જે CJIનું પદ સંભાળવા જઈ રહ્યા છે, તે ન્યાયાધીશ સૂર્યકાંત; જેમણે એક સમયે ફક્ત રૂ. 550માં આખો કેસ લડ્યો હતો

એક સમયે હિસારની સરકારી શાળામાં ભણતો છોકરો, જે અંગ્રેજીમાં નબળો હતો, પણ ડ્રાફ્ટિંગ કરવામાં માસ્ટર બની ગયો, તે જ હવે ભારતની ન્યાયિક વ્યવસ્થામાં સૌથી અગ્રણી વ્યક્તિ બનવા જઈ રહ્યા છે. ન્યાયાધીશ સૂર્યકાંત, જેઓ હાલમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ છે, 24 નવેમ્બરના રોજ ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે શપથ લેશે.

વર્તમાન મુખ્ય ન્યાયાધીશ ગવઈ 23 નવેમ્બરના રોજ નિવૃત્ત થશે અને તેમણે તેમના અનુગામી તરીકે સૂર્યકાંતનું નામ કાયદા મંત્રાલયને મોકલી દીધું છે. સૂર્યકાંતનો સમયગાળો 9 ફેબ્રુઆરી, 2027 સુધી ચાલશે, એટલે કે લગભગ બે વર્ષથી પણ વધુ, જે તેમને તાજેતરના વર્ષોમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા CJIમાંના એક બનાવે છે. ન્યાયાધીશ ગવઈએ તેમની ભલામણમાં લખ્યું છે, 'ન્યાયાધીશ સૂર્યકાંત પણ મારી જેમ જ એક સંઘર્ષશીલ પરિવારમાંથી આવે છે. અને તેથી જ મને વિશ્વાસ છે કે તેઓ જરૂરિયાતમંદોના અધિકારો માટે ઉભા રહેશે.'

10 ફેબ્રુઆરી, 1962ના રોજ હિસાર જિલ્લાના પેટવાડ ગામમાં જન્મેલા સૂર્યકાંતે પોતાનું શિક્ષણ ગામની સરકારી શાળામાં શરૂ કર્યું. ત્યાર પછી તેમણે હિસારની સરકારી PG કોલેજમાંથી સ્નાતક થયા અને પછી 1984માં રોહતકની MDUમાંથી LLBની ડિગ્રી મેળવી. તે વખતે તેઓ યુનિવર્સિટી ટોપર બન્યા હતા અને તે દરમિયાન તેમણે અનેક મેડલ જીત્યા. તેઓ પોતે કહે છે, 'મેં અંગ્રેજી મોડું શીખ્યું, પણ મેં મહેનત કરવાનું વહેલા શરૂ કર્યું.'

Justice-Surya-Kant.jpg-2

તેમણે હિસાર જિલ્લા કોર્ટમાં કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી. શરૂઆતના દિવસોમાં, તેમને એક પુરા કેસ માટે 550 રૂપિયા ફી મળતી હતી, અને ત્યારપછી, ફક્ત એક ડ્રાફ્ટ લખવા માટે 1100 રૂપિયા. કારણકે તેમની ડ્રાફ્ટિંગ કુશળતા એટલી મજબૂત હતી કે આખા કેસની દિશા જ બદલાઈ જતી હતી.

જસ્ટિસ સૂર્યકાંતે 1985માં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી અને ટૂંક સમયમાં જ તેઓ બંધારણીય, સેવા અને સિવિલ બાબતોના નિષ્ણાત તરીકે ઓળખાવા લાગ્યા. 2000માં, 38 વર્ષની ઉંમરે, તેઓ હરિયાણાના સૌથી નાના એડવોકેટ જનરલ બન્યા.

તેઓ 2001માં સિનિયર એડવોકેટ, 2004માં હાઈકોર્ટના જજ, 2018માં હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને 2019માં સુપ્રીમ કોર્ટના જજ બન્યા. એટલે કે 35 વર્ષની સફર, ગામડાની શાળાથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી.

