સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગ ઠાકુરને મળ્યા પુનિયા અને સાક્ષી, જુઓ શું કહ્યું

ભારતીય પહેલવાનોને મંગળવારે સ્પોર્ટ્સ મિનિસ્ટરે મોટી રાહત આપી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ટ્વીટ કરીને જણાવ્યું છે કે તેમણે પહેલવાનોને મળવા માટે બોલાવ્યા છે. બુધવારે બજરંગ પુનિયા સ્પોર્ટ્સ મિનિસ્ટરના દિલ્હી સ્થિત ઘરે પહોંચ્યો હતો. થોડા સમય બાદ સાક્ષી મલિક પણ સ્પોર્ટ્સ મિનિસ્ટરના ઘરે પહોંચી હતી. અનુરાગ ઠાકુરે મંગળવારે ટ્વીટ કરીને લખ્યું હતું કે, ‘સરકાર પહેલવાનો સાથે તેમના મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે. મેં ફરી એક વખત પહેલવાનોને તેના માટે આમંત્રિત કર્યા છે.’

આ ટ્વીટ બાદ પહેલવાનોએ બેઠકને લઈને પોતાની સહમતી દર્શાવી હતી અને સવાર થતા જ તેઓ સ્પોર્ટ્સ મિનિસ્ટરના આવાસ પર પહોંચી ગયા. ખેલાડી રેસલિંગ ફેડરેશનના નિવર્તમાન અધ્યક્ષ વૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ લાંબા સમયથી જંતર મંતર પર ધરણાં પ્રદર્શન કરી રહ્યા હતા. સાક્ષી મલિકે આ બાબતે એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા કહ્યું કે, સરકાર અમને જે પણ કહેશે, અમે તેના પર પોતાના સમર્થકો અને સીનિયર્સના મંતવ્યો લઈશું, જો તેમને લાગશે કે બધુ બરાબર છે ત્યારે જ અમે માનીશું.

તેણે આગળ કહ્યું કે, એવું થાય કે આપણે સરકારની કોઈ પણ વાત માની લઈએ અને પોતાના ધરણાં સમાપ્ત કરી દઈએ. અત્યાર સુધી મીટિંગના સમયને લઈને કંઈ પણ નક્કી થયું નથી. આ અગાઉ ખેલાડીઓએ 3 જૂનના રોજ ગૃહ મંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી. 2 કલાક સુધી ચાલેલી આ મુલાકાતમાં અમિત શાહે ખેલાડીઓને નિષ્પક્ષ તપાસનો વાયદો કર્યો હતો. આ બેઠક બાદ જ ખેલાડી પોતાની નોકરી પર પરત ફર્યા હતા. તો ખાપ પંચાયતોએ પણ 9 જૂનના રોજ જંતર મંતરનો કાર્યક્રમ રદ્દ કરી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે, વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાના નેતૃત્વમાં તમામ પહેલવાનોએ જાન્યુઆરીમાં પહેલી વખત કુશ્તી સંઘના અધ્યક્ષ અને ભાજપના સાંસદ વૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો. પહેલવાનોએ વૃજભૂષણ શરણ સિંહ પર યૌન ઉત્પીડનના આરોપ લગાવ્યા છે. ત્યારે સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીની દખલઅંદાજી બાદ પહેલવાનોના ધરણાં સમાપ્ત થઈ ગયા હતા. ત્યારબાદ 23 એપ્રિલના રોજ પહેલવાનો ફરી જંતર મંતર પર ધરણાં પર બેસી ગયા. સાથે જ 7 મહિલા પહેલવાનોએ વૃજભૂષણ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં યૌન ઉત્પીડનની ફરિયાદ નોંધાવી હતી.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.