બનવા જઈ રહ્યું છે ભારતનું પહેલું 'હિન્દુ ગામ', ધીરેન્દ્ર શાસ્ત્રીએ મૂકી આધારશિલા

મધ્યપ્રદેશના બાગેશ્વર ધામમાં ભારતનું પ્રથમ હિન્દુ ગામ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વરે બુધવારે આ ગામની આધારશિલા રાખી હતી. મીડિયા રિપોર્ટ મુજબ, આ ગામ 2 વર્ષમાં તૈયાર થઈ જશે. બાબા બાગેશ્વરે જણાવ્યું કે, બાગેશ્વર ધામમાં જ 1000 પરિવારોનું આ ગામ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આવો જાણીએ આ હિન્દુગ્રામ બાબતે ખાસ વાતો.

India's-first-Hindu-village1
amarujala.com

 

શું છે આખો મામલો?

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હિન્દુ રાષ્ટ્રની પરિકલ્પનાને લઇને સતત કાર્ય કરી રહ્યા છે. તેમણે હિન્દુ રાષ્ટ્રધ્વજ જાહેર કર્યા બાદ હવે ભારતનું હિન્દુ ગામ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બાગેશ્વર ધામમાં 2 વર્ષમાં ભારતનું પ્રથમ હિન્દુ ગામ તૈયાર થઇ જશે. બાબા બાગેશ્વરે બુધવારે ભૂમિપૂજન કરતા તેની આધારશિલા રાખી દીધી હતી. બાગેશ્વર ધામ પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ દેશના પ્રથમ હિન્દુ ગામના સપનાને સાકાર કરવા માટે બાગેશ્વર ધામમાં જ વૈદિક મંત્રોચ્ચાર સાથે ભૂમિપૂજન કર્યું હતું.

India's-first-Hindu-village2
amarujala.com

 

બાબા બાગેશ્વરે આ અવસર પર કન્યાપૂજન કરતા આધારશિલા રાખી હતી. બાબા બાગેશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે, હિન્દુ રાષ્ટ્રનું સપનું હિન્દુ ઘરથી જ શરૂ થાય છે. હિન્દુ પરિવાર, હિન્દુ સમાજ, હિન્દુ ગામ, હિન્દુ તાલુકો, હિન્દુ જિલ્લો અને હિન્દુ રાજ્યનું નિર્માણ થશે, તો જ હિન્દુ રાષ્ટ્રની પરિકલ્પના પૂર્ણ થશે. બાગેશ્વર ધામ પીઠાધીશ્વરે હિન્દુ ગામની આધારશિલા રાખ્યા બાદ પોતાના સંબોધનમાં કહ્યું કે, ધામમાં જ 1000 પરિવારોનું આ ગામ તૈયાર કરાવવામાં આવી રહ્યું છે.

India's-first-Hindu-village3
amarujala.com

 

બાગેશ્વર ધામ જનસેવા સમિતિ, હિન્દુ ધર્મ અને સનાતન ધર્મના પ્રેમીઓને જમીન ઉપલબ્ધ કરાવશે. આ જમીનમાં ભવનનું નિર્માણ થશે. અહીં રહેતા લોકો માટે કેટલીક મૂળભૂત શરતો પણ રાખવામાં આવી છે. આ ભવન કોન્ટ્રાક્ટના આધાર પર મળશે. પહેલા જ દિવસે, 2 બહેનોએ ભવન લેવા માટે  પોતાની સ્વીકૃતિ આપતા કાગળની કાર્યવાહી પૂર્ણ કરાવી. આ ઉપરાંત આ ગામમાં લગભગ ઘણા બધા લોકો ઘર બનાવવામાં જોડાયા છે.

બાગેશ્વર ધામમાં હિન્દુ ગામમાં રહેનારા લોકો કોન્ટ્રાક્ટ આધારે રહેશે. તેઓ જે મકાનમાં રહેશે તે મકાન ખરીદવા કે વેચવાનો તેમને અધિકાર નહીં મળે. તેની પાછળનું કારણ એ છે કે વિધર્મીઓ લોભ અને લાલ આપીને કોઈપણ સ્તર પર જઇને કોઇ પણ કિંમતે મકાન ખરીદવાનો પ્રયાસ કરે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે, લોભના કારણે લોકો ધર્મ વિરોધી તોકતો સામે સરેન્ડર કરી દે છે. એટલે, બાગેશ્વર ધામના હિન્દુ ગામમાં ખરીદ-વેચાણ પર પ્રતિબંધ રહેશે.

Related Posts

Top News

‘રામ મંદિર નિર્માણમાં સરકારનો એક પણ પૈસો લાગ્યો નથી’, અધ્યક્ષે જણાવ્યું- કેવી રીતે બન્યું આટલું ભવ્ય મંદિર?

અયોધ્યા સ્થિત ભગવાન શ્રી રામની જન્મભૂમિ પર ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આ મંદિર 71 એકરમાં ફેલાયેલું...
National 
‘રામ મંદિર નિર્માણમાં સરકારનો એક પણ પૈસો લાગ્યો નથી’,  અધ્યક્ષે જણાવ્યું- કેવી રીતે બન્યું આટલું ભવ્ય મંદિર?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 07-06-2025 દિવસ: શનિવાર મેષ: જો તમારા હાથમાં મોટી રકમ આવશે તો તમારી ખુશીનો પાર રહેશે નહીં. પરિવારના કોઈ સભ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શુભમન ગિલ અને ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સની 5 મોટી વાતો, કોહલી-રોહિત વિશે પણ કરી વાત

ભારતીય ટીમ 5 ટેસ્ટ, 3 વન-ડે અને 3 T20 મેચોની સીરિઝ માટે ઇંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. વિરાટ કોહલી...
Sports 
શુભમન ગિલ અને ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સની 5 મોટી વાતો, કોહલી-રોહિત વિશે પણ કરી વાત

એલોન મસ્કની સ્ટારલિંકનો ભારતમાં રસ્તો સાફ, સેટેલાઇટ ઇન્ટરનેટ માટે મહત્ત્વનું લાયસન્સ મળ્યું

એલોન મસ્કની સેટેલાઇટ-આધારિત ઇન્ટરનેટ સેવા સ્ટારલિંકને ભારતમાં જરૂરી લાઇસન્સ મળ્યું છે. મસ્કની કંપની છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં તેની સેવા શરૂ...
Tech and Auto 
એલોન મસ્કની સ્ટારલિંકનો ભારતમાં રસ્તો સાફ, સેટેલાઇટ ઇન્ટરનેટ માટે મહત્ત્વનું લાયસન્સ મળ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.