Justice-Surya-Kant.jpg-3

ન્યાયાધીશ સૂર્યકાંતનું ધ્યેય હંમેશા લોકોની આસપાસ રહ્યું છે. તેઓ સુપ્રીમ કોર્ટ કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ છે, જે ગરીબો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને મફત કાનૂની સહાય પૂરી પાડે છે. તેઓ NALSA ના સભ્ય અને NLU રાંચીમાં ગેસ્ટ લેક્ચરર પણ રહી ચૂક્યા છે. એટલે કે, તેમણે પુસ્તકોમાંથી મેળવેલા ન્યાયને પાયાના સ્તર સુધી પહોંચાડ્યો.

ન્યાયાધીશ સૂર્યકાંત છેલ્લા બે વર્ષમાં ઘણા મહત્વપૂર્ણ કેસોમાં સામેલ રહ્યા છે, જેમાંથી કેટલાક ખૂબ જ વિવાદાસ્પદ રહ્યા છે. કલમ 370 કેસ: તેઓ જમ્મુ અને કાશ્મીરના વિશેષ દરજ્જાને રદ કરવાનો નિર્ણય લેનાર બેન્ચનો ભાગ હતા.

રાજદ્રોહ કાયદો: તેઓ તે બેન્ચનો ભાગ હતા, જેણે કહ્યું હતું કે સમીક્ષા ન થાય ત્યાં સુધી રાજદ્રોહના આરોપો હેઠળ કોઈ નવી FIR નોંધવામાં આવશે નહીં.

અરવિંદ કેજરીવાલ જામીન કેસ: તેમણે કહ્યું, 'તપાસ એજન્સીઓએ પાંજરામાં પુરાયેલા પોપટ' જેવી કહેવાતી છબીથી બહાર નીકળવું જોઈએ.'

એક પદ, એક પેન્શન: તેમણે યોજનાને યોગ્ય ઠેરવીને કહ્યું, 'સમાન પદ ધરાવતા લોકોને સમાન સન્માન અને પેન્શન મળવું જોઈએ.'

CJI-BR-Gavai-Justice-Surya-Kant

મહિલા સરપંચ કેસ: એક મહિલા સરપંચને ખોટી રીતે દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ તેમણે તેમને ફરીથી સ્થાપિત કર્યા, અને કહ્યું કે, 'આ લિંગ ભેદભાવ છે.'

ઘરેલુ કામદારો પરનો આદેશ: તેમણે કહ્યું, 'સરકારે ઘરેલું કામદારોના રક્ષણ માટે એક અલગ કાયદો ઘડવો જોઈએ.'

એક કેસમાં, જ્યારે એક પક્ષે AI-જનરેટેડ ડેટા સબમિટ કર્યો, ત્યારે તેમણે સ્પષ્ટપણે કહ્યું, 'AI માણસોથી બનેલું છે, તેમાં પક્ષપાત છે. કોર્ટને સમજણ અને સંશોધનની જરૂર છે, કોપી-પેસ્ટ નહીં.'

એ જ રીતે, ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટકેસમાં, તેમણે કહ્યું, 'આજની પેઢી વિચારે છે કે અમે જુનવાણી છીએ, પરંતુ અમને ખબર છે તેમને કેવી રીતે સુધારવા જોઈએ.'

જસ્ટિસ સૂર્યકાંત કૌટુંબિક કાયદા અને લિંગ સંવેદનશીલતા પરના તેમના મંતવ્યો માટે પણ જાણીતા છે. ઘરેલુ હિંસા કેસની સુનાવણી દરમિયાન, તેમણે કહ્યું, 'લગ્નનો ઉપયોગ સદીઓથી પુરુષો દ્વારા સ્ત્રીઓ પર અત્યાચાર કરવા માટે એક હથિયાર તરીકે કરવામાં આવે છે.'

Justice-Surya-Kant.jpg-5

તેઓ માને છે કે, કૌટુંબિક કાયદો ફક્ત છૂટાછેડા સુધી મર્યાદિત ન હોવો જોઈએ, પરંતુ કૌટુંબિક માળખામાં સુધારાના સાધન તરીકે કામ કરવું જોઈએ.

