સ્ટેશન પર ટ્રેન રોકવાનું ભૂલી ગયો ડ્રાઈવર, જાણો ભૂલનો અહેસાસ થતા તેણે શું કર્યુ

તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો. તમારે તમારા નિર્ધારિત સ્ટેશન પર ઉતારવાનું છે, અને તમારી ટ્રેન ત્યાં ઉભી ન રહી તો તમારી સ્થિતિ શું હશે તેનો તમે અંદાજ લગાવી શકો છો. ભારતીય રેલવેનું એક વિચિત્ર કારનામું સામે આવ્યું છે. સ્ટેશન પર બેઠેલા મુસાફરો ટ્રેન ઉભી રહે તેની રાહ જોતા રહ્યા અને ટ્રેન ઉભી ન રહી. તેણે એકદમ ઝડપથી સ્ટેશન પસાર કરી દીધું. આ મામલો ઉત્તર પૂર્વ રેલવેના વારાણસી રેલ્વે વિભાગ સાથે સંબંધિત છે. બુધવારે છપરાથી ફરુખાબાદ જતી ટ્રેન (15083) છપરા જંકશનથી સાંજે 6 વાગ્યે સમયસર રવાના થઈ હતી.

આ પછી તે આગલા સ્ટોપેજ પર રોકાઈ જ્યાંથી મુસાફરો ટ્રેનમાં ચઢ્યા. આ પછી ટ્રેન તેના બીજા સ્ટોપેજ, માંઝી હોલ્ટ સ્ટેશન તરફ આગળ વધી. ટ્રેન માંઝી હોલ્ટ પર ઉભી જ રહેવાની હતી ત્યારે ટ્રેનની સ્પીડ ઘટવાને બદલે વધવા લાગી. જે મુસાફરોને ટ્રેનથી આગળની મુસાફરી કરવાની હતી. તેમની વચ્ચે ગભરાટ ફેલાઈ ગયો.

જ્યારે ટ્રેનના લોકો પાયલટ અને અન્ય સ્ટાફને આ વાતની જાણ થઈ, ત્યારે તેઓએ તરત જ ઉતાવળથી સરયુ નદી પરના રેલવે બ્રિજ પર ટ્રેનને રોકી હતી. આ પછી ટ્રેન ડ્રાઈવરે અધિકારીઓ સાથે વાત કરી. ત્યારપછી ટ્રેનને માંઝી હોલ્ટ પર લઈ જવામાં આવી હતી. જ્યાં રાહ જોઈ રહેલા મુસાફરો ટ્રેનમાં બેસી ગયા હતા.

બન્યું એવું કે, રાતના અંધારામાં અચાનક 5083 ઉત્સર્ગ એક્સપ્રેસ માંઝી રેલ્વે બ્રિજની વચ્ચે ઊભી રહી ગઈ. રામઘાટ પર બેઠેલા લોકો ટ્રેન અકસ્માત થયાના ડરને જોતા રેલ બ્રિજ પર દોડી આવ્યા હતા. જોકે, લગભગ 20 મિનિટ રોકાયા પછી ટ્રેન ફરી પાછી આવીને માંઝી હોલ્ટ સ્ટેશન પાસે ઊભી રહી. ત્યાર પછી ત્યાં ઉભેલા મુસાફરો ટ્રેનમાં ચઢ્યા અને ટ્રેન 7.25 વાગ્યે માંઝીથી લખનઉ માટે રવાના થઈ. હવે તમે સમજી ગયા હસો કે શું થયું. ડ્રાઇવર સાહેબ માંઝી હોલ્ટ સ્ટેશન પર ટ્રેન રોકવાનું ભૂલી ગયા હતા. તે આગળ નીકળી ગયો હતો. તે પછી, જ્યારે તેઓને સમજાયું કે બહુ મોટી ભૂલ થઈ છે, ત્યારે તેઓએ માંઝી પુલ પર ટ્રેનને અધવચ્ચે રોકી દીધી હતી.

જો કે આ ટ્રેન લગભગ 20 મિનિટ સુધી રેલવે બ્રિજ પર રોકાઈ હતી. બ્રિજ પર ઉભેલી ટ્રેનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વારાણસી રેલ્વે ડિવિઝનના DRM વિનીત શ્રીવાસ્તવે આની નોંધ લેતા તપાસ માટે સૂચના આપી છે.

આ મામલામાં ઉત્તર પૂર્વ રેલવેના વારાણસી રેલવે વિભાગના જનસંપર્ક અધિકારી અશોક કુમારે ફોન પર જણાવ્યું કે, આ ઘટના છપરા ફર્રુખાબાદ ટ્રેન (15083) સાથે બની હતી, જે ગઈકાલે સાંજે છપરા જંક્શનથી ચાલી હતી. DRM વારાણસીએ તપાસ માટે સૂચના આપી છે. જે પણ હકીકતો સામે આવશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Related Posts

Top News

સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરકારક પરિબળોથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં હવામાન પલટાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, રાજ્યમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનની...
Gujarat 
સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરકારક પરિબળોથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

હીરા ઉદ્યોગમાં 8 કરોડનું ઉઠમણું પ્રી પ્લાન્ડ હતું?

સુરતના હીરાઉદ્યોગમાં 8.20 કરોડ રૂપિયાના ઉઠમણાંની ભારે ચર્ચા છે. કતાગરગામ વિસ્તારમાં આવેલી મહંત ડાયમંડ અને રશેષ જ્વેલસના 3 ભાગીદારો સામે...
Gujarat 
હીરા ઉદ્યોગમાં 8 કરોડનું ઉઠમણું પ્રી પ્લાન્ડ હતું?

સિને પ્રેમીઓને નવા સિનેમેટિક્સ એક્સપિરિયન્સ આપવા તૈયાર છે લૂપ સિનેમા

સુરત. શહેરની સિનેમાં પ્રેમી જનતા માટે હવે ફિલ્મ નિહાળવાની સાથે રીફ્રેશ થવા માટેની વધુ એક જગ્યા ઉમેરાઈ છે અને તે...
Entertainment 
સિને પ્રેમીઓને નવા સિનેમેટિક્સ એક્સપિરિયન્સ આપવા તૈયાર છે લૂપ સિનેમા

તિરંગા યાત્રાથી ઓપરેશન સિંદૂરનું ગર્વ ભાજપે લીધું પણ કોંગ્રેસ અને અન્ય પક્ષો કેમ બેઠા રહ્યા?

(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને...
Opinion 
તિરંગા યાત્રાથી ઓપરેશન સિંદૂરનું ગર્વ ભાજપે લીધું પણ કોંગ્રેસ અને અન્ય પક્ષો કેમ બેઠા રહ્યા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.