આંધ્ર પ્રદેશની હાઇકોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપતા કહ્યું છેકે, જો કોઇ હિંદુ મહિલાને તેના માતિ-પિતા અથવા પોતાના પિયર પક્ષ તરફથી કોઇ સંપત્તિ ભેટમાં મળે છે અને તેનું મૃત્યુ નિસંતાન થયું હોય, વસિયત નામું ન બનાવ્યું હોય તો તે સંપત્તિ પર સાસરીયા, પતિનો હક્ક રહેતો નથી આ હક મહિલાના પિતાના કાનુની વારસદારોને મળશે.
એક નાનીએ પોતાની પૌત્રીને સંપત્તિ ભેટમાં આપી હતી પરંતુ પૌત્રી સંતાન વિહોણી જ મરી ગઇ હતી. નાનીએ અગાઉનું ડિફ્ટ ડીડ રદ કરીને આ જ સંપત્તિ બીજી પૌત્રીને આપી. આની સામે મૃતક મહિલાના પતિએ પડકાર ફેંક્યો હતો અને કેસ જીત્યો હતો. પરંતુ મહિલાની પહેને હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો અને હાઇકોર્ટે કહ્યું કે, પતિને મિલ્કત નહીં મળશે.