ટ્રેને લગાવી એટલી તેજ બ્રેક, ઝટકો લાગવાથી 2 યાત્રીઓનું થયું નિધન

લોકો દિવાળીના કારણે પોતાના વતનમાં જવા માટે ઉત્સાહી છે અને બસ સ્ટેશન, રેલવે સ્ટેશનો પર ખૂબ ભીડ જોવા મળી રહી છે. સુરતથી પોતાના વતન જનારા લોકોની એટલી ભીડ હતી કે કેટલાત લોકો બેભાન પણ થઈ રહ્યા હતા અને દિવાળી પર વતન જવાના ચક્કરમાં સુરત રેલવે સ્ટેશન પર એક વ્યક્તિનું મોત પણ થઈ ગયું. તો હવે એક એવી ઘટના સામે આવી છે કે એક ટ્રેને એટલી જોરથી બ્રેક મારી કે ઝટકો લાગવાથી 2 લોકોના મોત થઈ ગયા.

ઝારખંડના કોડરમા જિલ્લામાં શનિવારે ઓવરહેડ ઇલેક્ટ્રિક તાર તૂટી જવાના કારણે દિલ્હી જઈ રહેલી એક ટ્રેન અચાનક ઝટકાથી રોકાઈ જવાના કારણે થયેલા અકસ્માતમાં 2 યાત્રીઓના મોત થઈ ગયા. પૂર્વ મધ્ય રેલવેના અધિકારીઓએ આ જાણકારી આપતા જણાવ્યું કે, આ દુર્ઘટના બપોરે 12:05 મિનિટ પર ગોમો અને કોડરમા રેલવે સ્ટેશન વચ્ચે પરસાબાદ પાસે ત્યારે થઈ જ્યારે પૂરી-નવી દિલ્હી પુરુષોત્તમ એક્સપ્રેસના ચાલકે ઓવરહેડ ઇલેક્ટ્રિક તાર તૂટ્યા બાદ ટ્રેનને રોકવા માટે ઇમરજન્સી બ્રેક લગાવવી પડી.

ધનબાદ રેલવે મંડળના વરિષ્ઠ મંડળના વાણિજ્ય મંડળ વાણિજ્ય મેનેજમેન્ટ અમરેશ કુમારે કહ્યું કે, જેવો જ વીજળીનો પુરવઠો અચાનક બંધ થયો, ટ્રેનને રોકવા માટે ઇમરજન્સી બ્રેક લગાવવામાં આવ્યો અને ઝટકો લાગવાથી બે લોકોના મોત થઈ ગયા. જે સમયે અકસ્માત થયો, એ સમયે ટ્રેન 130 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ચાલી રહી હતી. કોડરમા-ગોમો ખંડમાં દુર્ઘટના બાદ ICRના ધનબાદ રેલવે ડિવિઝન હેઠળ ગ્રાન્ડ કાર્ડ લાઇન પર ટ્રેનોની અવરજવર 4 કલાક કરતા વધુ સમય સુધી રોકાઈ રહી. તેમણે કહ્યું કે, દુર્ઘટનાસ્થળથી પુરુષોત્તમ એક્સપ્રેસને ડીઝલ એન્જિનથી ગોમો લાવવામાં આવ્યા અને ત્યારબાદ ઇલેક્ટ્રિક એન્જિનથી દિલ્હી મોકલવામાં આવ્યા.

તો દિલ્હી અને ઉત્તર પ્રદેશની સીમા પર સ્થિત આનંદ વિહાર બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને ગાઝિયાબાદના કૌશામ્બી બસ સ્ટેશન પર પણ જોરદાર ભીડ જોવા મળી રહી છે. આ દરમ્યાન બંને રાજ્યોની સીમાને જોડનારો ફૂટ ઓવર બ્રિજ પર લોકો જ લોકો નજરે પડ્યા. આ બ્રિજ પર પગ રાખવાની પણ જગ્યા નહોતી. દરેક જલદી જલદી ઘરે પહોંચવા માગતુ હતું. સરકારે પણ તેના માટે વિશેષ વ્યવસ્થા કરી છે. ઉત્તર પ્રદેશ રોડવેઝે ઘણા માર્ગો પર વિશેષ બસો ચલાવી છે.

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.