સત્યેન્દ્ર જૈનની તબિયત બગડી, ઑક્સિજન સપોર્ટ પર AAP નેતા

દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન ગુરુવારે તિહાડ જેલના બાથરૂમમાં ચક્કર આવ્યા બાદ પડી ગયા હતા. તેમને DDU હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યાં તેની તબિયત બગડી છે અને તેમને અત્યારે ઑક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. સત્યેન્દ્ર જૈનને દિલ્હીની LNJP હૉસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં સત્યેન્દ્ર જૈનને બીજી વખત હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. આ અગાઉ પણ સત્યેન્દ્ર જૈન બાથરૂમમાં પડી ગયા હતા અને તેમને કરોડરજ્જુના હાડકાંમાં ગંભીર ઇજા થઈ હતી. હાલમાં તેમની સારવાર ચાલી રહી છે.

તિહાડ જેલ પ્રશાસન મુજબ, ગુરુવારે સવારે 6:00 વાગ્યાની આસપાસની આ ઘટના છે. સત્યેન્દ્ર જૈન બાથરૂમમાં પડી ગયા હતા. ડૉક્ટરોએ સત્યેન્દ્ર જૈનની તપાસ કરી છે અને કહ્યું કે, તેમનું સ્વાસ્થ્ય સામાન્ય છે. હાલમાં તેમને DDU મોકલવામાં આવ્યા છે. સત્યેન્દ્ર જૈને પીઠ, પગ અને ખભા પર દુઃખાવાની ફરિયાદ કરી હતી. તિહાડ પ્રશાસન મુજબ, તેમની સર્જરી થવાની છે, તેના બધા પરીક્ષણ કરી લેવામાં આવશે. સ્પાઇનમાં તેમને પરેશાની થઈ રહી છે. આ અગાઉ પણ સોમવારે તેમને હૉસ્પિટલમાં સ્પાઇન પરીક્ષણ માટે લઈ જવામાં આવ્યા હતા.

જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની તબિયત 3 દિવસ અગાઉ બગડ્યા બાદ તેમને સફદરજંગ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન તે ખૂબ પાતળા નજરે પડ્યા હતા. સત્યેન્દ્ર જૈનનું વજન લગભગ 35 કિલો ઓછું થયું છે. તિહાડ જેલમાં બંધ સત્યેન્દ્ર જઈને થોડા સમય અગાઉ ફરિયાદ કરી હતી કે તેઓ ઉદાસ અને એકલા અનુભવી રહ્યા છે. ત્યારબાદ તિહાડ જેલ પ્રશાસને કહ્યું હતું કે, તેઓ મનોવૈજ્ઞાનિકની મદદ લેશે.

સત્યેન્દ્ર જૈનની તબિયત બગડ્યા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કરી છે. આ દરમિયાન તેમણે લખ્યું કે, જે વ્યક્તિ જનતાની સારી સારવાર આપવા માટે દિવસ-રાત કામ કરી રહ્યા હતા, આજે એ ભલા વ્યક્તિને એક તાનાશાહ મારવા પર લાગ્યા છે એ તાનાશાહનો એક જ વિચાર છે. બધાને સમાપ્ત કરી દેવાની, તેઓ માત્ર હું હું માં જ જીવે છે. તેઓ માત્ર પોતાને જ જોવા માગે છે. ભગવાન બધુ જોઈ રહ્યા છે. તેઓ બધા સાથે ન્યાય કરશે. ભગવાનને સત્યેન્દ્ર જૈનના જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. ભગવાન તેમને આ વિપરીત પરિસ્થિતિ સામે લડવાની શક્તિ આપે.

Related Posts

Top News

શુભમન ગિલ અને ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સની 5 મોટી વાતો, કોહલી-રોહિત વિશે પણ કરી વાત

ભારતીય ટીમ 5 ટેસ્ટ, 3 વન-ડે અને 3 T20 મેચોની સીરિઝ માટે ઇંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. વિરાટ કોહલી...
Sports 
શુભમન ગિલ અને ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સની 5 મોટી વાતો, કોહલી-રોહિત વિશે પણ કરી વાત

એલોન મસ્કની સ્ટારલિંકનો ભારતમાં રસ્તો સાફ, સેટેલાઇટ ઇન્ટરનેટ માટે મહત્ત્વનું લાયસન્સ મળ્યું

એલોન મસ્કની સેટેલાઇટ-આધારિત ઇન્ટરનેટ સેવા સ્ટારલિંકને ભારતમાં જરૂરી લાઇસન્સ મળ્યું છે. મસ્કની કંપની છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં તેની સેવા શરૂ...
Tech and Auto 
એલોન મસ્કની સ્ટારલિંકનો ભારતમાં રસ્તો સાફ, સેટેલાઇટ ઇન્ટરનેટ માટે મહત્ત્વનું લાયસન્સ મળ્યું

વિસાવદરની પેટાચૂંટણીમાં પાટીદાર સામે પાટીદાર

ગુજરાત વિધાનસભા 2022માં વિસાવદરની બેઠક પરથી આમ આદમી પાર્ટીની ટિકીટ પરથી ચૂંટાયેલા ભૂપત ભાયાણી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા જેને...
Gujarat 
વિસાવદરની પેટાચૂંટણીમાં પાટીદાર સામે પાટીદાર

એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર દ્વારા 'ટૂ મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન' કેમ્પેઇન શરૂ કરાયું

સુરત, 6 જૂન 2025: ભારતમાં કેન્સર ડિટેક્શનની આસપાસનું નેરેટિવ બદલવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા, એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર...
Gujarat 
એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર દ્વારા 'ટૂ મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન' કેમ્પેઇન શરૂ કરાયું
Copyright (c) Khabarchhe All Rights Reserved.