પત્નીએ દીકરા સાથે મળીને કરી નાખી પોતાના પતિની હત્યા, જાણો કારણ

રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના સાગવાડા પોલીસ પોલીસ સ્ટેશન વિસ્તારના પુનર્વાસ કોલોનીમાં થોડા દિવસ અગાઉ એક વૃદ્ધની હત્યા કરવાના કેસમાં બુધવારે પોલીસ ખુલાસો કરતા મૃતકની પત્ની અને તેના દીકરાની ધરપકડ કરી છે. તો દીકરીનો પ્રેમી ફરાર છે. તેની પોલીસ શોધખોળ કરી રહી છે. પોલીસ અધિક્ષક કુંદન કંવરિયાએ જણાવ્યું કે, પુનર્વાસ કોલોનીના રહેવાસી સુખલાલ જોશીના પુત્ર હેમંતનું 9 ઑગસ્ટે મોત થઈ ગયું હતું અને પરિવારજનો શબનો અંતિમ સંસ્કાર કરવા સ્મશાન લઈ ગયા હતા, પરંતુ મૃતકના શરીર પર ઇજાના નિશાન હોવા પર હોબાળો થઇ ગયો હતો.

ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે, મૃતકની પત્ની સુશીલા, મૃતકનો દીકરો અને તેમની દીકરીનો પ્રેમી ડાયાલાલ ઉર્ફ દીપક આરોપી સાબિત થયા. પોલીસે સુશીલા અને મુકેશની ધરપકડ કરી લીધી છે, પરંતુ ડાયાલાલ ઘટનાસ્થળથી ફરાર થઈ ગયો છે. જેની પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, આ અનુસંધાને સામે આવ્યું કે હેમંતની નાની દીકરી (વિધવા) યોગીતા તેના પ્રેમી ડાયાલાલ ઉર્ફ દીપક સાથે રહેતી હતી. આ વાત હેમંતને પરેશાન કરી રહી હતી.

તેના પર તેણે 9 ઑગસ્ટે દીકરીની ચાયમાં ઊધઈ મારવાની દવા ભેળવી દીધી અને ઘરથી જતો રહ્યો. યોગીતાએ ચા પીધા બાદ તેની તબિયત બગડી ગઈ અને તેને સાગવાડાની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી. ત્યારબાદ હેમંત સાંજ થયા બાદ પણ ઘરે ન આવ્યો, પરંતુ પરિવારજનોએ તેની ખૂબ શોધખોળ કરી અને તેને ખડગદા ગામે લઈને આવ્યા હતા. ઘર પર આવવા પર હેમંતની પત્ની અને તેના દીકરા મુકેશ વચ્ચે યોગીતાને ઝેર આપવાને લઈને વિવાદ થઈ રહ્યો હતો.

આ દરમિયાન હેમંત અને તેની પત્ની વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ. આ દરમિયાન મુકેશે લાકડીથી હેમંત પર વાર કર્યો. મારામારી દરમિયાન યોગીતાનો પ્રેમી ડાયાલાલ પણ લાકડી લઈને પહોંચ્યો અને હેમંત સાથે મારામારી કરી હતી, જેથી હેમંતનું મોત થઈ ગયું હતું. કાર્યવાહીમાં સાગવાડા પોલીસ સ્ટેશનના અધિકારી હેમન્દ્ર સિંહ સોઢા, SI સોમેશ્વર, હેડ કોન્સ્ટેબલ સુરેશ કુમાર, કોન્સ્ટેબલ ભૂપેન્દ્ર સિંહ, સાગર, વિમલ, મહિલા કોન્સ્ટેબલ જ્યોતિ, જુલી અને ચાંદની સામેલ હતા.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.