હિમાચલનું એ શ્રાપિત ગામ જ્યાં કોઇ નથી ઉજવતું દિવાળી, ઘરોમાં કેદ થઇ જાય છે લોકો

આ સમયે દેશભરમાં દિવાળીનો માહોલ છે. લોકો દિવાળીની તૈયારીઓ કરી રહ્યા છે અને ગુરુવારે દેશનો ખૂણે ખુણો ઝગમગી ઉઠશે, પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે ભારતમાં જ એક એવું ગામ છે, જ્યાં એક પણ વ્યક્તિ દિવાળી મનાવતી નથી. હિમાચલ પ્રદેશના હમીરપુરનું એક ગામ એવું છે, જ્યાં દીવાળીનો તહેવાર મનાવવામાં આવતો નથી અને ન તો દિવાળીની કોઇ તૈયારી કરવામાં આવે છે. હમીરપુર જિલ્લામાં સમ્મૂ ગામમાં ઘણા વર્ષોથી દિવાળી મનાવવાની તો દૂરની વાત આ દિવસે ઘર પર પકવાન પણ બનાવવામાં આવતા નથી.

લોકોનું માનવું છે કે ગામને એક શ્રાપ છે, એટલે અહી દિવાળીનું સેલિબ્રેશન મનાવવામાં આવતું નથી. જો કોઇ વ્યક્તિ એમ કરે છે તો અહી આપત્તિ આવી જાય છે કે પછી અકાળે મૃત્યુ થઇ જાય છે. આ વખત પણ હમીરપુર જિલ્લા મુખ્યાલયથી લગભગ 25 કિમી દૂર આવેલા આ ગામમાં દિવાળીને લઇને કોઇ રોનક જોવા મળી રહી નથી. અહી સેકડો વર્ષોથી દિવાળી મનાવવા પર દૂરી બનાવવામાં આવે છે. દિવાળીના દિવસે દીવા તો સળગાવવામાં આવે છે, પરંતુ જો કોઇ પરિવારે ભૂલથી પણ ફટાકડા ફોડવા સાથે ઘર પર પકવાન બનાવ્યા તો પછી ગામમાં આપત્તિ આવવાની નક્કી છે.

ઠાકુર વિધિ ચંદે જણાવ્યું કે, સેકડો વર્ષોથી ગામમાં દિવાળી મનાવવામાં આવતી નથી. કોઇ દિવાળી મનાવવાનો પ્રયાસ કરે છે, તો ગામમાં કોઇક ને કોઇનું મોત થઇ જાય છે કે આપત્તિ આવી જાય છે, બીના નામની મહિલાએ જણાવ્યું કે જ્યારે પણ તહેવાર આવે છે તો તેનું હૃદય ભરાઇ આવે છે, જેમ કે બધી જગ્યાએ ઘરોમાં ચહલ-પહલ થાય છે, પરંતુ તેમના ગામમાં આ દિવાસોમાં કોઇના ઘરમાં ખુશી હોતી નથી. ગામને આ શ્રાપથી મુક્ત કરાવવા માટે ઘણી વખત હવન-યજ્ઞ વગેરેનો સહારો લેવામાં આવ્યો, પરંતુ બધુ નિષ્ફળ ગયું.

ઉલ્લેખનીય છે કે દિવાળીના દિવસે જ એક મહિલા પોતાના પતિ સાથે સતી થઇ ગઇ હતી. મહિલા દિવાળી મનાવવા માટે પિયર જવા નીકળી હતી. તેનો પતિ રાજાના દરબારમાં સૈનિક હતો, પરંતુ જેવી જ મહિલા ગામથી થોડે દૂર પહોંચી તો તેને ખબર પડી કે તેના પતિનું મોત થઇ ગયું છે. ત્યારે એ મહિલા ગર્ભવતી હતી. કહેવાય છે કે મહિલાને એ આઘાત સહન ન થયો અને તે પોતાના પતિ સાથે સતી થઇ ગઇ. સાથે જ જતા જતા આખા ગામને એવો શ્રાપ આપતી ગઇ કે આ ગામના લોકો ક્યારેય દિવાળીનો તહેવાર નહીં મનાવી શકે. એ દિવસથી લઇને આજ સુધી ગામમાં કોઇએ દિવાળી મનાવી નથી. લોકો માત્ર સતીની મૂર્તિની પૂજા કરે છે.

Related Posts

Top News

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી

ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
Opinion 
જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી

'બ્રેસ્ટ પકડવું રેપ નથી...' અલ્હાબાદ HCની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

26 માર્ચ 2025ના રોજ સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં અલ્હાબાદ હાઈકોર્ટના તે વિવાદાસ્પદ નિર્ણય પર રોક લગાવી દીધી જેમાં...
National 
'બ્રેસ્ટ પકડવું રેપ નથી...' અલ્હાબાદ HCની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

બીજી બેંકના ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે, RBIએ કહ્યું- દરેક ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલાશે

દેશના ખૂણે ખૂણે લોકો હવે પૈસા ઉપાડવા માટે ATMનો ઉપયોગ કરી રહ્યા છે. જો તમે પણ ATMમાંથી પૈસા...
Business 
બીજી બેંકના ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે, RBIએ કહ્યું- દરેક ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલાશે

તમિલનાડુમાં 2026માં એનડીએ સરકાર: 'દારૂની બેફામ રેલમછેલ' અને 'ભ્રષ્ટાચારની આંધી' પર લગામની આશા

તમિલનાડુમાં રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (એનડીએ)ના નેતૃત્વમાં 2026માં સરકાર રચાવાની સંભાવનાને લઈને એક નિવેદને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે....
Politics 
તમિલનાડુમાં 2026માં એનડીએ સરકાર: 'દારૂની બેફામ રેલમછેલ' અને 'ભ્રષ્ટાચારની આંધી' પર લગામની આશા

Opinion

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.