ભાજપ હવે જાહેરાત કરશે કે ભગવાન રામ ચૂંટણીમાં તેમના ઉમેદવાર હશેઃ સંજય રાઉત

આજકાલ દેશમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની જ ચર્ચા ચાલી રહી છે. હજારો લોકોને આના માટે આમંત્રણ મોકલી દેવાયું છે. પણ અમુક લોકો નારાજ પણ છે, જેમને આમંત્રણ મોકલાયું નથી, જેમાં ઉદ્ધવ ઠાકરે જુથની શિવસેનાનો પણ સમાવેશ થાય છે, જેમાં પૂર્વ CM ઉદ્ધવ ઠાકરેને ઈન્વિટેશન મોકલવામાં આવ્યું નથી જેને લઈને રાજ્યસભા સાંસદ અને શિવસેનાના મોટા નેતા સંજય રાઉતે કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું હતું કે, હવે ફક્ત એક વસ્તુ બચી છે કે ભાજપ એલાન કરશે કે ભગવાન રામ ચૂંટણીમાં તેમના ઉમેદવાર હશે. ભગવાન રામના નામે બહુ રાજનીતિ થઈ રહી છે.

સંજય રાઉતે કહ્યું હતું કે, ભાજપે આખા કાર્યક્રમને એક પ્રાઇવેટ ઈવેન્ટ બનાવી દીધી છે. આનાથી આ સાબિત થાય છે કે આ રાષ્ટ્રીય કાર્યક્રમ નથી, પરંતુ ભાજપનો પ્રાઇવેટ કાર્યક્રમ છે. તેમણે ઉદ્ધવ ઠાકરે સહિત ઘણા વિપક્ષના નેતાઓને પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ ન મળતા કહ્યું હતું કે, તેમના નેતાઓને કોઈના આમંત્રણની જરૂર નથી. શિવસેનાનો ઉત્તર પ્રદેશના આ શહેરથી જૂનો સંબંધ છે. આ રાષ્ટ્રીય કાર્યક્રમ નથી, પરંતુ ભાજપનો પ્રાઇવેટ કાર્યક્રમ છે. સંજય રાઉતે દાવો કર્યો કે, ભાજપે 1992મા બાબરી મસ્જિદ પાડવાને લઈને શિવસેનાને જવાબદાર ગણાવી હતી. એ સમયે શિવસેના સંસ્થાપક બાલ ઠાકરેએ આની જવાબદારી લીધી હતી.

Top News

શું ટ્રમ્પ અને મસ્ક વચ્ચેનો વિવાદ એક દેખાડાની સમજી વિચારીને રજૂ થયેલી રાજરમત છે

ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્ક બે એવા નામ જે આજે વૈશ્વિક રાજકારણ અને ઉદ્યોગ જગતના કેન્દ્રમાં છે. ટ્રમ્પની અમેરિકાના પ્રમુખ...
World 
શું ટ્રમ્પ અને મસ્ક વચ્ચેનો વિવાદ એક દેખાડાની સમજી વિચારીને રજૂ થયેલી રાજરમત છે

ભારતીય વિદ્યાર્થીઓ USના વીઝા મેળવવા પોસ્ટ ડિલીટ કરી રહ્યા છે, પણ તે જોખમી છે

ટ્રમ્પના વહીવટી તંત્રએ અમેરિકાના વીઝા માટે સોશિયલ મીડિયા પોસ્ટની સંપૂર્ણ તપાસ પછી જ વીઝા આપવાના નિર્ણય પછી ભારતીય વિદ્યાર્થીઓ ચિંતામાં...
World 
ભારતીય વિદ્યાર્થીઓ USના વીઝા મેળવવા પોસ્ટ ડિલીટ કરી રહ્યા છે, પણ તે જોખમી છે

બેંકની મહિલા અધિકારીએ ખાતેદારોના 4.58 કરોડ ઉપાડીને શેરબજારમાં નાખી દીધા પણ...

રાજસ્થાનના કોટામાં ICICI બેંકમાં રિલેશનશીપ મેનેજર તરીકે કામ કરતી સાક્ષી ગુપ્તાએ શેરબજારમાં કમાણી કરવા માટે બેંકના જુદા જુદા ગ્રાહકોના ખાતામાંથી...
National 
બેંકની મહિલા અધિકારીએ ખાતેદારોના 4.58 કરોડ ઉપાડીને શેરબજારમાં નાખી દીધા પણ...

ઓવૈસીએ પાકિસ્તાની મૌલવીઓને કેમ કહ્યું- 'મારા લગ્ન થઇ ગયા છે, મારી ચિંતા ના કરો...'

પહલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પછી, ભારતે વિશ્વભરના દેશોમાં સંસદીય પ્રતિનિધિમંડળો મોકલ્યા. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી પણ...
National 
ઓવૈસીએ પાકિસ્તાની મૌલવીઓને કેમ કહ્યું- 'મારા લગ્ન થઇ ગયા છે, મારી ચિંતા ના કરો...'
Copyright (c) Khabarchhe All Rights Reserved.