2 મહિનાથી વહુ ગૂમ હતી, ઘરની સામે ખાડો ખોદ્યો તો ખબર પડી સાસરિયાઓએ જ દાટી દીધેલી

હરિયાણાના ફરીદાબાદમાં એક મહિલાનો મૃતદેહ ઘરની સામે જ ખાડો ખોદીને શોધી કાઢવામાં આવ્યો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. મહિલા છેલ્લા બે મહિનાથી ગુમ હતી. એવો આરોપ છે કે સાસરિયાઓએ મહિલાની હત્યા કરીને તેના મૃતદેહને ઘરની સામે જ ગલીમાં દાટી દીધો હતો. પોલીસે સાસરિયા પક્ષના ચાર લોકોને કસ્ટડીમાં લીધા છે.

Faridabad, Murder
indiatv.in

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, આ મામલો ફરીદાબાદના પલ્લા વિસ્તારનો છે. 20 જૂન, શુક્રવારના રોજ પોલીસે JCBની મદદથી ગલીમાં 10 ફૂટ ઊંડો ખાડો ખોદયો હતો. અને તે ખાડાની અંદરથી એક મહિલાનો સડી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. મહિલાની ઓળખ તનુ (24) તરીકે થઈ છે, જે ઉત્તર પ્રદેશના શિકોહાબાદની રહેવાસી છે. જેના લગ્ન બે વર્ષ પહેલા ફરીદાબાદના રોશન નગરના રહેવાસી અરુણ સિંહ સાથે થયા હતા. તનુના પરિવારનો આરોપ છે કે, લગ્ન પછીથી, તનુના સાસરિયાઓ તેને ત્રાસ આપતા હતા અને સોનાના દાગીના અને દહેજ તરીકે પૈસાની માંગણી કરતા હતા. આ કારણે, તે લગ્ન પછી એક વર્ષ સુધી તેના પિયરના ઘરે રહી હતી. જોકે, ત્યાર પછી પંચાયતની દરમિયાનગીરીથી તે તેના સાસરિયાના ઘરે પાછી ગઈ હતી.

Faridabad, Murder
indiatv.in

તનુની બહેન પ્રીતિએ આરોપ લગાવ્યો છે કે, લગભગ 2 મહિના પહેલા, તેના સાસરિયાઓએ કહ્યું હતું કે, તનુ ઘરેથી ભાગી ગઈ છે. જ્યારે તનુના પરિવારના સભ્યોને શંકા ગઈ, ત્યારે તેઓએ નવીન નગર પોલીસ સ્ટેશનમાં પોલીસને જાણ કરી. તેમણે દાવો કર્યો કે પોલીસે ઘણા દિવસો સુધી કોઈ ગંભીર કાર્યવાહી કરી ન હતી. મળતા અહેવાલ મુજબ, સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે 23 એપ્રિલે, અરુણ અને તેના પિતા (મૃતકના સસરા) ભૂપ સિંહે શેરીમાં ખાડો ખોદી કાઢ્યો હતો. તેમણે કહ્યું હતું કે ઘરના ગંદા પાણીને બહાર કાઢવા માટે કોઈ જગ્યા નથી. બીજા દિવસે તેના પર સિમેન્ટનો સ્લેબ નાખ્યો હતો. આ પછી, 25 એપ્રિલે, સાસરિયાઓએ તનુના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે તનુ માનસિક રીતે અસ્થિર હતી.

Faridabad, Murder
m.haryana.punjabkesari.in

હાલમાં, પોલીસે મૃતદેહને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યો છે અને સાસરિયા પક્ષના ચાર સભ્યો સામે હત્યાનો કેસ નોંધીને આરોપીઓને કસ્ટડીમાં લીધા છે. આ કેસમાં, DCP (સેન્ટ્રલ) ઉષા કુંડુએ જણાવ્યું હતું કે, એક અઠવાડિયા પહેલા ફરિયાદ નોંધાઈ હતી. જેના પર કાર્યવાહી કરીને, પોલીસે રસ્તો ખોદીને લાશ કબજે કરી હતી.

About The Author

Related Posts

Top News

અદાણી ગ્રુપ વિરુદ્ધ ટ્વીટ કરવા બદલ પત્રકારને એક વર્ષની જેલ, કોર્ટે કહ્યું- ‘લખ્યું તે સાબિત...

અદાણી ગ્રુપ સાથે જોડાયેલા માનહાનિના કેસમાં પત્રકાર રવિ નાયરને દોષિત ઠેરવવામાં આવ્યા છે. 10 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના માણસાની...
Gujarat 
અદાણી ગ્રુપ વિરુદ્ધ ટ્વીટ કરવા બદલ પત્રકારને એક વર્ષની જેલ, કોર્ટે કહ્યું- ‘લખ્યું તે સાબિત...

‘સાહેબ, હું જીવું છું...!’ પતિએ જ પત્નીની પોલ ખોલી નાખી, લઈ રહી હતી વિધવા પેન્શન

મધ્ય પ્રદેશના સિંગરૌલીથી સિસ્ટમનો પર્દાફાશ કરતી એક ચોંકાવનારી કહાની સામે આવી છે. કાગળ પર એક પુરુષને મૃત જાહેર કરવામાં આવ્યો...
National 
‘સાહેબ, હું જીવું છું...!’ પતિએ જ પત્નીની પોલ ખોલી નાખી, લઈ રહી હતી વિધવા પેન્શન

ભારતમાં ભ્રષ્ટાચાર ઓછો થયો, અમેરિકા અને બ્રિટનમાં વધ્યો... કરપ્શન પર 180 દેશોનો નવો અહેવાલ

યુરોપ અને અમેરિકામાં ભ્રષ્ટાચારના કેસોમાં વધારો થયો છે, પરંતુ 2025માં ભારતમાં ભ્રષ્ટાચારના કેસોમાં 2024ની સરખામણીમાં ઘટાડો થયો છે. ગ્લોબલ...
National 
ભારતમાં ભ્રષ્ટાચાર ઓછો થયો, અમેરિકા અને બ્રિટનમાં વધ્યો... કરપ્શન પર 180 દેશોનો નવો અહેવાલ

વોર્ડ બોયે પોતાને ડૉક્ટર ગણાવીને આપ્યું ઈન્જેક્શન, મહિલાએ ગુમાવ્યો જીવ

નવી મુંબઈના વાશી વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાં એક વોર્ડ બોયે એક મહિલાને ઈન્જેક્શન લગાવી દીધું, ત્યારબાદ 21 વર્ષીય યુવતીનું...
National 
વોર્ડ બોયે પોતાને ડૉક્ટર ગણાવીને આપ્યું ઈન્જેક્શન, મહિલાએ ગુમાવ્યો જીવ

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.