હિમાચલનું એ શ્રાપિત ગામ જ્યાં કોઇ નથી ઉજવતું દિવાળી, ઘરોમાં કેદ થઇ જાય છે લોકો

આ સમયે દેશભરમાં દિવાળીનો માહોલ છે. લોકો દિવાળીની તૈયારીઓ કરી રહ્યા છે અને ગુરુવારે દેશનો ખૂણે ખુણો ઝગમગી ઉઠશે, પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે ભારતમાં જ એક એવું ગામ છે, જ્યાં એક પણ વ્યક્તિ દિવાળી મનાવતી નથી. હિમાચલ પ્રદેશના હમીરપુરનું એક ગામ એવું છે, જ્યાં દીવાળીનો તહેવાર મનાવવામાં આવતો નથી અને ન તો દિવાળીની કોઇ તૈયારી કરવામાં આવે છે. હમીરપુર જિલ્લામાં સમ્મૂ ગામમાં ઘણા વર્ષોથી દિવાળી મનાવવાની તો દૂરની વાત આ દિવસે ઘર પર પકવાન પણ બનાવવામાં આવતા નથી.

લોકોનું માનવું છે કે ગામને એક શ્રાપ છે, એટલે અહી દિવાળીનું સેલિબ્રેશન મનાવવામાં આવતું નથી. જો કોઇ વ્યક્તિ એમ કરે છે તો અહી આપત્તિ આવી જાય છે કે પછી અકાળે મૃત્યુ થઇ જાય છે. આ વખત પણ હમીરપુર જિલ્લા મુખ્યાલયથી લગભગ 25 કિમી દૂર આવેલા આ ગામમાં દિવાળીને લઇને કોઇ રોનક જોવા મળી રહી નથી. અહી સેકડો વર્ષોથી દિવાળી મનાવવા પર દૂરી બનાવવામાં આવે છે. દિવાળીના દિવસે દીવા તો સળગાવવામાં આવે છે, પરંતુ જો કોઇ પરિવારે ભૂલથી પણ ફટાકડા ફોડવા સાથે ઘર પર પકવાન બનાવ્યા તો પછી ગામમાં આપત્તિ આવવાની નક્કી છે.

ઠાકુર વિધિ ચંદે જણાવ્યું કે, સેકડો વર્ષોથી ગામમાં દિવાળી મનાવવામાં આવતી નથી. કોઇ દિવાળી મનાવવાનો પ્રયાસ કરે છે, તો ગામમાં કોઇક ને કોઇનું મોત થઇ જાય છે કે આપત્તિ આવી જાય છે, બીના નામની મહિલાએ જણાવ્યું કે જ્યારે પણ તહેવાર આવે છે તો તેનું હૃદય ભરાઇ આવે છે, જેમ કે બધી જગ્યાએ ઘરોમાં ચહલ-પહલ થાય છે, પરંતુ તેમના ગામમાં આ દિવાસોમાં કોઇના ઘરમાં ખુશી હોતી નથી. ગામને આ શ્રાપથી મુક્ત કરાવવા માટે ઘણી વખત હવન-યજ્ઞ વગેરેનો સહારો લેવામાં આવ્યો, પરંતુ બધુ નિષ્ફળ ગયું.

ઉલ્લેખનીય છે કે દિવાળીના દિવસે જ એક મહિલા પોતાના પતિ સાથે સતી થઇ ગઇ હતી. મહિલા દિવાળી મનાવવા માટે પિયર જવા નીકળી હતી. તેનો પતિ રાજાના દરબારમાં સૈનિક હતો, પરંતુ જેવી જ મહિલા ગામથી થોડે દૂર પહોંચી તો તેને ખબર પડી કે તેના પતિનું મોત થઇ ગયું છે. ત્યારે એ મહિલા ગર્ભવતી હતી. કહેવાય છે કે મહિલાને એ આઘાત સહન ન થયો અને તે પોતાના પતિ સાથે સતી થઇ ગઇ. સાથે જ જતા જતા આખા ગામને એવો શ્રાપ આપતી ગઇ કે આ ગામના લોકો ક્યારેય દિવાળીનો તહેવાર નહીં મનાવી શકે. એ દિવસથી લઇને આજ સુધી ગામમાં કોઇએ દિવાળી મનાવી નથી. લોકો માત્ર સતીની મૂર્તિની પૂજા કરે છે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -03-03-2026 વાર- મંગળવાર મેષ - નોકરી ધંધામાં ઉન્નતિના યોગ બને છે, ઘરમાં આનંદ રહે, વડીલોના આશીર્વાદ લો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

દિલ્હીના વઝીરાબાદમાં એક મહિલાએ તેના પ્રેમી, 22 વર્ષીય નકલી ડોક્ટર વિસરજીતના ગુપ્તાંગ પર હુમલો કર્યો હોવાનો આરોપ છે. મહિલાને...
National 
ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ PM કીર સ્ટોર્મર પ્રત્યે ખુબ ગુસ્સો વ્યક્ત કર્યો...
World 
ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ઈરાન, સાઉદી અરેબિયા, કુવૈત અને સાયપ્રસ સહિતના દેશો અત્યારે યુદ્ધની...
World 
ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.