બે દીકરી પછી દીકરાનો જન્મ થતા પશુપતિનાથના દર્શન કરવા ગયા અને જીવ ગયો

નેપાળ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા પાંચ ભારતીયોમાં શામેલ સોનુ જયસવાલ કાઠમાંડૂના પ્રસિદ્ધ પશુપતિનાથ મંદિરમાં માથુ ટેકવવા ગયા હતા. લગભગ છ મહિના પહેલા તેમની દિકરાની ઇચ્છા પુરી થઇ હતી. સોનુએ માનતા માની હતી કે, દિકરો આવવાની ખુશીમા પશુપતિનાથ જઇને માથુ ટેકવશે, પણ નસીબને કંઇ બીજુ જ મંજૂર હતું.

વિમાનના દુર્ઘટનાગ્રસ્ત થવાની ખબર જેવી ગાઝીપુર જિલ્લાના ચક જૈનબ ગામમાં પહોંચી, તેમના પરિવાર સાથે સાથે તેમના વિસ્તારમાં ધમાલ મચી ગઇ. શોકાકુળ પરિવારને સાંત્વના આપવા માટે ભારે સંખ્યામાં લોકો ઘરે પહોંચ્યા હતા. સોનુની બે દિકરી છે. તેમણે માનતા માની હતી કે, છોકરો આવવાની ખુશીમાં તે પશુપતિનાથ મંદિર જઇને માથુ ટેકવશે. આ વાત તેમના સંબધી તથા ચક જૈનબ ગ્રામ પંચાયતના પ્રધાન વિજય જયસવાલે એક ન્યુઝ એજન્સીને કહી હતી.

તેમણે કહ્યું કે, સોનુ પોતાના ત્રણ મિત્રોની સાથે 10મી જાન્યુઆરીના રોજ નેપાળ ગયો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ભગવાન પશુપતિનાથના દર્શન કરવાનો હતો. તેમણે દિકરો આવવાની માનતા માની હતી. તેમની ઇચ્છા પુરી થવા પર તે ત્યાં દર્શન કરવા ગયા હતા, પણ નસીબને કંઇ બીજુ જ મંજૂર હતું. સોનુ જયસવાલ બીયરની દુકાન ચલાવતા હતા. વર્તમાનમાં તેઓ વારાણસીના સારનાથમાં વસવાટ કરતા હતા. જોકે, અલાવલપુર ચટ્ટીમાં તેમનું એક અન્ય ઘર પણ છે. વિમાન દુર્ઘટનામાં એક મિત્ર અભિષેક કુશવાહા, વિશાલ શર્મા અને અનિલ રાજભરએ પણ જીવ ગુમાવ્યો છે.

પોલીસ પ્રવક્તાએ કહ્યું કે, વિશાલ શર્મા બડેસર ક્ષેત્રના અલાવલપુર ચટ્ટી ગામના હતા. જ્યારે, અનિલ રાજભર ચક જૈનબ અને અભિષેક કુશવાહા ધારવાના નિવાસી હતા. સ્થાનિક લોકોએ કહ્યું કે, રાજભર જન સેવા કેન્દ્ર સંચાલિત કરતા હતા. કુશવાહા કોમ્પ્યુટર વ્યવસાય સાથે જોડાયેલા હતો અને શર્મા ટુવ્હીલર શોરૂમમાં કોમ્પ્યટર ઓપરેટર હતો. ગ્રામીણોએ કહ્યું કે, ચારે પોખરામાં પેરાગ્લાઇડિંગ બાદ મંગળવારે ગાઝીપુર ફરવાના હતા.

ગાઝીપુરના જિલ્લા અધિકારીઓનું કહેવું છે કે, અમારા સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને અન્ય અધિકારી શોકાકુળ પરિવારોના સંપર્કમાં છે. અમે દૂતાવાસના પણ સંપર્કમાં છીએ. બીજી બાજુ, યોગી આદિત્યનાથે દુર્ઘટનામાં થયેલા મોત પર શોક વ્યક્ત કર્યો છે. સાથે જ અધિકારીઓને મૃતકના પાર્થિવ શરીર લાવવા માટે વિદેશ મંત્રાલય સાથે સમન્વય કરવાનો નિર્દેશ આપ્યો છે.

મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે, નેપાળ વિમાન દુર્ઘટના અત્યંત દુખદ છે. માર્યા ગયેલા ભારતીય નાગરિકો સહિત દરેક લોકોને વિનમ્ર શ્રદ્ધાંજલી. મારી સંવેદના શોક સંતપ્ત પરિવારો સાથે છે. ભગવાન શ્રીરામ તેમના પવિત્ર ચરણોમાં સ્થાન આપે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.