સ્ટેશન પર ટ્રેન રોકવાનું ભૂલી ગયો ડ્રાઈવર, જાણો ભૂલનો અહેસાસ થતા તેણે શું કર્યુ

તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો. તમારે તમારા નિર્ધારિત સ્ટેશન પર ઉતારવાનું છે, અને તમારી ટ્રેન ત્યાં ઉભી ન રહી તો તમારી સ્થિતિ શું હશે તેનો તમે અંદાજ લગાવી શકો છો. ભારતીય રેલવેનું એક વિચિત્ર કારનામું સામે આવ્યું છે. સ્ટેશન પર બેઠેલા મુસાફરો ટ્રેન ઉભી રહે તેની રાહ જોતા રહ્યા અને ટ્રેન ઉભી ન રહી. તેણે એકદમ ઝડપથી સ્ટેશન પસાર કરી દીધું. આ મામલો ઉત્તર પૂર્વ રેલવેના વારાણસી રેલ્વે વિભાગ સાથે સંબંધિત છે. બુધવારે છપરાથી ફરુખાબાદ જતી ટ્રેન (15083) છપરા જંકશનથી સાંજે 6 વાગ્યે સમયસર રવાના થઈ હતી.

આ પછી તે આગલા સ્ટોપેજ પર રોકાઈ જ્યાંથી મુસાફરો ટ્રેનમાં ચઢ્યા. આ પછી ટ્રેન તેના બીજા સ્ટોપેજ, માંઝી હોલ્ટ સ્ટેશન તરફ આગળ વધી. ટ્રેન માંઝી હોલ્ટ પર ઉભી જ રહેવાની હતી ત્યારે ટ્રેનની સ્પીડ ઘટવાને બદલે વધવા લાગી. જે મુસાફરોને ટ્રેનથી આગળની મુસાફરી કરવાની હતી. તેમની વચ્ચે ગભરાટ ફેલાઈ ગયો.

જ્યારે ટ્રેનના લોકો પાયલટ અને અન્ય સ્ટાફને આ વાતની જાણ થઈ, ત્યારે તેઓએ તરત જ ઉતાવળથી સરયુ નદી પરના રેલવે બ્રિજ પર ટ્રેનને રોકી હતી. આ પછી ટ્રેન ડ્રાઈવરે અધિકારીઓ સાથે વાત કરી. ત્યારપછી ટ્રેનને માંઝી હોલ્ટ પર લઈ જવામાં આવી હતી. જ્યાં રાહ જોઈ રહેલા મુસાફરો ટ્રેનમાં બેસી ગયા હતા.

બન્યું એવું કે, રાતના અંધારામાં અચાનક 5083 ઉત્સર્ગ એક્સપ્રેસ માંઝી રેલ્વે બ્રિજની વચ્ચે ઊભી રહી ગઈ. રામઘાટ પર બેઠેલા લોકો ટ્રેન અકસ્માત થયાના ડરને જોતા રેલ બ્રિજ પર દોડી આવ્યા હતા. જોકે, લગભગ 20 મિનિટ રોકાયા પછી ટ્રેન ફરી પાછી આવીને માંઝી હોલ્ટ સ્ટેશન પાસે ઊભી રહી. ત્યાર પછી ત્યાં ઉભેલા મુસાફરો ટ્રેનમાં ચઢ્યા અને ટ્રેન 7.25 વાગ્યે માંઝીથી લખનઉ માટે રવાના થઈ. હવે તમે સમજી ગયા હસો કે શું થયું. ડ્રાઇવર સાહેબ માંઝી હોલ્ટ સ્ટેશન પર ટ્રેન રોકવાનું ભૂલી ગયા હતા. તે આગળ નીકળી ગયો હતો. તે પછી, જ્યારે તેઓને સમજાયું કે બહુ મોટી ભૂલ થઈ છે, ત્યારે તેઓએ માંઝી પુલ પર ટ્રેનને અધવચ્ચે રોકી દીધી હતી.

જો કે આ ટ્રેન લગભગ 20 મિનિટ સુધી રેલવે બ્રિજ પર રોકાઈ હતી. બ્રિજ પર ઉભેલી ટ્રેનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વારાણસી રેલ્વે ડિવિઝનના DRM વિનીત શ્રીવાસ્તવે આની નોંધ લેતા તપાસ માટે સૂચના આપી છે.

આ મામલામાં ઉત્તર પૂર્વ રેલવેના વારાણસી રેલવે વિભાગના જનસંપર્ક અધિકારી અશોક કુમારે ફોન પર જણાવ્યું કે, આ ઘટના છપરા ફર્રુખાબાદ ટ્રેન (15083) સાથે બની હતી, જે ગઈકાલે સાંજે છપરા જંક્શનથી ચાલી હતી. DRM વારાણસીએ તપાસ માટે સૂચના આપી છે. જે પણ હકીકતો સામે આવશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Top News

શ્રી શ્રી રવિ શંકરે સોમનાથ મંદિરના શિવલિંગ પર એવું શું કહી દીધું કે હોબાળો થયો

આર્ટ ઓફ લિવીંગના ફાઉન્ડર શ્રી શ્રી રવિશંકરે થોડા દિવસ પહેલા દાવો કર્યો હતો કે, તમની પાસે 1 હજાર વર્ષ...
Gujarat 
શ્રી શ્રી રવિ શંકરે સોમનાથ મંદિરના શિવલિંગ પર એવું શું કહી દીધું કે હોબાળો થયો

તમે વિચાર્યું નહીં હોય એટલી કિંમતી છે IPLની ટ્રોફી, વર્લ્ડ કપ કરતા પણ વધારે છે!

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) વિશ્વની સૌથી ધનિક T20 ક્રિકેટ લીગ છે. IPL ટુર્નામેન્ટ હંમેશા ખૂબ જ ખાસ રહી છે. ...
Sports 
તમે વિચાર્યું નહીં હોય એટલી કિંમતી છે IPLની ટ્રોફી, વર્લ્ડ કપ કરતા પણ વધારે છે!

PGVCLને તમારા બાપની પેઢી સમજો છો? રાજકોટ ભાજપના જયમીન ઠાકરે અધિકારીનો ઉધડો લીધો

રાજકોટમાં વોર્ડ નં 2માં છેલ્લા 4 દિવસથી દરરોજ રાત્રે વીજળી ગૂલ થતી હતી અને 3થી 4 કલાક સુધી...
Gujarat 
PGVCLને તમારા બાપની પેઢી સમજો છો? રાજકોટ ભાજપના જયમીન ઠાકરે અધિકારીનો ઉધડો લીધો

લાખ રૂપિયા પગારમાં પેટ નથી ભરાતું, EDનો ડેપ્યુટી ડિરેક્ટર 20 લાખની લાંચ લેતા પકડાયો, 5 કરોડ માંગેલા

કેન્દ્ર સરકારની એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના એક ઉચ્ચ અધિકારીની 20 લાખ રૂપિયાની લાંચ લેવાના કેસમાં ધરપકડ કરવામાં આવી...
National 
લાખ રૂપિયા પગારમાં પેટ નથી ભરાતું, EDનો ડેપ્યુટી ડિરેક્ટર 20 લાખની લાંચ લેતા પકડાયો, 5 કરોડ માંગેલા
Copyright (c) Khabarchhe All Rights Reserved.