ઘરમાં ઘૂસીને ચોરોએ બનાવી મેગી અને કરી પાર્ટી, ACમાં આરામ કર્યા બાદ હાથ સાફ કર્યા

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ચોરોએ એક બેન્ક કર્મચારીના ઘરમાં અનોખી રીતે ચોરી કરી છે. ચોર પહેલા બેન્ક કર્મચારીના ઘરમાં ઘૂસ્યા, પછી તેમણે અહીં મેગી બનાવીને ખાધી અને જ્યારે તેઓ તેનાથી સંતુષ્ટ ન થયા તો તેમણે વટાણાની ઘૂઘરી પણ બનાવી. પેટ ભરાઈને ખાધા બાદ ચોરોએ AC ચલાવીને થોડા સમય સુધી આરામ કર્યો અને પછી ઘરનો કિંમતી સામાન લઈને ફરાર થઈ ગયા.

Thieves
freepressjournal.in

 

શું છે આખો મામલો?

આ મામલો ગાઝીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ઇન્દિરા નગર C-બ્લોકનો છે. ચોરીની ઘટના બાદ ઘટનાસ્થળે પરથી જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે આખા ઘરનો સામાન આમ તેમ ફેંકી દેવામાં આવ્યો છે અને મેગી અને વટાણાની પ્લેટ અડધી ખાધેલી છે. જે રિટાયર્ડ બેન્ક કર્મચારીના ઘરમાં ચોરી થઈ છે, તે પોતાના પરિવાર સાથે સારવાર કરાવવા માટે સેનામાં તૈનાત પોતાના પુત્રને મળવા દિલ્હી ગયો હતો. આ દરમિયાન 2 ચોરો ઘરમાં ઘૂસીને ઘટનાને અંજામ આપી છે.

લખનૌની આ ઘટના પોલીસની કાર્યપ્રણાલી પર સવાલ ઉઠાવે છે. લોકોનું કહેવું છે કે ચોરોના હોસલા આટલા બુલંદ કેવી રીતે હોઈ શકે છે કે તેઓ ઘરની ખુશી પર સરળતાથી હાથ ફેરવી શકે. તાજેતરની ઘટના બતાવે છે કે ચોરોને કાયદાનો કોઈ ડર નહોતો. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં યોગી સરકાર છે અને ગુનેગારો સામે ઝીરો ટોલરન્સ નીતિ છે. એવામાં, આ ઘટના વધુ સવાલોના ઘેરામાં છે.

Thieves2
x.com/askrajeshsahu

 

જે ઘરમાં ચોરોએ હાથ સાફ કર્યા ત્યાંના લોકો નારાજ છે. તેમનો ઘણો સામાન ચોર લઈ ગયા છે. તેમનું કહેવું છે કે પોલીસ વહેલી તકે ચોરોને પકડે અને તેમનો સામાન પાછો અપાવે. ઘરના લોકોને એ વાતનો પણ  ભય છે કે જ્યારે ચોર આટલી સરળતાથી ચોરી કરી શકે છે, તો તેઓ કોઈની જિંદગીને પણ નુકસાન પહોંચાડી શકે છે.

About The Author

Top News

શું કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સથી નારાજ છે? ઈન્સ્ટાગ્રામ એક્ટિવિટીથી વધી અટકળો

રવિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 સીઝન દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ (MI) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB...
Sports 
શું કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સથી નારાજ છે? ઈન્સ્ટાગ્રામ એક્ટિવિટીથી વધી અટકળો

ટ્રેનમાં સૂતો રહ્યો પતિ અને સીટમાંથી ગાયબ થઇ ગઇ હતી પત્ની, 6 દિવસ પછી મળી

ઊંડી શ્રદ્ધા અને ભક્તિ સાથે બાબા કેદારનાથના દર્શન કરીને પરત ફરતા પરિણીત કપલની ખુશીઓ એ સમયે દુઃખ અને ચિંતામાં ફેરવાઈ...
National 
ટ્રેનમાં સૂતો રહ્યો પતિ અને સીટમાંથી ગાયબ થઇ ગઇ હતી પત્ની, 6 દિવસ પછી મળી

દેશભક્ત હો તો તેલ ખાવાનું ઓછું કરી દો..PM મોદીએ કહ્યું છે, જાણો કેમ? 

ગુજરાતીઓ માટે તેલ ઓછું ખાવું અઘરૂં કામ છે પરંતુ દેશ માટે તે કરવું પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે...
Lifestyle 
દેશભક્ત હો તો તેલ ખાવાનું ઓછું કરી દો..PM મોદીએ કહ્યું છે, જાણો કેમ? 

દેશની તેલ કંપનીઓને રોજનું ₹1,000 કરોડનું નુકસાન

(ઉત્કર્ષ પટેલ) કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ તાજેતરમાં જાહેર કર્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ...
Opinion 
દેશની તેલ કંપનીઓને રોજનું ₹1,000 કરોડનું નુકસાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.