બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં બજરંગ દળના જિલ્લા સંયોજકે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. વિનોદ મૌર્યનો આરોપ છે કે, પોલીસે તેમને મધ્યરાત્રિએ તેમના ઘરેથી ઉપાડી લીધા, પોલીસ સ્ટેશન લઈ ગયા અને ખુબ માર માર્યો. સંગઠનના નેતાઓને આ સમાચાર મળતા જ હોબાળો મચી ગયો. યોગી સરકારના મંત્રી દિનેશ પ્રતાપ સિંહે પોતાની જ સરકારની પોલીસ સામે વિરોધ પ્રદર્શન કર્યું.

Bajrang Dal Leader Beaten
aajtak.in

મીડિયા સૂત્રના અહેવાલ મુજબ, આ ઘટના સલોન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી, જ્યાં પોલીસ પર બજરંગ દળના જિલ્લા સંયોજક વિનોદ કુમાર મૌર્યને માર મારવાનો આરોપ છે. વિનોદ મૌર્યનો આરોપ છે કે, સલોન પોલીસ તેમને રાત્રે 12 વાગ્યાની આસપાસ તેમના ઘરેથી બળજબરીથી ખેંચીને લઇ ગઈ હતી.

આ સમય દરમિયાન, પોલીસકર્મીઓએ તેમને થપ્પડ મારી, અપશબ્દો બોલ્યા અને પોલીસ સ્ટેશન લઈ જઈને ધાબળો ઓઢાડીને ખુબ માર માર્યો. આ સમય દરમિયાન તેમના પરિવાર સાથે પણ દુર્વ્યવહાર કરવામાં આવ્યો હોવાનો આરોપ છે.

Bajrang Dal Leader Beaten
bhaskar.com

પોલીસનો દાવો છે કે, વિનોદ મૌર્ય ગૌહત્યા સંબંધિત કેસમાં સાક્ષી છે. અનેક સુનાવણીઓ માટે કોર્ટમાં ગેરહાજર રહેવા બદલ તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ (NBW) બહાર પાડવામાં આવ્યું હતું. આ વોરંટનો અમલ કરવા માટે પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. એવો આરોપ છે કે, આ સમયગાળા દરમિયાન કાનૂની પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું ન હતું.

Bajrang Dal Leader Beaten
bhaskar.com

આ ઘટના પછી, વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના કાર્યકરોએ ધરણા પ્રદર્શન માટે બેસી ગયા હતા. પ્રદર્શનકારીઓએ સલોન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રાઘવન સિંહ અને અન્ય એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. પરિસ્થિતિ વધુ વણસી જતી જોઈને, ત્યારે પોલીસ વહીવટીતંત્રે ચોકીના ઇન્ચાર્જ સહિત ત્રણ કોન્સ્ટેબલને પોલીસ સ્ટેશનમાંથી દૂર કર્યા હતા, પરંતુ પ્રદર્શનકારીઓ તે કાર્યવાહીથી સંતુષ્ટ ન હતા.

રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) દિનેશ પ્રતાપ સિંહ મધ્યરાત્રિએ વિરોધ સ્થળ પર પહોંચ્યા ત્યારે મામલો વધુ ઉગ્ર બન્યો. તેમણે અધિક પોલીસ અધિક્ષક (ASP)ને સ્ટેશન ઇન્ચાર્જને લાઇન હાજર કરવા પર ભાર મુક્યો અને પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા.

Bajrang Dal Leader Beaten
newstrack.com

મંત્રી પોતાની જ સરકારની પોલીસ સામે ધરણા પ્રદર્શન કરતા આ મામલો રાજ્યના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. વિરોધ પ્રદર્શનના બીજા દિવસે, બળવાખોર SP ધારાસભ્ય મનોજ પાંડે પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.

આઉટપોસ્ટ ઇન્ચાર્જ અને ત્રણ કોન્સ્ટેબલને દૂર કરવા છતાં, VHP અને બજરંગ દળના કાર્યકરો અડી રહ્યા છે. તેઓ માંગ કરે છે કે જ્યાં સુધી સલોન પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ રાઘવન સિંહને લાઈન હાજર ન કરવામાં આવે અથવા સસ્પેન્ડ ન કરવામાં આવે ત્યાં સુધી અનિશ્ચિત હડતાળ ચાલુ રહેશે.

About The Author

Related Posts

Top News

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી સામે આવેલો આ કિસ્સો થ્રીલર ફિલ્મ જેવો લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એક એવું નાટક...
National 
નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

કચ્છના તળાવોને મળ્યો મજબૂત આધાર: કલેક્ટર અને મહેસૂલ ટીમનું એક અભિનંદનીય પગલું

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના કચ્છ જિલ્લામાં પાણી એ જીવનરેખા રૂપ છે. સૂકી ધરતી પર વરસાદી પાણીનું એકએક ટીપું અમૂલ્ય...
Gujarat 
કચ્છના તળાવોને મળ્યો મજબૂત આધાર: કલેક્ટર અને મહેસૂલ ટીમનું એક અભિનંદનીય પગલું

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.