આ યુવાન 4 વર્ષમાં 7000 સાંપને બચાવી ચૂક્યો છે, ‘સ્નેક મેન’ નામે ઓળખાય છે

નાગ પંચમી પર એક દિવસ લોકો પૂજા કરે છે, પરંતુ સરગુજા જિલ્લાના સ્નેક મેન સત્યમ દ્વિવેદી છેલ્લા 5 વર્ષોથી રોજ 24 કલાક ઘરોમાં ઘૂસી જતા ઝેરી અને સાધારણ સાંપોને પકડીને તેમને સુરક્ષિત જગ્યાએ છોડીને લોકોના જીવ બચાવવાના કામમાં લાગ્યો છે. સ્નેક મેન સત્યમ સરગુજા અને અંબિકાપુરનો જાણીતો ચહેરો છે. તે છેલ્લા 5 વર્ષોથી પોતાની સંસ્થા નેચર કન્ઝર્વેશન સોસાયટીના માધ્યમથી ઝેરી સાંપને પકડવા સાથે સાથે તેમને બચાવવા અને લોકો વચ્ચે ઉપજેલા ભયને દૂર કરીને સાંપના સંરક્ષણ માટે પણ તેમને જાગૃત કરવાનું કામ કરી રહ્યો છે.

સત્યમ દ્વિવેદી અત્યાર સુધી 7 હજાર કરતા વધુ સાંપોને પકડીને તેમને સુરક્ષિત જગ્યાઓ પર છોડી ચૂક્યો છે. તેમાંથી 1,500 અત્યંત ઝેરી સાંપ પણ સામેલ છે. સ્નેક મેન સત્યમ દ્વિવેદી સાંપ પકડવાની કળા માટે કોઈ વિશેષ તાલીમ લીધી નથી. વર્ષ 2015માં તકિયા રોડમાં અજગર સાંપનું રેસ્ક્યૂ કરવા પર તેને સારું લાગ્યું, તેના મનમાં પહેલાથી જ પશુ-પક્ષીઓ પ્રત્યે પ્રેમનો ભાવ હતો. અજગર પકડીને જંગલમાં છોડવાની અનુભૂતિ તેને પ્રેરણા આપી. વર્ષ 2017માં બિલાસપુરમાં PSCની તૈયારી દરમિયાન યુટ્યુબ અને બીજા માધ્યમથી સાંપ રેસ્ક્યૂ પર સ્ટડી શરૂ કરી.

વર્ષ 2019માં કોરોનાના પ્રકોપ દરમિયાન જ્યારે તે અંબિકાપુર પહોંચ્યો તો તેને ફરીથી સાંપ પકડવાનો અવસર મળવા લાગ્યો. કોરોનાકાળમાં પકડાયેલા આ સાંપનું રેસ્ક્યૂ કરીને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો તો તેને પ્રસંશા મળવા સાથે સાથે સાંપ રેસ્ક્યૂ માટે ફોન પણ આવવાનો શરૂ થઈ ગયા. પછી આ સિલસિલો ચાલુ થઈ ગયો. અત્યાર સુધી 4 વર્ષોમાં 7 હજાર કરતા વધુ સાંપો રેસ્ક્યૂ કરી ચૂકેલા સ્નેક મેન સત્યમ હવે લગભગ રોજ શહેર અને આસપાસના વિસ્તારોમાં સાંપના રેસ્ક્યૂ સાથે-સાથે મહામાયા પુર્નવાસ કેન્દ્રના માધ્યમથી અબોલ પશુઓ ખાસ કરીને ગૌપ્રજાતિની સુરક્ષાના અભિયાનમાં જોડાઈ ગયો છે, જેમાં તેમ તેની સાથે શહેરનો દરેક વર્ગ જોડાઈ ગયો છે.

સ્નેક મેન સત્યમનું કહેવું છે કે, સાંપોની પૂજા કરવાની સારી વાત છે, પરંતુ તેનાથી પણ વધારે ખુશી તેમને બચાવવા અને સંરક્ષિત કરવાની છે જેથી જૈવિવિધાતાનો આ મહત્ત્વપૂર્ણ હિસ્સો સુરક્ષિત રહ્યા. તેમણે કહ્યું કે, તેમની યોજના સરગુજા પેટાવિભાગ મુખ્યાલયમાં રેસ્ક્યૂ અને વેનમ સેન્ટર સ્થાપિત કરવાની છે. જ્યાં સાંપોના સંરક્ષણ સાથે નવી પેઢીને તેમના મહત્ત્વ અને સહભાગીતાનો પણ અનુભવ કરાવી શકે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.