'4 જૂને બપોરે 12.30 પહેલા 400નો આંકડો પાર થશે, UPની 80 બેઠકો જીતશે', શાહનો દાવો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, BJPની આગેવાની હેઠળની NDA લોકસભા ચૂંટણીમાં 400 બેઠકો મેળવવા જઈ રહી છે. અમિત શાહે કહ્યું કે, અમે 4 જૂને પરિણામના દિવસે બપોરે 12.30 વાગ્યા સુધીમાં આટલી બધી સીટો પાર કરી લઈશું. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, બે તબક્કાની ચૂંટણીમાં BJPને 100 સીટો પર લીડ મળી રહી છે. ગૃહમંત્રીએ કહ્યું કે, BJP ઉત્તર પ્રદેશની તમામ 80 લોકસભા બેઠકો જીતવા જઈ રહી છે.

એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં અમિત શાહે કહ્યું કે, 'મત ગણતરીના દિવસે તમે જોશો કે બપોરે 12.30 વાગ્યા પહેલા જ NDA 400ને પાર કરી જશે અને નરેન્દ્ર મોદી ફરીથી PM બનશે.' ઓછા મતદાન અંગે તેમણે કહ્યું કે, 'ઓછું મતદાન થવાના ઘણા કારણો છે. 12 વર્ષ પછી ફરી મતદાર યાદીમાં સુધારો કરવામાં આવ્યો છે. બીજું કારણ એ છે કે, અન્ય પક્ષ (વિરોધી) તરફથી કોઈ સ્પર્ધા નથી થઇ રહી, જે ક્યાંક ને ક્યાંક મતદાનને પ્રભાવિત કરી રહી છે.'

અમિત શાહે ચૂંટણીના પ્રથમ બે તબક્કામાં 100 બેઠકો પર આગળ હોવાનો દાવો પણ કર્યો હતો. BJPના વરિષ્ઠ નેતાએ કહ્યું, 'મેં અને મારી પાર્ટીની ટીમે વિગતવાર વિશ્લેષણ કર્યું છે. અમે પ્રથમ બે તબક્કામાં 100થી વધુ બેઠકોની લીડ સાથે ત્રીજા તબક્કા તરફ આગળ વધી રહ્યા છીએ. મને 400નો લક્ષ્યાંક પાર કરવામાં કોઈ સમસ્યા દેખાતી નથી.' લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થયું હતું અને બીજા તબક્કામાં 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 બેઠકો પર મતદાન થયું હતું.

ઉત્તર પ્રદેશની લોકસભા સીટો વિશે વાત કરતા અમિત શાહે દાવો કર્યો હતો કે, જો બધુ બરાબર રહ્યું તો પાર્ટી UPની તમામ 80 સીટો જીતવા જઈ રહી છે. જ્યારે 2014ની ચૂંટણી દરમિયાન પ્રાપ્ત પરિણામો વિશે પૂછવામાં આવ્યું, ત્યારે અમિત શાહે કહ્યું, 'હા, જો ઉત્તર પ્રદેશમાં બધું બરાબર રહ્યું તો અમે 80માંથી 80 સીટો જીતીશું.' 2014માં BJPની આગેવાની હેઠળની NDA UPમાં 73 બેઠકો જીતી હતી. 2019ની ચૂંટણીમાં તેણે 64 બેઠકો જીતી હતી.

About The Author

Top News

પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વચ્ચે, આ પૂર્વોત્તર રાજ્યમાં BJPને પડ્યો મોટો ઝટકો, 28માંથી 24 બેઠકો ગુમાવી

ભારતીય જનતા પાર્ટી (BJP)ને ત્રિપુરામાં મોટો ફટકો પડ્યો છે. તાજેતરમાં પુરી થયેલી ત્રિપુરા ટ્રાઇબલ એરિયાઝ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ...
National 
પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વચ્ચે, આ પૂર્વોત્તર રાજ્યમાં BJPને પડ્યો મોટો ઝટકો, 28માંથી 24 બેઠકો ગુમાવી

‘રાજ્યની અંદર ગાય કે ગૌવંશને વાહનમાં લઈ જવા એ ગુનો નથી’, હાઈ કોર્ટેની ટિપ્પણી

અલ્લાહબાદ હાઈકોર્ટે તાજેતરમાં પશુઓના કથિત ગેરકાયદેસર પરિવહન અંગે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સાથે જ કોર્ટે આ સંદર્ભમાં જપ્ત કરાયેલ...
National 
‘રાજ્યની અંદર ગાય કે ગૌવંશને વાહનમાં લઈ જવા એ ગુનો નથી’, હાઈ કોર્ટેની ટિપ્પણી

ચાંદખેડાની ખીરું ખાવાની ઘટના પર FSLનો રિપોર્ટ આવી ગયો, ‘બંને બાળકીના શરીરમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી’, હવે માતા-પિતાએ નવી થીયરી આપી

અમદાવાદના ચાંદખેડામાં ખીરું ખાવાથી બે બાળકીના શંકાસ્પદ રીતે જીવ જતાં રહ્યા હતા. આ ઘટનાનો FSLનો રિપોર્ટ સામે આવી ગયો...
Gujarat 
ચાંદખેડાની ખીરું ખાવાની ઘટના પર FSLનો રિપોર્ટ આવી ગયો, ‘બંને બાળકીના શરીરમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી’, હવે માતા-પિતાએ નવી થીયરી આપી

ગાંધીનગરમાં નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળો 9.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

ગુજરાતના પાટનગરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો (ACB)એ એક મોટી સફળતા હાંસલ કરી છે. ગાંધીનગર કોર્ટ પાર્કિંગ પાસે ફિલ્મી ઢબે...
Gujarat 
ગાંધીનગરમાં નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળો 9.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.