જ્યારે ન્યાયાધીશ સૂર્યકાંત હરિયાણા હાઇકોર્ટમાં હતા, ત્યારે તેમણે જેલ સુધારણા સમિતિની રચનાનો આદેશ આપ્યો અને ખુલ્લી જેલ વ્યવસ્થાનો વિચાર રજૂ કર્યો. એક કેસમાં, હત્યાના આરોપીને સજા સંભળાવતી વખતે, તેમણે તેમની ચાર અનાથ પુત્રીઓની જવાબદારી લીધી. તેમણે વ્યક્તિગત રીતે ધ્યાન આપીને તેમના શિક્ષણની વ્યવસ્થા કરી, જેનો ખર્ચ 55 લાખ રૂપિયા થતો હતો.

હિસારમાં લોકો મીઠાઈઓ વહેંચી રહ્યા છે, કારણ કે ન્યાયાધીશ સૂર્યકાંત હરિયાણાથી દેશના મુખ્ય ન્યાયાધીશ બનનારા પ્રથમ વ્યક્તિ હશે. તેમની નિમણૂક પારદર્શક રીતે MOP (મેમોરેન્ડમ ઓફ પ્રોસિજર) હેઠળ કરવામાં આવી હતી, એટલે કે સુપ્રીમ કોર્ટના ફક્ત સૌથી વરિષ્ઠ ન્યાયાધીશને જ આ પદ આપવામાં આવે છે.

Justice-Surya-Kant.jpg-4

CJI બન્યા પછી, તેમનો પહેલો મોટો પડકાર આશરે 90,000 પેન્ડિંગ કેસોનો નિકાલ કરવાનો રહેશે. હવે જોવાનું એ રહે છે કે, હિસારના ખેતરોમાંથી નીકળીને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા આ ન્યાયાધીશ ભારતની ન્યાયિક વ્યવસ્થાને નવી દિશા આપી શકશે કે નહીં.

જેણે ગામની શેરીઓમાં રહીને અંગ્રેજી શીખ્યું, કોર્ટમાં ડ્રાફ્ટિંગ શીખ્યા, અને હવે ન્યાય વ્યવસ્થામાં પરિવર્તન લાવવાના છે. ન્યાયાધીશ સૂર્યકાંત, એક એવી વ્યક્તિ જે સાબિત કરે છે કે, જો કોઈની હિંમત સાચી હોય, તો હિસારથી સુપ્રીમ કોર્ટ સુધીનો માર્ગ પણ સરળ થઇ જાય છે.

About The Author

Related Posts

Top News

યુદ્ધના કારણે થયેલી ગેસની અછત વચ્ચે કેન્દ્ર સરકારે ECA લાગુ કર્યો... સમજો તેનો અર્થ શું થાય છે

ઈરાન યુદ્ધ પછી, ભારતમાં પણ ગેસ પુરવઠો ચિંતાનો વિષય બની રહ્યો છે. ઘણા શહેરોમાંથી ગેસ પુરવઠાની અછતના અહેવાલો આવી...
National 
યુદ્ધના કારણે થયેલી ગેસની અછત વચ્ચે કેન્દ્ર સરકારે ECA લાગુ કર્યો... સમજો તેનો અર્થ શું થાય છે

મમતા બેનર્જીએ બંગાળમાં અચાનક કાયદા મંત્રાલય કેમ સંભાળ્યું? જાણો 5 કારણો

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના રાજકીય ગરમાગરમી વચ્ચે, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમના મંત્રીઓના વિભાગોમાં ફેરબદલ કર્યો છે. તેમણે કાયદા વિભાગનો...
Politics 
મમતા બેનર્જીએ બંગાળમાં અચાનક કાયદા મંત્રાલય કેમ સંભાળ્યું? જાણો 5 કારણો

ગુજરાત શેકાયું: અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં 'યલો એલર્ટ'

હોળી-ધૂળેટી બાદ હવે ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં ગરમીને લઈને 'યલો...
Gujarat 
ગુજરાત શેકાયું: અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં 'યલો એલર્ટ'

BCCIએ વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇન્ડિયા પર કરી દીધી ધનવર્ષા, આટલા કરોડના ઇનામની જાહેરાત

T20 વર્લ્ડ કપ 2026માં ભારતની સતત બીજી જીત બાદ અને ફાઇનલમાં જીત બાદ, BCCIએ ટીમને એક મોટું...
Sports 
BCCIએ વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇન્ડિયા પર કરી દીધી ધનવર્ષા, આટલા કરોડના ઇનામની જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.