1700ની ચંપલ 1 મહિનામાં તૂટી ગઇ, ગ્રાહક ફોરમ પહોંચ્યો યુવક; શૉરૂમના મેનેજર વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરન્ટ

ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં ગ્રાહક અધિકારો અંગે એક ખૂબ જ ગંભીર અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શૉરૂમ મેનેજર માટે માત્ર ચંપલની જોડી અંગેની ફરિયાદ હવે કાયદાકીય સમસ્યા બની ગઈ છે. જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ પંચે શૉરૂમના મેનેજર મોહમ્મદ ઉસ્માન સામે બિનજામીનપાત્ર વોરન્ટ જાહેર કર્યું છે. ગ્રાહક ફોરમના આદેશોની સતત અવગણનાને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે.

આ મામલો 2022માં બન્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. માહિતી અનુસાર, સીતાપુરના બટ્સગંજના રહેવાસી આરિફે 17 મે, 2022ના રોજ ટ્રાન્સપોર્ટ ચાર રસ્તા નજીક એક શૉરૂમમાંથી 1,700 રૂપિયામાં ચંપલની જોડી ખરીદી હતી. ખરીદીના સમયે શૉરૂમ મેનેજર દ્વારા ચંપલ પર 6 મહિનાની વોરન્ટીનો દાવો કર્યો હતો, પરંતુ એવો આરોપ છે કે ખરીદીના માત્ર એક મહિનામાં જ ચંપલ ખરાબ થઇને તૂટવા લાગી.

chappals
dmodot.com

પીડિત આરિફનું કહેવું છે કે જ્યારે તે પોતાની ફરિયાદ લઈને શૉરૂમ ગયો ત્યારે શરૂઆતમાં તેને ગોળગોળ જવાબ આપવામાં આવતો. બાદમાં શૉરૂમ મેનેજરે ચંપલ પોતાની પાસે રાખી લીધી, પરંતુ ન તો નવી  ચપ્પલ આપી કે ન તો પૈસા પરત કર્યા. સતત પરેશાન થયા બાદ આરિફે 17 ઓક્ટોબર, 2022ના રોજ જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ આયોગમાં ફરિયાદ નોંધાવી હતી.

ગ્રાહક ફોરમે શૉરૂમના મેનેજરને ઘણી નોટિસો ફટકારી, પરંતુ એવો આરોપ છે કે મેનેજર ફોરમ સમક્ષ ન તો હાજર થયા કે ન તો પોતાનો પક્ષ રજૂ કર્યો. ત્યારબાદ, 8 જાન્યુઆરી, 2024ના રોજ ફોરમે શૉરૂમના મેનેજરને ચંપલની કિંમત પરત કરવા, માનસિક હેરાનગતિ માટે 2,500 રૂપિયા અને કેસના ખર્ચ તરીકે 5,000 રૂપિયા એટલે કે કુલ 9,20 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો.

chappals3
dmodot.com

કહેવામાં આવી રહ્યું છે કે ફોરમના આ આદેશનું પણ પાલન કરવામાં આવ્યું નહોતું. આ આદેશના ઉલ્લંઘન બાદ ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019ની કલમ 72 હેઠળ વિવિધ કેસ નંબર 12/2024માં કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત જિલ્લા ગ્રાહક ફોરમે સીતાપુરના પોલીસ અધિક્ષકને એક પત્ર મોકલીને નિર્દેશ આપ્યો હતો કે 2 જાન્યુઆરી, 2026 સુધીમાં બિનજામીનપાત્ર વોરન્ટનો અમલ કરવામાં આવે અને શૉરૂમના મેનેજર મોહમ્મદ ઉસ્માનની ધરપકડ કરીને ફોરમ સમક્ષ રજૂ કરવામાં આવે.

About The Author

Related Posts

Top News

શું પરિવાર તરફથી ગિફ્ટમાં મળેલી મિલકત પર ટેક્સ આપવો પડે? ટ્રીબ્યુનલનો ચુકાદો જાણો

દિલ્હીની ઇન્કમટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હિંદુ ફેમીલી સેટલમેન્ટ હેઠળ ગિફ્ટ આપવામાં આવેલી મિલ્કત ટ્રાન્સફરની વ્યાખ્યામાં આવતી...
National 
શું પરિવાર તરફથી ગિફ્ટમાં મળેલી મિલકત પર ટેક્સ આપવો પડે? ટ્રીબ્યુનલનો ચુકાદો જાણો

દુનિયાના સૌથી ખુશાલ દેશમાં ભારતીય ઉદ્યોગપતિ કેમ દુઃખી? કંપની વેચીને ભારત ફરવું પડ્યું; કારણ પણ જણાવ્યું

સ્વીડનમાં એક સફળ સ્ટાર્ટઅપ ઊભું કરનાર ભારતીય ઉદ્યોગસાહસિક અભિજીત નાગ બાલાસુબ્રમણ્યમને આખરે પોતાના સપનાનો દેશ છોડવો પડી રહ્યો છે. હાઇડ્રો...
World 
દુનિયાના સૌથી ખુશાલ દેશમાં ભારતીય ઉદ્યોગપતિ કેમ દુઃખી? કંપની વેચીને ભારત ફરવું પડ્યું; કારણ પણ જણાવ્યું

‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ

બોલિવુડ અભિનેતા રાજપાલ યાદવે છેલ્લા 2 દિવસમાં તેના 9 કરોડ રૂપિયાના ચેક બાઉન્સ કેસ વિશે ઘણી વાતો કહી નાખી. તેણે...
Entertainment 
‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ

અમેરિકા માટે ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો રસ્તો સરળ નથી; ઈરાની લોકો...

US-ઇઝરાયલી હુમલાઓને કારણે ઈરાનમાં થયેલા વિસ્ફોટોએ ફરી એકવાર પશ્ચિમ એશિયાને યુદ્ધમાં ધકેલી દીધું છે. આ સંયુક્ત હુમલાઓએ પ્રશ્ન ઉઠાવ્યો...
World 
અમેરિકા માટે ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો રસ્તો સરળ નથી; ઈરાની લોકો...

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.