2 મહિનાથી વહુ ગૂમ હતી, ઘરની સામે ખાડો ખોદ્યો તો ખબર પડી સાસરિયાઓએ જ દાટી દીધેલી

હરિયાણાના ફરીદાબાદમાં એક મહિલાનો મૃતદેહ ઘરની સામે જ ખાડો ખોદીને શોધી કાઢવામાં આવ્યો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. મહિલા છેલ્લા બે મહિનાથી ગુમ હતી. એવો આરોપ છે કે સાસરિયાઓએ મહિલાની હત્યા કરીને તેના મૃતદેહને ઘરની સામે જ ગલીમાં દાટી દીધો હતો. પોલીસે સાસરિયા પક્ષના ચાર લોકોને કસ્ટડીમાં લીધા છે.

Faridabad, Murder
indiatv.in

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, આ મામલો ફરીદાબાદના પલ્લા વિસ્તારનો છે. 20 જૂન, શુક્રવારના રોજ પોલીસે JCBની મદદથી ગલીમાં 10 ફૂટ ઊંડો ખાડો ખોદયો હતો. અને તે ખાડાની અંદરથી એક મહિલાનો સડી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. મહિલાની ઓળખ તનુ (24) તરીકે થઈ છે, જે ઉત્તર પ્રદેશના શિકોહાબાદની રહેવાસી છે. જેના લગ્ન બે વર્ષ પહેલા ફરીદાબાદના રોશન નગરના રહેવાસી અરુણ સિંહ સાથે થયા હતા. તનુના પરિવારનો આરોપ છે કે, લગ્ન પછીથી, તનુના સાસરિયાઓ તેને ત્રાસ આપતા હતા અને સોનાના દાગીના અને દહેજ તરીકે પૈસાની માંગણી કરતા હતા. આ કારણે, તે લગ્ન પછી એક વર્ષ સુધી તેના પિયરના ઘરે રહી હતી. જોકે, ત્યાર પછી પંચાયતની દરમિયાનગીરીથી તે તેના સાસરિયાના ઘરે પાછી ગઈ હતી.

Faridabad, Murder
indiatv.in

તનુની બહેન પ્રીતિએ આરોપ લગાવ્યો છે કે, લગભગ 2 મહિના પહેલા, તેના સાસરિયાઓએ કહ્યું હતું કે, તનુ ઘરેથી ભાગી ગઈ છે. જ્યારે તનુના પરિવારના સભ્યોને શંકા ગઈ, ત્યારે તેઓએ નવીન નગર પોલીસ સ્ટેશનમાં પોલીસને જાણ કરી. તેમણે દાવો કર્યો કે પોલીસે ઘણા દિવસો સુધી કોઈ ગંભીર કાર્યવાહી કરી ન હતી. મળતા અહેવાલ મુજબ, સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે 23 એપ્રિલે, અરુણ અને તેના પિતા (મૃતકના સસરા) ભૂપ સિંહે શેરીમાં ખાડો ખોદી કાઢ્યો હતો. તેમણે કહ્યું હતું કે ઘરના ગંદા પાણીને બહાર કાઢવા માટે કોઈ જગ્યા નથી. બીજા દિવસે તેના પર સિમેન્ટનો સ્લેબ નાખ્યો હતો. આ પછી, 25 એપ્રિલે, સાસરિયાઓએ તનુના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે તનુ માનસિક રીતે અસ્થિર હતી.

Faridabad, Murder
m.haryana.punjabkesari.in

હાલમાં, પોલીસે મૃતદેહને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યો છે અને સાસરિયા પક્ષના ચાર સભ્યો સામે હત્યાનો કેસ નોંધીને આરોપીઓને કસ્ટડીમાં લીધા છે. આ કેસમાં, DCP (સેન્ટ્રલ) ઉષા કુંડુએ જણાવ્યું હતું કે, એક અઠવાડિયા પહેલા ફરિયાદ નોંધાઈ હતી. જેના પર કાર્યવાહી કરીને, પોલીસે રસ્તો ખોદીને લાશ કબજે કરી હતી.

About The Author

Top News

ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે? શું-શું સુવિધા મળશે?

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આખરે 23 દિવસ પછી 16 જુલાઇએ શપથ લીધા હતા. સાથે કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ પણ શપથ...
Gujarat 
ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે? શું-શું સુવિધા મળશે?

મોદી સરકારને ઘેરતા પહેલા જ INDIA ગઠબંધનમાં તિરાડ! AAP-TMC બેઠકમાં કેમ નહીં આવે?

સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈ, 2025થી શરૂ થવા જઈ રહ્યું છે. વિરોધ પક્ષોનું ગઠબંધન INDIA બ્લોક, ચોમાસુ...
National 
મોદી સરકારને ઘેરતા પહેલા જ INDIA ગઠબંધનમાં તિરાડ! AAP-TMC બેઠકમાં કેમ નહીં આવે?

લોર્ડ્સમાં RCBના ખેલાડીની બેઇજ્જતી! જીતેશને સ્ટેડિયમમાં ઘૂસવા ન દીધો? પછી એણે DKને પાડી બૂમ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં 5 મેચોની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ  રમાઇ હતી. આ દિલ ધડક મેચમાં ભારતીય ટીમને 22...
Sports 
લોર્ડ્સમાં RCBના ખેલાડીની બેઇજ્જતી! જીતેશને સ્ટેડિયમમાં ઘૂસવા ન દીધો? પછી એણે DKને પાડી બૂમ

કરોડોના માલિક મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા 4 હજારનો ઇ-મેમો કેમ નથી ભરતા

મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા છેલ્લાં કેટલાંક દિવસોથી ગુજરાતના રાજકારણમાં ચર્ચામાં છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને મોરબીમાં ચૂંટણી લડવા માટે...
Gujarat 
કરોડોના માલિક મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા 4 હજારનો ઇ-મેમો કેમ નથી ભરતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.