- National
- 4 બાળકોની માતા પર આવ્યું 3 બાળકોના પિતાનું દિલ, ગ્રામજનોએ બૂટ-ચપ્પલની વરમાળા પહેરાવી અને પછી...
4 બાળકોની માતા પર આવ્યું 3 બાળકોના પિતાનું દિલ, ગ્રામજનોએ બૂટ-ચપ્પલની વરમાળા પહેરાવી અને પછી...

મધ્યપ્રદેશના નર્મદાપુરમમાં 4 બાળકોની માતા પર, 3 બાળકોનો પિતાનું દિલ આવી ગયું. ત્યારબાદ લોક-લાજની શરમ કર્યા વિના બંને સાથે લિવ-ઇનમાં રહેવા લાગ્યા. ગ્રામજનોને બંને સાથે રહેતા હતાએ ન ગમ્યું અને તેમણે સમાજની પંચાયત બોલાવી. પંચાયતમાં બંનેને સમજાવવામાં આવ્યા કે, તમે લોકો પહેલાથી જ પરિણીત છો. પરંતુ બંને સાથે રહેવાની વાત પર અડગ રહ્યા. ત્યારબાદ ગ્રામજનોએ દંપતીને ગામની બહાર કાઢી મૂકવાનો નિર્ણય લીધો. ગ્રામજનોએ મહિલા અને પુરુષને એકબીજાના ગળામાં બૂટ અને ચપ્પલના વરમાળા પહેરાવડાવી અને જૂલુસ કાઢ્યું. ગ્રામજનોએ જણાવ્યું કે, મહિલા પુરુષ બંને જ ગામની બહાર જતા રહ્યા. આ ઘટનાક્રમ 16 માર્ચ, રવિવારના રોજ બન્યો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે નયા કાજરીમાં રહેનારા મહિલા અને પુરુષ પહેલાથી જ પરિણીત છે. મહિલાને 4 બાળકો છે. એક પુત્ર અને પુત્રીની ઉંમર લગભગ 16 અને 17 વર્ષની છે. આ પુરુષના પણ 2 પુત્ર અને એક પુત્રી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, મહિલા અને પુરુષ બંને સાથે રહેતા હતા. ગ્રામજનોને તેમના પ્રેમની જાણકારી મળી. ગ્રામજનોએ 4-5 આદિવાસી સમાજના ગામ અને પરિવારના સભ્યોને ભેગા કર્યા. સમાજની પંચાયતે મહિલા અને પુરુષને સમજાવ્યા કે તમે પહેલાથી જ પરિણીત છો. એટલે, તમે બંને એકબીજાને ભૂલીને પોતપોતાના ઘરમાં રહો. પરંતુ બંનેએ પંચાયતની વાત ન માની. ત્યારબાદ પંચાયતે બંનેને ગામમાંથી કાઢી મૂકવાનો નિર્ણય લીધો. આરોપ છે કે, ગ્રામજનોએ દંપતીનું અપમાન કરતા એક-બીજાને બૂટ અને ચપ્પલના હાર પહેરાવવા મજબૂર કર્યું અને જૂલુસ પણ કાઢ્યું.

એક ગ્રામીણે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, પંચાયતે પોતાના નિર્ણયમાં એમ પણ કહ્યું કે, મહિલા અને પુરુષ બંને ગામની બહાર રહેશે. આસપાસના આદિવાસી સમાજના લોકો તેમને મદદ નહીં કરે. જો કોઈ મદદ કરશે તો તેને પણ પંચાયતના નિર્ણય વિરુદ્ધ ગણવામાં આવશે. તો વીડિયો વાયરલ થયા બાદ નાયબ મામલતદાર અને સેમરી હરચંદ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ગામમાં પહોંચ્યા હતા. ઘટનાના સંબંધમાં ગ્રામજનો સાથે વાત કરી હતી. તેમજ ઉપરોક્ત વ્યક્તિના ભાઈ અને મહિલાના સાસરિયા તેમજ પતિ સાથે પણ વાત કરી હતી.
Top News
સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું
મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે
Opinion
