હિમાચલનું એ શ્રાપિત ગામ જ્યાં કોઇ નથી ઉજવતું દિવાળી, ઘરોમાં કેદ થઇ જાય છે લોકો

આ સમયે દેશભરમાં દિવાળીનો માહોલ છે. લોકો દિવાળીની તૈયારીઓ કરી રહ્યા છે અને ગુરુવારે દેશનો ખૂણે ખુણો ઝગમગી ઉઠશે, પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે ભારતમાં જ એક એવું ગામ છે, જ્યાં એક પણ વ્યક્તિ દિવાળી મનાવતી નથી. હિમાચલ પ્રદેશના હમીરપુરનું એક ગામ એવું છે, જ્યાં દીવાળીનો તહેવાર મનાવવામાં આવતો નથી અને ન તો દિવાળીની કોઇ તૈયારી કરવામાં આવે છે. હમીરપુર જિલ્લામાં સમ્મૂ ગામમાં ઘણા વર્ષોથી દિવાળી મનાવવાની તો દૂરની વાત આ દિવસે ઘર પર પકવાન પણ બનાવવામાં આવતા નથી.

લોકોનું માનવું છે કે ગામને એક શ્રાપ છે, એટલે અહી દિવાળીનું સેલિબ્રેશન મનાવવામાં આવતું નથી. જો કોઇ વ્યક્તિ એમ કરે છે તો અહી આપત્તિ આવી જાય છે કે પછી અકાળે મૃત્યુ થઇ જાય છે. આ વખત પણ હમીરપુર જિલ્લા મુખ્યાલયથી લગભગ 25 કિમી દૂર આવેલા આ ગામમાં દિવાળીને લઇને કોઇ રોનક જોવા મળી રહી નથી. અહી સેકડો વર્ષોથી દિવાળી મનાવવા પર દૂરી બનાવવામાં આવે છે. દિવાળીના દિવસે દીવા તો સળગાવવામાં આવે છે, પરંતુ જો કોઇ પરિવારે ભૂલથી પણ ફટાકડા ફોડવા સાથે ઘર પર પકવાન બનાવ્યા તો પછી ગામમાં આપત્તિ આવવાની નક્કી છે.

ઠાકુર વિધિ ચંદે જણાવ્યું કે, સેકડો વર્ષોથી ગામમાં દિવાળી મનાવવામાં આવતી નથી. કોઇ દિવાળી મનાવવાનો પ્રયાસ કરે છે, તો ગામમાં કોઇક ને કોઇનું મોત થઇ જાય છે કે આપત્તિ આવી જાય છે, બીના નામની મહિલાએ જણાવ્યું કે જ્યારે પણ તહેવાર આવે છે તો તેનું હૃદય ભરાઇ આવે છે, જેમ કે બધી જગ્યાએ ઘરોમાં ચહલ-પહલ થાય છે, પરંતુ તેમના ગામમાં આ દિવાસોમાં કોઇના ઘરમાં ખુશી હોતી નથી. ગામને આ શ્રાપથી મુક્ત કરાવવા માટે ઘણી વખત હવન-યજ્ઞ વગેરેનો સહારો લેવામાં આવ્યો, પરંતુ બધુ નિષ્ફળ ગયું.

ઉલ્લેખનીય છે કે દિવાળીના દિવસે જ એક મહિલા પોતાના પતિ સાથે સતી થઇ ગઇ હતી. મહિલા દિવાળી મનાવવા માટે પિયર જવા નીકળી હતી. તેનો પતિ રાજાના દરબારમાં સૈનિક હતો, પરંતુ જેવી જ મહિલા ગામથી થોડે દૂર પહોંચી તો તેને ખબર પડી કે તેના પતિનું મોત થઇ ગયું છે. ત્યારે એ મહિલા ગર્ભવતી હતી. કહેવાય છે કે મહિલાને એ આઘાત સહન ન થયો અને તે પોતાના પતિ સાથે સતી થઇ ગઇ. સાથે જ જતા જતા આખા ગામને એવો શ્રાપ આપતી ગઇ કે આ ગામના લોકો ક્યારેય દિવાળીનો તહેવાર નહીં મનાવી શકે. એ દિવસથી લઇને આજ સુધી ગામમાં કોઇએ દિવાળી મનાવી નથી. લોકો માત્ર સતીની મૂર્તિની પૂજા કરે છે.

About The Author

Related Posts

Top News

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોતની આશંકા વ્યક્ત...
National 
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

દેશમાં પહેલીવાર ગુજરાતાં સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 3430 ડોલર...
Business 
ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

તાજેતરમાં સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં SRK ડાયમંડ કંપની દ્રારા પરિવારોત્સવ 2025ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના 61 વર્ષ પુરા...
Gujarat 
'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમના સમયના મહાન બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને હવે પસ્તાવો થાય છે કે, તેઓ ક્રિકેટ રમ્યા...
Sports 
મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.