય છે કે, તેઓ ક્રિકેટ રમ્યા...
Sports 
મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.