બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં બજરંગ દળના જિલ્લા સંયોજકે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. વિનોદ મૌર્યનો આરોપ છે કે, પોલીસે તેમને મધ્યરાત્રિએ તેમના ઘરેથી ઉપાડી લીધા, પોલીસ સ્ટેશન લઈ ગયા અને ખુબ માર માર્યો. સંગઠનના નેતાઓને આ સમાચાર મળતા જ હોબાળો મચી ગયો. યોગી સરકારના મંત્રી દિનેશ પ્રતાપ સિંહે પોતાની જ સરકારની પોલીસ સામે વિરોધ પ્રદર્શન કર્યું.

Bajrang Dal Leader Beaten
aajtak.in

મીડિયા સૂત્રના અહેવાલ મુજબ, આ ઘટના સલોન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી, જ્યાં પોલીસ પર બજરંગ દળના જિલ્લા સંયોજક વિનોદ કુમાર મૌર્યને માર મારવાનો આરોપ છે. વિનોદ મૌર્યનો આરોપ છે કે, સલોન પોલીસ તેમને રાત્રે 12 વાગ્યાની આસપાસ તેમના ઘરેથી બળજબરીથી ખેંચીને લઇ ગઈ હતી.

આ સમય દરમિયાન, પોલીસકર્મીઓએ તેમને થપ્પડ મારી, અપશબ્દો બોલ્યા અને પોલીસ સ્ટેશન લઈ જઈને ધાબળો ઓઢાડીને ખુબ માર માર્યો. આ સમય દરમિયાન તેમના પરિવાર સાથે પણ દુર્વ્યવહાર કરવામાં આવ્યો હોવાનો આરોપ છે.

Bajrang Dal Leader Beaten
bhaskar.com

પોલીસનો દાવો છે કે, વિનોદ મૌર્ય ગૌહત્યા સંબંધિત કેસમાં સાક્ષી છે. અનેક સુનાવણીઓ માટે કોર્ટમાં ગેરહાજર રહેવા બદલ તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ (NBW) બહાર પાડવામાં આવ્યું હતું. આ વોરંટનો અમલ કરવા માટે પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. એવો આરોપ છે કે, આ સમયગાળા દરમિયાન કાનૂની પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું ન હતું.

Bajrang Dal Leader Beaten
bhaskar.com

આ ઘટના પછી, વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના કાર્યકરોએ ધરણા પ્રદર્શન માટે બેસી ગયા હતા. પ્રદર્શનકારીઓએ સલોન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રાઘવન સિંહ અને અન્ય એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. પરિસ્થિતિ વધુ વણસી જતી જોઈને, ત્યારે પોલીસ વહીવટીતંત્રે ચોકીના ઇન્ચાર્જ સહિત ત્રણ કોન્સ્ટેબલને પોલીસ સ્ટેશનમાંથી દૂર કર્યા હતા, પરંતુ પ્રદર્શનકારીઓ તે કાર્યવાહીથી સંતુષ્ટ ન હતા.

રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) દિનેશ પ્રતાપ સિંહ મધ્યરાત્રિએ વિરોધ સ્થળ પર પહોંચ્યા ત્યારે મામલો વધુ ઉગ્ર બન્યો. તેમણે અધિક પોલીસ અધિક્ષક (ASP)ને સ્ટેશન ઇન્ચાર્જને લાઇન હાજર કરવા પર ભાર મુક્યો અને પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા.

Bajrang Dal Leader Beaten
newstrack.com

મંત્રી પોતાની જ સરકારની પોલીસ સામે ધરણા પ્રદર્શન કરતા આ મામલો રાજ્યના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. વિરોધ પ્રદર્શનના બીજા દિવસે, બળવાખોર SP ધારાસભ્ય મનોજ પાંડે પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.

આઉટપોસ્ટ ઇન્ચાર્જ અને ત્રણ કોન્સ્ટેબલને દૂર કરવા છતાં, VHP અને બજરંગ દળના કાર્યકરો અડી રહ્યા છે. તેઓ માંગ કરે છે કે જ્યાં સુધી સલોન પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ રાઘવન સિંહને લાઈન હાજર ન કરવામાં આવે અથવા સસ્પેન્ડ ન કરવામાં આવે ત્યાં સુધી અનિશ્ચિત હડતાળ ચાલુ રહેશે.

About The Author

Top News

સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો...

આજના સમયમાં બાળકો પર પરીક્ષા અને ભણતરનું પ્રેશર ખૂબ વધી ગયું છે. સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો...
Gujarat 
સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો...

આવા મેસેજ તમારું બેંક ખાતું ખાલી કરી શકે છે; ચેતવણી...

જો તમને કોઈ અજાણ્યા વોટ્સએપ અથવા ટેલિગ્રામ ગ્રુપમાં ઉમેરવામાં આવે અને કહેવામાં આવે કે તમારા પૈસા થોડા દિવસોમાં વધી જશે...
Tech and Auto 
આવા મેસેજ તમારું બેંક ખાતું ખાલી કરી શકે છે;  ચેતવણી...

'અમે હોર્મુઝના રક્ષક, દરેક કાર્ગોએ આપવા પડશે 20 ટકા ટોલ ટેક્સ...', ટ્રમ્પની જાહેરાત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને તેલ પુરવઠા અંગે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટર્વ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું...
World 
'અમે હોર્મુઝના રક્ષક, દરેક કાર્ગોએ આપવા પડશે 20 ટકા ટોલ ટેક્સ...', ટ્રમ્પની જાહેરાત

ભોજશાળામાં પૂજા ચાલુ રહેશે, પરંતુ નમાઝ અંગે સુપ્રીમ કોર્ટે નવી સૂચનાઓ બહાર પાડી; અહીં જાણો શું આદેશ આપ્યો

સોમવાર (14 જુલાઈ)ના રોજ, સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના ધારમાં આવેલી ઐતિહાસિક ભોજશાળા અંગે ખૂબ જ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય...
National 
ભોજશાળામાં પૂજા ચાલુ રહેશે, પરંતુ નમાઝ અંગે સુપ્રીમ કોર્ટે નવી સૂચનાઓ બહાર પાડી; અહીં જાણો શું આદેશ આપ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.