બનવા જઈ રહ્યું છે ભારતનું પહેલું 'હિન્દુ ગામ', ધીરેન્દ્ર શાસ્ત્રીએ મૂકી આધારશિલા

મધ્યપ્રદેશના બાગેશ્વર ધામમાં ભારતનું પ્રથમ હિન્દુ ગામ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વરે બુધવારે આ ગામની આધારશિલા રાખી હતી. મીડિયા રિપોર્ટ મુજબ, આ ગામ 2 વર્ષમાં તૈયાર થઈ જશે. બાબા બાગેશ્વરે જણાવ્યું કે, બાગેશ્વર ધામમાં જ 1000 પરિવારોનું આ ગામ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આવો જાણીએ આ હિન્દુગ્રામ બાબતે ખાસ વાતો.

India's-first-Hindu-village1
amarujala.com

 

શું છે આખો મામલો?

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હિન્દુ રાષ્ટ્રની પરિકલ્પનાને લઇને સતત કાર્ય કરી રહ્યા છે. તેમણે હિન્દુ રાષ્ટ્રધ્વજ જાહેર કર્યા બાદ હવે ભારતનું હિન્દુ ગામ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બાગેશ્વર ધામમાં 2 વર્ષમાં ભારતનું પ્રથમ હિન્દુ ગામ તૈયાર થઇ જશે. બાબા બાગેશ્વરે બુધવારે ભૂમિપૂજન કરતા તેની આધારશિલા રાખી દીધી હતી. બાગેશ્વર ધામ પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ દેશના પ્રથમ હિન્દુ ગામના સપનાને સાકાર કરવા માટે બાગેશ્વર ધામમાં જ વૈદિક મંત્રોચ્ચાર સાથે ભૂમિપૂજન કર્યું હતું.

India's-first-Hindu-village2
amarujala.com

 

બાબા બાગેશ્વરે આ અવસર પર કન્યાપૂજન કરતા આધારશિલા રાખી હતી. બાબા બાગેશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે, હિન્દુ રાષ્ટ્રનું સપનું હિન્દુ ઘરથી જ શરૂ થાય છે. હિન્દુ પરિવાર, હિન્દુ સમાજ, હિન્દુ ગામ, હિન્દુ તાલુકો, હિન્દુ જિલ્લો અને હિન્દુ રાજ્યનું નિર્માણ થશે, તો જ હિન્દુ રાષ્ટ્રની પરિકલ્પના પૂર્ણ થશે. બાગેશ્વર ધામ પીઠાધીશ્વરે હિન્દુ ગામની આધારશિલા રાખ્યા બાદ પોતાના સંબોધનમાં કહ્યું કે, ધામમાં જ 1000 પરિવારોનું આ ગામ તૈયાર કરાવવામાં આવી રહ્યું છે.

India's-first-Hindu-village3
amarujala.com

 

બાગેશ્વર ધામ જનસેવા સમિતિ, હિન્દુ ધર્મ અને સનાતન ધર્મના પ્રેમીઓને જમીન ઉપલબ્ધ કરાવશે. આ જમીનમાં ભવનનું નિર્માણ થશે. અહીં રહેતા લોકો માટે કેટલીક મૂળભૂત શરતો પણ રાખવામાં આવી છે. આ ભવન કોન્ટ્રાક્ટના આધાર પર મળશે. પહેલા જ દિવસે, 2 બહેનોએ ભવન લેવા માટે  પોતાની સ્વીકૃતિ આપતા કાગળની કાર્યવાહી પૂર્ણ કરાવી. આ ઉપરાંત આ ગામમાં લગભગ ઘણા બધા લોકો ઘર બનાવવામાં જોડાયા છે.

બાગેશ્વર ધામમાં હિન્દુ ગામમાં રહેનારા લોકો કોન્ટ્રાક્ટ આધારે રહેશે. તેઓ જે મકાનમાં રહેશે તે મકાન ખરીદવા કે વેચવાનો તેમને અધિકાર નહીં મળે. તેની પાછળનું કારણ એ છે કે વિધર્મીઓ લોભ અને લાલ આપીને કોઈપણ સ્તર પર જઇને કોઇ પણ કિંમતે મકાન ખરીદવાનો પ્રયાસ કરે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે, લોભના કારણે લોકો ધર્મ વિરોધી તોકતો સામે સરેન્ડર કરી દે છે. એટલે, બાગેશ્વર ધામના હિન્દુ ગામમાં ખરીદ-વેચાણ પર પ્રતિબંધ રહેશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 21-05-2025 દિવસ: બુધવાર મેષ: તમારો વધતો ખર્ચ આજે તમારા માટે પરેશાનીનું કારણ બનશે, પરંતુ તમારે તેના માટે તમારા જમા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

મનરેગા કૌભાંડ: મંત્રી બચુ ખાબડના 2 પુત્રો પછી હવે ભાણેજ પણ પકડાયો

દાહોદના દેવગઢ બારિયા અને ધનપુર તાલુકાના મનરેગા કૌભાંડમાં પરિવારવાદ જોવા મળ્યો છે. 71 કરોડ રૂપિયાના કૌભાંડમાં ગુજરાતના મંત્રી બચુ ખાબડના...
Gujarat 
મનરેગા કૌભાંડ: મંત્રી બચુ ખાબડના 2 પુત્રો પછી હવે ભાણેજ પણ પકડાયો

સાચવજો, 21મેથી ગુજરાતમાં તોફાની કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે

ગુજરાતમાં તોફાની વરસાદનો બીજો રાઉન્ડ 21મેથી શરૂ થવાની સંભાવના છે. અરબી સમુદ્ધમાં અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન સીસ્ટમ સક્રીય બની છે કે...
Gujarat 
સાચવજો, 21મેથી ગુજરાતમાં તોફાની કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે

'સમજૂતી પછી જ યુ*દ્ધવિરામ પર ચર્ચા થશે...', યુક્રેનમાં યુ*દ્ધવિરામ પર ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિને કહ્યું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફોન કરીને યુક્રેનમાં યુદ્ધવિરામ અંગે ચર્ચા કરી. અહેવાલ મુજબ તેમને પૂછવામાં આવ્યું...
World 
'સમજૂતી પછી જ યુ*દ્ધવિરામ પર ચર્ચા થશે...', યુક્રેનમાં યુ*દ્ધવિરામ પર ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિને કહ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.