4 બાળકોની માતા પર આવ્યું 3 બાળકોના પિતાનું દિલ, ગ્રામજનોએ બૂટ-ચપ્પલની વરમાળા પહેરાવી અને પછી...

મધ્યપ્રદેશના નર્મદાપુરમમાં 4 બાળકોની માતા પર, 3 બાળકોનો પિતાનું દિલ આવી ગયું. ત્યારબાદ લોક-લાજની શરમ કર્યા વિના બંને સાથે લિવ-ઇનમાં રહેવા લાગ્યા. ગ્રામજનોને બંને સાથે રહેતા હતાએ ન ગમ્યું અને તેમણે સમાજની પંચાયત બોલાવી. પંચાયતમાં બંનેને સમજાવવામાં આવ્યા કે, તમે લોકો પહેલાથી જ પરિણીત છો. પરંતુ બંને સાથે રહેવાની વાત પર અડગ રહ્યા. ત્યારબાદ ગ્રામજનોએ દંપતીને ગામની બહાર કાઢી મૂકવાનો નિર્ણય લીધો. ગ્રામજનોએ મહિલા અને પુરુષને એકબીજાના ગળામાં બૂટ અને ચપ્પલના વરમાળા પહેરાવડાવી અને જૂલુસ કાઢ્યું. ગ્રામજનોએ જણાવ્યું કે, મહિલા પુરુષ બંને જ ગામની બહાર જતા રહ્યા. આ ઘટનાક્રમ 16 માર્ચ, રવિવારના રોજ બન્યો હતો.

Extra-Marrital-affair3
bhaskar.com

 

કહેવામાં આવી રહ્યું છે કે નયા કાજરીમાં રહેનારા મહિલા અને પુરુષ પહેલાથી જ પરિણીત છે. મહિલાને 4 બાળકો છે. એક પુત્ર અને પુત્રીની ઉંમર લગભગ 16 અને 17 વર્ષની છે. આ પુરુષના પણ 2 પુત્ર અને એક પુત્રી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, મહિલા અને પુરુષ બંને સાથે રહેતા હતા. ગ્રામજનોને તેમના પ્રેમની જાણકારી મળી. ગ્રામજનોએ 4-5 આદિવાસી સમાજના ગામ અને પરિવારના સભ્યોને ભેગા કર્યા. સમાજની પંચાયતે મહિલા અને પુરુષને સમજાવ્યા કે તમે પહેલાથી જ પરિણીત છો. એટલે, તમે બંને એકબીજાને ભૂલીને પોતપોતાના ઘરમાં રહો. પરંતુ બંનેએ પંચાયતની વાત ન માની. ત્યારબાદ પંચાયતે બંનેને ગામમાંથી કાઢી મૂકવાનો નિર્ણય લીધો. આરોપ છે કે, ગ્રામજનોએ દંપતીનું અપમાન કરતા એક-બીજાને બૂટ અને ચપ્પલના હાર પહેરાવવા મજબૂર કર્યું અને જૂલુસ પણ કાઢ્યું.

Kiran-Pandya
khabarchhe.com

 

એક ગ્રામીણે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, પંચાયતે પોતાના નિર્ણયમાં એમ પણ કહ્યું કે, મહિલા અને પુરુષ બંને ગામની બહાર રહેશે. આસપાસના આદિવાસી સમાજના લોકો તેમને મદદ નહીં કરે. જો કોઈ મદદ કરશે તો તેને પણ પંચાયતના નિર્ણય વિરુદ્ધ ગણવામાં આવશે. તો વીડિયો વાયરલ થયા બાદ નાયબ મામલતદાર અને સેમરી હરચંદ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ગામમાં પહોંચ્યા હતા. ઘટનાના સંબંધમાં ગ્રામજનો સાથે વાત કરી હતી. તેમજ ઉપરોક્ત વ્યક્તિના ભાઈ અને મહિલાના સાસરિયા તેમજ પતિ સાથે પણ વાત કરી હતી.

About The Author

Top News

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોતની આશંકા વ્યક્ત...
National 
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

દેશમાં પહેલીવાર ગુજરાતાં સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 3430 ડોલર...
Business 
ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

તાજેતરમાં સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં SRK ડાયમંડ કંપની દ્રારા પરિવારોત્સવ 2025ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના 61 વર્ષ પુરા...
Gujarat 
'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમના સમયના મહાન બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને હવે પસ્તાવો થાય છે કે, તેઓ ક્રિકેટ રમ્યા...
Sports 
મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.