'4 જૂને બપોરે 12.30 પહેલા 400નો આંકડો પાર થશે, UPની 80 બેઠકો જીતશે', શાહનો દાવો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, BJPની આગેવાની હેઠળની NDA લોકસભા ચૂંટણીમાં 400 બેઠકો મેળવવા જઈ રહી છે. અમિત શાહે કહ્યું કે, અમે 4 જૂને પરિણામના દિવસે બપોરે 12.30 વાગ્યા સુધીમાં આટલી બધી સીટો પાર કરી લઈશું. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, બે તબક્કાની ચૂંટણીમાં BJPને 100 સીટો પર લીડ મળી રહી છે. ગૃહમંત્રીએ કહ્યું કે, BJP ઉત્તર પ્રદેશની તમામ 80 લોકસભા બેઠકો જીતવા જઈ રહી છે.

એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં અમિત શાહે કહ્યું કે, 'મત ગણતરીના દિવસે તમે જોશો કે બપોરે 12.30 વાગ્યા પહેલા જ NDA 400ને પાર કરી જશે અને નરેન્દ્ર મોદી ફરીથી PM બનશે.' ઓછા મતદાન અંગે તેમણે કહ્યું કે, 'ઓછું મતદાન થવાના ઘણા કારણો છે. 12 વર્ષ પછી ફરી મતદાર યાદીમાં સુધારો કરવામાં આવ્યો છે. બીજું કારણ એ છે કે, અન્ય પક્ષ (વિરોધી) તરફથી કોઈ સ્પર્ધા નથી થઇ રહી, જે ક્યાંક ને ક્યાંક મતદાનને પ્રભાવિત કરી રહી છે.'

અમિત શાહે ચૂંટણીના પ્રથમ બે તબક્કામાં 100 બેઠકો પર આગળ હોવાનો દાવો પણ કર્યો હતો. BJPના વરિષ્ઠ નેતાએ કહ્યું, 'મેં અને મારી પાર્ટીની ટીમે વિગતવાર વિશ્લેષણ કર્યું છે. અમે પ્રથમ બે તબક્કામાં 100થી વધુ બેઠકોની લીડ સાથે ત્રીજા તબક્કા તરફ આગળ વધી રહ્યા છીએ. મને 400નો લક્ષ્યાંક પાર કરવામાં કોઈ સમસ્યા દેખાતી નથી.' લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થયું હતું અને બીજા તબક્કામાં 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 બેઠકો પર મતદાન થયું હતું.

ઉત્તર પ્રદેશની લોકસભા સીટો વિશે વાત કરતા અમિત શાહે દાવો કર્યો હતો કે, જો બધુ બરાબર રહ્યું તો પાર્ટી UPની તમામ 80 સીટો જીતવા જઈ રહી છે. જ્યારે 2014ની ચૂંટણી દરમિયાન પ્રાપ્ત પરિણામો વિશે પૂછવામાં આવ્યું, ત્યારે અમિત શાહે કહ્યું, 'હા, જો ઉત્તર પ્રદેશમાં બધું બરાબર રહ્યું તો અમે 80માંથી 80 સીટો જીતીશું.' 2014માં BJPની આગેવાની હેઠળની NDA UPમાં 73 બેઠકો જીતી હતી. 2019ની ચૂંટણીમાં તેણે 64 બેઠકો જીતી હતી.

About The Author

Top News

સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી પહેલા પ્રેક્ટિસ મેચ રમી રહી છે. આ મેચ ઈન્ડિયા A અને મુખ્ય ટીમ વચ્ચે...
Sports 
સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

રાજા રઘુવંશી કેસમાં હવે શિલોંગ પોલીસે મોટી ચોખવટ કરી છે કે, રાજા રઘુવંશી હત્યા કેસમાં રાજ કુશવાહ માસ્ટર માઇન્ડ...
National 
રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મહિલાએ તેના પતિ પર ધાર્મિક માર્ગથી ભટકી...
National 
પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી

ભારતીય ક્રિકેટ ટીમ 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે તેની ધરતી પર પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેના માટે ભારતીય...
Sports 
કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.