પવારને જે આર્મી અધિકારીના ઘરેથી ભગાવી દેવામાં આવ્યા હતા, પછી તેમના જ પૌત્રી સાથે

શરદ પવાર કોલેજના દિવાસોથી જ રાજનીતિમાં સક્રિય હતા. તેઓ વિદ્યાર્થી જીવનમાં જ કોલેજ કાળથી રાજનીતિમાં જોડાઇ ગયા હતા. શરદ પવારે વર્ષ 1962ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં સક્રિય ભાગીદારીનો અવસર મળ્યો હતો. આ ચૂંટણીમાં કોંગ્રેસે પૂણેની શિવાજી નગર વિધાનસભા સીટથી ICS અને પૂણે મ્યુનિસિપાલ કોર્પોરેશનના પૂર્વ કમિશનર એમ.જી. બર્વેને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. તેમનો સામનો જનસંઘના ઉમેદવાર રામભાઉ મ્હાલગી સાથે હતો. પાર્ટીએ શરદ પવારને પૂણે શહેરમાં ફરી ફરીને પોસ્ટર લગાવવાનું કામ સોંપ્યું હતું.

તેઓ પોતાના મિત્રો સાથે સાઇકલથી જઇને આખા શહેરના મુખ્ય સ્થળો પર પોસ્ટર લગાવતા હતા કેમ કે શરદ પવાર પોતાની ટીમમાં સૌથી લાંબા હતા એટલે વધારે પોસ્ટર પણ તેમણે જ ચોંટાડવા પડ્યા હતા. શરદ પવાર પોતાના સંસ્મરણ ‘અપની શરતો’માં લખે છે કે મારા સાથી સાઇકલને બંને તરફથી મજબૂતીથી પકડી લેતા અને હું સીટ પર ઊભો થઇને પોસ્ટર ચોંટાડતો હતો. વૉટરોના નામની પરચી લખવાનું અને તેને વિતરીત કરવાનું કામ પણ અમને જ મળ્યું હતું.

એક સાંજે પવાર અને તેમના સાથીઓએ પૂણેના પ્રભાત રોડ સ્થિત બસ્તીના એક ઘરનો દરવાજો ખખડાવ્યો. ઘરના દરવાજા પર લાગેલી નેમ પ્લેટથી ખબર પડી કે તે ઘર બ્રિગેડિયર રાણેનું છે. પવાર લખે છે કે એક ઉંમરવાન ભદ્ર પુરુષે દરવાજો ખોલ્યો, તેમનો વિચિત્ર ચહેરો કંઇક વધારે મોટો લાગી રહ્યો હતો. મેં કહ્યું અમે લોકો કોંગ્રેસના કાર્યકર્તા છીએ. અમે પોતાની પાર્ટી માટે તમારી પાસે વોટ અને સમર્થનની આશા રાખીએ છીએ. શરદ પવારની વાત સાંભળીને બ્રિગેડિયરે તીખા સ્વરમાં કહ્યું, કોંગ્રેસ? તેને ભૂલી જાવ. હું તમારી પાર્ટીને ક્યારેય વોટ નહીં આપું.

આ બ્રિગેડિયરનો પ્રતિકારપૂર્ણ ઉત્તર હતો. થોડા વર્ષ બાદ ખબર પડી કે તેમના લગ્ન એ જ બ્રિગેડિયર રાણેની પૌત્રી પ્રતિભા સાથે થયા છે. બીજી તરફ શરદ પાવર જે ચૂંટણી માટે મહેનત કરી રહ્યા હતા, તેમાં બર્વેને જીત મળી અને તેઓ મહારાષ્ટ્ર સરકારમાં નાણાં મંત્રી પણ બન્યા. પાર્ટીમાં પોતાની મહેનતના દમ પર પાવર સતત આગળ વધતા રહ્યા. 2 વર્ષ સુધી પૂણેની યૂથ કોંગ્રેસના સચિવ પદ પર કાર્ય કર્યા બાદ તેમને પશ્ચિમ મહારાષ્ટ્રના યુવા વિંગના સચિવ બનાવવામાં આવ્યા હતા.

About The Author

Top News

એન્જિનમાં ફ્યૂઅલ ન પહોંચ્યું કે વધારે ગરમી? એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના 6 સંભવિત કારણો

અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ કેમ થયું? એ કયા કારણો હતા જેના કારણે અમદાવાદથી ફ્લાઇટ પૂર્ણ ન થઈ શકી? આ...
Gujarat 
 એન્જિનમાં ફ્યૂઅલ ન પહોંચ્યું કે વધારે ગરમી? એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના 6 સંભવિત કારણો

વિજય માલ્યા સ્ટોરીમાંથી શીખ: શું ભારત તેના જોખમ લેનારાઓ સાથે ઉભું રહે છે?

ઉદ્યોગસાહસિકતાના વાસ્તવિક ઇકોસિસ્ટમમાં, વિજય માલ્યા નામ તીક્ષ્ણ મંતવ્યો અને ધ્રુવીકરણકારી ચર્ચા પેદા કરે છે. પરંતુ કોર્ટરૂમ ડ્રામાથી આગળ એક મહત્વપૂર્ણ...
Opinion 
વિજય માલ્યા સ્ટોરીમાંથી શીખ: શું ભારત તેના જોખમ લેનારાઓ સાથે ઉભું રહે છે?

શું બોઇંગના કર્મચારીઓ તેમના વિમાનમાં મુસાફરી નથી કરતા, વિમાન દુર્ઘટના પછી કંપની પર ફરીથી સલામતીના સવાલો

આજકાલ હવાઈ મુસાફરીને સલામત માનવામાં આવે છે, પરંતુ તાજેતરના સમયમાં બોઇંગ વિમાનો વિશે ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે....
Science 
શું બોઇંગના કર્મચારીઓ તેમના વિમાનમાં મુસાફરી નથી કરતા, વિમાન દુર્ઘટના પછી કંપની પર ફરીથી સલામતીના સવાલો

પાકિસ્તાનમાં ગધેડા ચીનને કારણે મોંઘા થયા

દેવામાં ડુબેલા પાકિસ્તાનને એક વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાનમાં ગધેડાના ભાવ આસમાને પહોંચી ગયા છે, જેને કારણે...
World 
પાકિસ્તાનમાં ગધેડા ચીનને કારણે મોંઘા થયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.