બિહાર પોલીસની ભરતીની પરીક્ષા આપવા હજારો ઉમેદવારો રેલવે સ્ટેશન પહોંચ્યા પણ પૂરતી ટ્રેન જ નહોતી પછી થયો પથ્થરમારો

બિહારના પાટલીપુત્ર રેલ્વે સ્ટેશન પર પરીક્ષા આપવા જઈ રહેલા ઉમેદવારોએ હોબાળો મચાવ્યો. ટ્રેન મોડી આવવાથી અને રેલવે પ્રશાસનના ગેરવહીવટથી ગુસ્સે થઈને, હજારો ઉમેદવારો રેલ્વે ટ્રેક પર ઉતરી આવ્યા, અને ટ્રેનની અવરજવરને સંપૂર્ણપણે રોકી દીધી. આ દરમિયાન કેટલાક યુવકોએ ટ્રેનમાં તોડફોડ અને તેના પર પથ્થરમારો પણ કર્યો. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે ટીયર ગેસ છોડ્યો, હવામાં ગોળીબાર કર્યો અને લાઠીચાર્જ કર્યો. આ કાર્યવાહીમાં એક IG સહિત અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયાના અહેવાલ છે.

02

પટનામાં બિહાર પોલીસ પ્રોહિબિશન ડિપાર્ટમેન્ટ ભરતીમાં હજારો ઉમેદવારો પરીક્ષા આપવા જઈ રહ્યા હતા. આ પરીક્ષા બે શિફ્ટમાં યોજાવાની હતી. 13 જૂન, શનિવારની મોડી રાતથી મોટી સંખ્યામાં ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો પર પહોંચવા માટે સ્ટેશન પર એકઠા થયા હતા. ઉમેદવારોનો આરોપ છે કે રેલ્વેએ પૂરતી ટ્રેનોની વ્યવસ્થા કરી ન હતી, જેના કારણે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી હતી.

ઉમેદવારોનો એવો પણ આરોપ છે કે, તેઓ જે ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા તે સતત મોડી થઇ રહી હતી. પાટલીપુત્રથી કટિહાર જતી પરીક્ષા સ્પેશિયલ ટ્રેનમાં ચઢતી વખતે હોબાળો થતાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ. ગુસ્સે ભરાયેલા ઉમેદવારો ટ્રેનની સામે બેસી ગયા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. આ દરમિયાન કેટલાક લોકોએ ટ્રેનમાં તોડફોડ પણ કરી અને પથ્થરમારો પણ કર્યો.

03

ભારે હોબાળો થયાની માહિતી મળતાં, અનેક પોલીસ સ્ટેશનની પોલીસ અને રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. દાનાપુરના SDM અને ASP પણ ઉમેદવારોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો. ત્યાર પછી, રેલવેએ તેમને વિવિધ પરીક્ષા કેન્દ્રો પર લઈ જવા માટે ખાસ ટ્રેનોની વ્યવસ્થા કરી. જોકે, ઘણી ટ્રેનો ઘણા કલાકો સુધી વિવિધ પ્લેટફોર્મ પર ફસાયેલી રહી અને સ્ટેશન પર તણાવપૂર્ણ વાતાવરણ રહ્યું.

પટના જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. થિયાગરાજને જણાવ્યું હતું કે, મોડી રાત્રે માહિતી મળ્યા પછી, વહીવટી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે જણાવ્યું હતું કે, બળપ્રયોગ કરીને ભીડને વિખેરવામાં આવી હતી, અને પરિસ્થિતિ હવે સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને નિયંત્રણમાં છે.

04

પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે, પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા, ચેતવણી માટે હવામાં ગોળીબાર કર્યા અને ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ પણ કર્યો.

05

આ હંગામા દરમિયાન IG જિતેન્દ્ર રાણાને થોડી ઇજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. પટના જિલ્લાના રૂપસપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને પણ થોડી ઇજા થઈ હતી. IG જિતેન્દ્ર રાણા અને પોલીસ અધિક્ષક સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે કેમ્પિંગ કરી રહ્યા છે. સ્ટેશન પર વધારાના પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે અને સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

બિહાર પોલીસની ભરતીની પરીક્ષા આપવા હજારો ઉમેદવારો રેલવે સ્ટેશન પહોંચ્યા પણ પૂરતી ટ્રેન જ નહોતી પછી થયો પથ્થરમારો

બિહારના પાટલીપુત્ર રેલ્વે સ્ટેશન પર પરીક્ષા આપવા જઈ રહેલા ઉમેદવારોએ હોબાળો મચાવ્યો. ટ્રેન મોડી આવવાથી અને રેલવે પ્રશાસનના ગેરવહીવટથી ગુસ્સે...
National 
બિહાર પોલીસની ભરતીની પરીક્ષા આપવા હજારો ઉમેદવારો રેલવે સ્ટેશન પહોંચ્યા પણ પૂરતી ટ્રેન જ નહોતી પછી થયો પથ્થરમારો

ફિલ્મ 'ગવર્નર': કોણ હતા પૂર્વ RBI ગવર્નર એસ. વેંકટરમણન, જેમણે ભારતને કંગાળ થતાં બચાવ્યું હતું?

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ બાજપેયીની આગામી ફિલ્મ 'ગવર્નર' હાલમાં ભારે ચર્ચામાં છે. આ ફિલ્મ ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ...
Entertainment 
ફિલ્મ 'ગવર્નર': કોણ હતા પૂર્વ RBI ગવર્નર એસ. વેંકટરમણન, જેમણે ભારતને કંગાળ થતાં બચાવ્યું હતું?

ઇન્ફ્લુએન્સર બંજી જમ્પિંગ કરતી વખતે ખાઈમાં પડી, જીવ ગુમાવ્યો, ટ્રેનર દોરડું બાંધવાનું ભૂલી ગયો!

બ્રાઝિલના સાઓ પાઉલો રાજ્યમાં એક સાહસિક રમતગમત કાર્યક્રમ દરમિયાન એક મોટી બેદરકારીએ એક યુવતીનો જીવ લીધો. બંજી જમ્પ દરમિયાન સલામતી...
World 
ઇન્ફ્લુએન્સર બંજી જમ્પિંગ કરતી વખતે ખાઈમાં પડી, જીવ ગુમાવ્યો, ટ્રેનર દોરડું બાંધવાનું ભૂલી ગયો!

સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે

(ઉત્કર્ષ પટેલ) હિન્દુ ધર્મમાં સમયને માત્ર ઘડિયાળના કાંટા તરીકે નહીં પણ દિવ્ય શક્તિ તરીકે જોવામાં આવે છે. સંધ્યાકાળ અથવા ગૌધુલી...
Opinion 
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.